
- અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ભારત-અમેરિકા પરમાણુ કરાર પર કરી મહત્વપૂર્ણ જાહેરાત
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને ભારત-અમેરિકા પરમાણુ કરાર સામે આવી રહેલી સમસ્યાઓને દૂર કરવાની વાત કરી છે.
તેમણે કહ્યું, “લગભગ 20 વર્ષ પહેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બુશ અને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે નાગરિક પરમાણુ કરારના સ્વપ્નદ્રષ્ટા વિચારનો પાયો નાખ્યો હતો, જેને હવે આપણે સંપૂર્ણ હકીકત બનાવવી પડશે.”
તેમણે કહ્યું, “અમે પ્રદૂષણ મુક્ત ઉર્જા ટેકનોલોજી પર કામ કરી રહ્યા છીએ, જેથી કરીને અમે કૃત્રિમ બુદ્ધિમત્તાના વિકાસને સક્ષમ બનાવી શકીએ અને ભારત અને અમેરિકામાં ઉર્જા કંપનીઓને તેમની નવી ટેકનોલોજીનો વિસ્તાર કરવામાં મદદ કરી શકીએ.”
સુલિવાને કહ્યું, “હું આજે જાહેરાત કરી શકું છું કે યુનાઇટેડ સ્ટેટ્સ હવે લાંબા સમયથી ચાલતા અવરોધોને દૂર કરવામાં વ્યસ્ત છે જેણે મોટા ભારતીય પરમાણુ પાવર પ્લાન્ટ્સ અને અમેરિકન કંપનીઓ વચ્ચે પરમાણુ સહયોગને અટકાવી રાખ્યો છે.”
જેક સુલિવાન ભારતની મુલાકાતે છે. આ પહેલા જેક સુલિવને સોમવારે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી.
આ પણ વાંચો- KATCH: બોરવેલમાં પડેલી યુવતી 490 ફૂટ ઊંડે હોવાનું કેમેરામાં કેદ, યુવતી જીવિત કે મૃત?