Rajkot: ભાજપે 150 દેવીપૂજક પરિવારોને અંધારામાં રાખ્યા, રોષે ભરાયેલા લોકો ધરણા કરવાની તૈયારીમાં

Rajkot: રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના રેવાણીયા ગામમાં શાળાની બાજુમાં વસતા 150 ગરીબ દેવીપૂજક પરિવારોને 35 વર્ષથી વીજળીનું જોડાણ મળ્યું નથી. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા આ પરિવારોને વીજ જોડાણ આપવામાં નિષ્ફળતા સર્જાઈ છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે પરિવારો વિંછીયા PGVCL કચેરી સામે ધરણા કરવાની તૈયારીમાં છે.

150 ગરીબ દેવીપુજક સમાજ વીજળી નહીં

ગુજરાત સરકાર દાવો કરે છે કે દરેક ઘર સુધી વીજળી પહોંચાડવાની યોજના અમલમાં છે. સરકારની નીતિ અનુસાર, જ્યાં દસ કે તેથી વધુ પરિવારોની વસાહત હોય ત્યાં વીજળીનું જોડાણ આપવું ફરજિયાત છે. જોકે, રેવાણીયા ગામના 150 પરિવારોની વસાહત હોવા છતાં, આ યોજનાનો અમલ થયો નથી.

ગુજરાતના 30 લાખ લોકો વીજળી વિનાના

2023ના આંકડા મુજબ, ગુજરાતમાં ઝૂંપડપટ્ટીઓમાં રહેતા 3,50,45,998 પરિવારો અને કુલ 16,80,000ની વસ્તી હતી. નીતિ આયોગની નેશનલ એનર્જી પોલિસીના ડ્રાફ્ટ અનુસાર, દેશભરમાં 30.4 કરોડ લોકો ઊર્જાથી વંચિત છે, જેમાંથી ગુજરાતના 1% હિસ્સા તરીકે 30 લાખ લોકો (અંદાજે 5 લાખ કુટુંબો) વીજળી વિના જીવન જીવે છે.કેન્દ્ર અને રાજ્ય સરકારના દાવાકેન્દ્ર સરકારે 2022 સુધીમાં દરેક ઘર સુધી વીજળી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું હતું.

વિધાનસભામાં કરાયો હતો દાવો

ગુજરાત વિધાનસભામાં દાવો કરવામાં આવ્યો હતો કે અમદાવાદ જિલ્લામાં 2022 સુધીમાં ઝૂંપડપટ્ટીઓમાં 5,767 વીજ જોડાણો આપવામાં આવ્યા. આ ઉપરાંત, મોરબી જિલ્લામાં ડિસેમ્બર 2022 સુધીમાં ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ 1,117 જોડાણો આપવામાં આવ્યા. પરંતુ રેવાણીયા ગામના દેવીપૂજક સમાજના પરિવારો આવી સુવિધાથી વંચિત રહ્યા છે.

સ્થાનિકોનો આક્રોશ

વીજળીના અભાવે રેવાણીયા ગામના બાળકોના શિક્ષણ, રોજિંદા જીવન અને આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. ગરીબ અને વંચિત વર્ગના આ પરિવારોનો આક્ષેપ છે કે સરકારની યોજનાઓ માત્ર કાગળ પર જ રહી છે. આ મુદ્દે વિંછીયા PGVCL કચેરી સામે ધરણા કરીને પોતાનો અવાજ ઉઠાવવાનો નિર્ણય લેવાયો છે.

તાત્કાલિક વીજજોડાણ આપવાની માંગ 

સ્થાનિક લોકોની માંગ છે કે PGVCL તાત્કાલિક રેવાણીયા ગામની વસાહતમાં વીજળીના જોડાણો આપે. ગુજરાત સરકારે પોતાની નીતિનું પાલન કરીને દસથી વધુ પરિવારોની વસાહતોમાં વીજળી પૂરી પાડવી જોઈએ. આ ઉપરાંત, ઝૂંપડપટ્ટી વીજળીકરણ યોજનાના અમલમાં પારદર્શિતા અને ઝડપ લાવવાની જરૂર છે. આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવામાં ન આવે તો ધરણા અને આંદોલન વધુ તીવ્ર બની શકે છે.

આ પણ વાંચો:

Rajkot: સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના સ્ટાફનું ગેરવર્તન, સિંગર મીરા આહિરે લગાવ્યા ગંભીર આક્ષેપ

Gujarat Rain Forecast: ગુજરાતના 11 જિલ્લામાં રેડ એલર્ટ, IMD દ્વારા ભારે વરસાદની આગાહી

UP: મહિલા હોસ્પિટલમાં સારવાર માટે ગઈ, કમ્પાઉન્ડર રુમમાં ઈજેક્શન મારવા લઈ ગયો, પછી કર્યું એવું કૃત્ય કે જાણી ચોંકી જશો!

Dog Residence Certificate: ‘નામ ડોગ બાબુ, પિતા-કુત્તા બાબુ, માતા-કુતિયા દેવી’, બિહારમાં શ્વાનને મળ્યું રહેણાક પ્રમાણપત્ર

Gujarat Weather Forecast: ગુજરાતમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, કામ વગર લોકોને ઘરની બહાર ન નીકળવા સલાહ

  • Related Posts

    Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
    • August 9, 2026

    Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

    Continue reading
    Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
    • August 8, 2026

    Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    JNU VC Shantishree Dhulipudi: BHUમાં JNU કુલપતિનું મોટું નિવેદન: ‘દ્રૌપદી પ્રથમ નારીવાદી’, JNUને પણ ગણાવ્યું ‘ભિખારી’

    • August 13, 2026
    • 2 views
    JNU VC Shantishree Dhulipudi: BHUમાં JNU કુલપતિનું મોટું નિવેદન: ‘દ્રૌપદી પ્રથમ નારીવાદી’, JNUને પણ ગણાવ્યું ‘ભિખારી’

    CAG Report Delhi ECC: દિલ્હીમાં CAGનો મોટો ખુલાસો, 280 દિવસનો ECC રેકોર્ડ ગાયબ અને પર્યાવરણ ચાર્જના 843.12 કરોડ રૂપિયા હજુ સુધી વપરાયા નથી

    • August 13, 2026
    • 5 views
    CAG Report Delhi ECC: દિલ્હીમાં CAGનો મોટો ખુલાસો, 280 દિવસનો ECC રેકોર્ડ ગાયબ અને પર્યાવરણ ચાર્જના 843.12 કરોડ રૂપિયા હજુ સુધી વપરાયા નથી

    NIEPVD Dehradun Students Protest: દહેરાદૂનની NIEPVD સ્કૂલમાં દ્રષ્ટિબાધિત વિદ્યાર્થીઓનું આંદોલન 7 દિવસના વિરોધ બાદ સમાપ્ત, વહીવટીતંત્રે સ્વીકારી અનેક માંગણીઓ

    • August 13, 2026
    • 4 views
    NIEPVD Dehradun Students Protest: દહેરાદૂનની NIEPVD સ્કૂલમાં દ્રષ્ટિબાધિત વિદ્યાર્થીઓનું આંદોલન 7 દિવસના વિરોધ બાદ સમાપ્ત, વહીવટીતંત્રે સ્વીકારી અનેક માંગણીઓ

    NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

    • August 12, 2026
    • 5 views
    NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

    Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

    • August 12, 2026
    • 5 views
    Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

    Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

    • August 12, 2026
    • 6 views
    Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ