
UP: કાનપુરના દાદા નગરમાં રહેતા ઋષિ શર્માનો 11 વર્ષનો પુત્ર સ્વસ્તિક એક ખાનગી શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતો હતો.આ વખતે તેમના જન્મદિવસે તેમના પિતાએ તેમને ચાંદીની ચેઈન ભેટમાં આપી હતી. મંગળવારે સ્વસ્તિક ચાંદીની ચેઈન પહેરીને શાળાએ ગયો હતો અને તેને પોતાના યુનિફોર્મ લટકાવીને ફરતો હતો. આવી સ્થિતિમાં, સાથી વિદ્યાર્થીઓએ શિક્ષકને તેની ફરિયાદ કરી. શિક્ષકને લાગ્યું કે ચેઈન પડી શકે છે.તેથી શિક્ષકે તેને ચેઈન ઘરે માતા પિતાને આપી દેવા કહ્યુ હતુ.શિક્ષકે શિસ્તના ભાગરુપે કહ્યુ હતું કે ગળાની ચેઈન કાઢીને માતા પિતાને આપવી. ચેઈન કાઢતા બાળક ઘાયલ થયો હતો.પરિવારને આત્મહત્યા પર શંકા પણ પોલીસ પણ આને આત્મહત્યા માને છે.
કેવી રીતે કરી આત્મહત્યા ?
સ્વસ્તિક તેના મિત્રના ઘરેથી ઘરે પહોચ્યોં તે તેની દાદીના ઘરે જ જમતો હતો. પરંતુ જ્યારે તે ત્રણ વાગ્યા સુધી બપોરના ભોજન માટે ન આવ્યો, ત્યારે તેની દાદી તેની ખબર પૂછવા ગઈ. જ્યારે તેણે તેને જોયો, ત્યારે તે દરવાજાના કટકામાં લટકતોહતો. મૃતદેહ જોઈને ઘરમાં હોબાળો મચી ગયો .શિક્ષક કહે છે કે મેં ચેઈન તેની માતાને આપી હોત સારુ હતું પણ મેં વિચાર્યું ન હતું કે બાળક આટલું ગંભીર પગલું ભરશે.
પિતાને હત્યાની આશંકા
પિતા કહે છે કે શિક્ષકે બાળકની ચેઈન કાઢી નાખી હતી, તેથી તે ડરી ગયો હતો, પરંતુ જે રીતે તેનો મૃતદેહ લટકતો મળ્યો તે જોઈને લાગે છે કે કોઈએ તેની હત્યા કરી છે. તેના પગ જમીનને સ્પર્શતા હોવાથી તેનું ગળું દબાવવામાં આવ્યું હશે ગોવિંદ નગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રદીપ કુમાર સિંહ કહે છે કે અત્યાર સુધી તે આત્મહત્યા જેવું લાગે છે.
સંવેદનશીલ બાળકો નાની નાની બાવતે કરી રહ્યા છે આત્મહત્યા
મહત્વનું છે કે, અત્યારના સમયે શાળાના બાળકો એટલા સંવેદનશીલ બની ગયા છે કે નાની નાની બાબતોમાં આત્મહત્યા કરી રહ્યાં છે. અહીં માતાપિતાએ બાળકો પર યોગ્ય ધ્યાન આપવુ જરુરી છે.
આ પણ વાંચો:
Gujarat ATS: ગુજરાત ATS ને મળી મોટી સફળતા, અલકાયદાના માસ્ટર માઈન્ડ શમા પરવીની ધરપકડ
Russia Earthquack: રશિયા નજીક 8.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ભયાનક વીડિયો આવ્યા સામે









