Rajkot: ભાજપે 150 દેવીપૂજક પરિવારોને અંધારામાં રાખ્યા, રોષે ભરાયેલા લોકો ધરણા કરવાની તૈયારીમાં

Rajkot: રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના રેવાણીયા ગામમાં શાળાની બાજુમાં વસતા 150 ગરીબ દેવીપૂજક પરિવારોને 35 વર્ષથી વીજળીનું જોડાણ મળ્યું નથી. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા આ પરિવારોને વીજ જોડાણ આપવામાં નિષ્ફળતા સર્જાઈ છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે પરિવારો વિંછીયા PGVCL કચેરી સામે ધરણા કરવાની તૈયારીમાં છે.

150 ગરીબ દેવીપુજક સમાજ વીજળી નહીં

ગુજરાત સરકાર દાવો કરે છે કે દરેક ઘર સુધી વીજળી પહોંચાડવાની યોજના અમલમાં છે. સરકારની નીતિ અનુસાર, જ્યાં દસ કે તેથી વધુ પરિવારોની વસાહત હોય ત્યાં વીજળીનું જોડાણ આપવું ફરજિયાત છે. જોકે, રેવાણીયા ગામના 150 પરિવારોની વસાહત હોવા છતાં, આ યોજનાનો અમલ થયો નથી.

ગુજરાતના 30 લાખ લોકો વીજળી વિનાના

2023ના આંકડા મુજબ, ગુજરાતમાં ઝૂંપડપટ્ટીઓમાં રહેતા 3,50,45,998 પરિવારો અને કુલ 16,80,000ની વસ્તી હતી. નીતિ આયોગની નેશનલ એનર્જી પોલિસીના ડ્રાફ્ટ અનુસાર, દેશભરમાં 30.4 કરોડ લોકો ઊર્જાથી વંચિત છે, જેમાંથી ગુજરાતના 1% હિસ્સા તરીકે 30 લાખ લોકો (અંદાજે 5 લાખ કુટુંબો) વીજળી વિના જીવન જીવે છે.કેન્દ્ર અને રાજ્ય સરકારના દાવાકેન્દ્ર સરકારે 2022 સુધીમાં દરેક ઘર સુધી વીજળી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું હતું.

વિધાનસભામાં કરાયો હતો દાવો

ગુજરાત વિધાનસભામાં દાવો કરવામાં આવ્યો હતો કે અમદાવાદ જિલ્લામાં 2022 સુધીમાં ઝૂંપડપટ્ટીઓમાં 5,767 વીજ જોડાણો આપવામાં આવ્યા. આ ઉપરાંત, મોરબી જિલ્લામાં ડિસેમ્બર 2022 સુધીમાં ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ 1,117 જોડાણો આપવામાં આવ્યા. પરંતુ રેવાણીયા ગામના દેવીપૂજક સમાજના પરિવારો આવી સુવિધાથી વંચિત રહ્યા છે.

સ્થાનિકોનો આક્રોશ

વીજળીના અભાવે રેવાણીયા ગામના બાળકોના શિક્ષણ, રોજિંદા જીવન અને આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. ગરીબ અને વંચિત વર્ગના આ પરિવારોનો આક્ષેપ છે કે સરકારની યોજનાઓ માત્ર કાગળ પર જ રહી છે. આ મુદ્દે વિંછીયા PGVCL કચેરી સામે ધરણા કરીને પોતાનો અવાજ ઉઠાવવાનો નિર્ણય લેવાયો છે.

તાત્કાલિક વીજજોડાણ આપવાની માંગ 

સ્થાનિક લોકોની માંગ છે કે PGVCL તાત્કાલિક રેવાણીયા ગામની વસાહતમાં વીજળીના જોડાણો આપે. ગુજરાત સરકારે પોતાની નીતિનું પાલન કરીને દસથી વધુ પરિવારોની વસાહતોમાં વીજળી પૂરી પાડવી જોઈએ. આ ઉપરાંત, ઝૂંપડપટ્ટી વીજળીકરણ યોજનાના અમલમાં પારદર્શિતા અને ઝડપ લાવવાની જરૂર છે. આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવામાં ન આવે તો ધરણા અને આંદોલન વધુ તીવ્ર બની શકે છે.

આ પણ વાંચો:

Rajkot: સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના સ્ટાફનું ગેરવર્તન, સિંગર મીરા આહિરે લગાવ્યા ગંભીર આક્ષેપ

Gujarat Rain Forecast: ગુજરાતના 11 જિલ્લામાં રેડ એલર્ટ, IMD દ્વારા ભારે વરસાદની આગાહી

UP: મહિલા હોસ્પિટલમાં સારવાર માટે ગઈ, કમ્પાઉન્ડર રુમમાં ઈજેક્શન મારવા લઈ ગયો, પછી કર્યું એવું કૃત્ય કે જાણી ચોંકી જશો!

Dog Residence Certificate: ‘નામ ડોગ બાબુ, પિતા-કુત્તા બાબુ, માતા-કુતિયા દેવી’, બિહારમાં શ્વાનને મળ્યું રહેણાક પ્રમાણપત્ર

Gujarat Weather Forecast: ગુજરાતમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, કામ વગર લોકોને ઘરની બહાર ન નીકળવા સલાહ

  • Related Posts

    Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?
    • December 16, 2025

    Gujarat Politics: ગુજરાતમાં તાજેતરમાં દારૂ અને ડ્રગ્સ મામલે કોંગ્રેસના હલ્લાબોલ બાદ ભાજપના નેતાઓએ અચાનક ચૂપકીદી સેવી લીધી છે અને હમણાં બધી ગતિવિધિઓ જાણે થંભી ગઈ હોય તેમ શાંત પડેલા માહોલ…

    Continue reading
    Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!
    • December 15, 2025

    Rape of a child: સૌરાષ્ટ્રમાં બોટાદ પંથકમાં એક 70 વર્ષના ભાભાએ 14 વર્ષની બાળા ઉપર રેપ કરી ગર્ભવતી બનાવી દીધી અને તેણે બાળકને જન્મ આપ્યાની ઘૃણાસ્પદ ઘટના બાદ હવે ભાવનગરમાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

    • December 16, 2025
    • 7 views
    Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

    Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

    • December 16, 2025
    • 4 views
    Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

    Mexico Plane Crash: મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

    • December 16, 2025
    • 7 views
    Mexico Plane Crash:  મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

    Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’

    • December 16, 2025
    • 16 views
    Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની  હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો  લીધો!’

    Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

    • December 16, 2025
    • 14 views
    Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં  દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

    BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

    • December 15, 2025
    • 10 views
    BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!