Rajkot: ભાજપે 150 દેવીપૂજક પરિવારોને અંધારામાં રાખ્યા, રોષે ભરાયેલા લોકો ધરણા કરવાની તૈયારીમાં

Rajkot: રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના રેવાણીયા ગામમાં શાળાની બાજુમાં વસતા 150 ગરીબ દેવીપૂજક પરિવારોને 35 વર્ષથી વીજળીનું જોડાણ મળ્યું નથી. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા આ પરિવારોને વીજ જોડાણ આપવામાં નિષ્ફળતા સર્જાઈ છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે પરિવારો વિંછીયા PGVCL કચેરી સામે ધરણા કરવાની તૈયારીમાં છે.

150 ગરીબ દેવીપુજક સમાજ વીજળી નહીં

ગુજરાત સરકાર દાવો કરે છે કે દરેક ઘર સુધી વીજળી પહોંચાડવાની યોજના અમલમાં છે. સરકારની નીતિ અનુસાર, જ્યાં દસ કે તેથી વધુ પરિવારોની વસાહત હોય ત્યાં વીજળીનું જોડાણ આપવું ફરજિયાત છે. જોકે, રેવાણીયા ગામના 150 પરિવારોની વસાહત હોવા છતાં, આ યોજનાનો અમલ થયો નથી.

ગુજરાતના 30 લાખ લોકો વીજળી વિનાના

2023ના આંકડા મુજબ, ગુજરાતમાં ઝૂંપડપટ્ટીઓમાં રહેતા 3,50,45,998 પરિવારો અને કુલ 16,80,000ની વસ્તી હતી. નીતિ આયોગની નેશનલ એનર્જી પોલિસીના ડ્રાફ્ટ અનુસાર, દેશભરમાં 30.4 કરોડ લોકો ઊર્જાથી વંચિત છે, જેમાંથી ગુજરાતના 1% હિસ્સા તરીકે 30 લાખ લોકો (અંદાજે 5 લાખ કુટુંબો) વીજળી વિના જીવન જીવે છે.કેન્દ્ર અને રાજ્ય સરકારના દાવાકેન્દ્ર સરકારે 2022 સુધીમાં દરેક ઘર સુધી વીજળી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું હતું.

વિધાનસભામાં કરાયો હતો દાવો

ગુજરાત વિધાનસભામાં દાવો કરવામાં આવ્યો હતો કે અમદાવાદ જિલ્લામાં 2022 સુધીમાં ઝૂંપડપટ્ટીઓમાં 5,767 વીજ જોડાણો આપવામાં આવ્યા. આ ઉપરાંત, મોરબી જિલ્લામાં ડિસેમ્બર 2022 સુધીમાં ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ 1,117 જોડાણો આપવામાં આવ્યા. પરંતુ રેવાણીયા ગામના દેવીપૂજક સમાજના પરિવારો આવી સુવિધાથી વંચિત રહ્યા છે.

સ્થાનિકોનો આક્રોશ

વીજળીના અભાવે રેવાણીયા ગામના બાળકોના શિક્ષણ, રોજિંદા જીવન અને આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. ગરીબ અને વંચિત વર્ગના આ પરિવારોનો આક્ષેપ છે કે સરકારની યોજનાઓ માત્ર કાગળ પર જ રહી છે. આ મુદ્દે વિંછીયા PGVCL કચેરી સામે ધરણા કરીને પોતાનો અવાજ ઉઠાવવાનો નિર્ણય લેવાયો છે.

તાત્કાલિક વીજજોડાણ આપવાની માંગ 

સ્થાનિક લોકોની માંગ છે કે PGVCL તાત્કાલિક રેવાણીયા ગામની વસાહતમાં વીજળીના જોડાણો આપે. ગુજરાત સરકારે પોતાની નીતિનું પાલન કરીને દસથી વધુ પરિવારોની વસાહતોમાં વીજળી પૂરી પાડવી જોઈએ. આ ઉપરાંત, ઝૂંપડપટ્ટી વીજળીકરણ યોજનાના અમલમાં પારદર્શિતા અને ઝડપ લાવવાની જરૂર છે. આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવામાં ન આવે તો ધરણા અને આંદોલન વધુ તીવ્ર બની શકે છે.

આ પણ વાંચો:

Rajkot: સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના સ્ટાફનું ગેરવર્તન, સિંગર મીરા આહિરે લગાવ્યા ગંભીર આક્ષેપ

Gujarat Rain Forecast: ગુજરાતના 11 જિલ્લામાં રેડ એલર્ટ, IMD દ્વારા ભારે વરસાદની આગાહી

UP: મહિલા હોસ્પિટલમાં સારવાર માટે ગઈ, કમ્પાઉન્ડર રુમમાં ઈજેક્શન મારવા લઈ ગયો, પછી કર્યું એવું કૃત્ય કે જાણી ચોંકી જશો!

Dog Residence Certificate: ‘નામ ડોગ બાબુ, પિતા-કુત્તા બાબુ, માતા-કુતિયા દેવી’, બિહારમાં શ્વાનને મળ્યું રહેણાક પ્રમાણપત્ર

Gujarat Weather Forecast: ગુજરાતમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, કામ વગર લોકોને ઘરની બહાર ન નીકળવા સલાહ

  • Related Posts

    Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર
    • May 11, 2026

    Chhotaudepur Sihada water Crisis: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલું સિહાદા ગામ અત્યારે આકરા ઉનાળાની સાથે પાણીની અત્યંત વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આશરે ૭૦૦૦ની વસ્તી ધરાવતા આ ગામમાં પીવાના…

    Continue reading
    Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા
    • May 10, 2026

    Gujarat Tribal Politics: ગુજરાતની ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યાં મોટા રાજકીય પક્ષો અને મંત્રીઓની ફોજ ઉતારવામાં આવી હતી, ત્યાં આદિવાસી નેતા ચૈતર વસાવા એક પ્રભાવક ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

    • May 11, 2026
    • 1 views
    Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

    Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

    • May 11, 2026
    • 3 views
    Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

    INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

    • May 11, 2026
    • 3 views
    INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

    Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

    • May 11, 2026
    • 8 views
    Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

    Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

    • May 10, 2026
    • 10 views
    Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

    Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

    • May 10, 2026
    • 9 views
    Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં