Yeti Narasimhanand News: ‘એક બાળકને જન્મ આપનારી માતા નાગિન જેવી’, યતિ નરસિંહાનંદનું વિવાદાસ્પદ નિવેદન

  • India
  • September 13, 2025
  • 0 Comments

Yeti Narasimhanand News: ઉત્તર પ્રદેશના ડાસના દેવી મંદિર પીઠાધીશ્વર યતિ નરસિંહાનંદ ગિરીનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. મુઝફ્ફરનગરના ગાંધીનગર સ્થિત શ્યામા-શ્યામ મંદિરમાં યોજાઈ રહેલા મા બગલામુખી મહાયજ્ઞના બીજા દિવસે, મહામંડલેશ્વર યતિ નરસિંહાનંદ સરસ્વતી બુધવારે ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનથી હેડલાઇન્સમાં આવ્યા. તેમણે કહ્યું કે જે માતા ફક્ત એક જ બાળકને જન્મ આપે છે તે નાગિન જેવી હોય છે. તે પોતાના બાળકને ગળી જાય છે. તેમણે હિન્દુઓને વધુ બાળકો પેદા કરવાની સલાહ આપી છે.

નાના પરિવાર પર ઉઠાવ્યા સવાલ

યતિ નરસિંહાનંદે કહ્યું કે આજકાલ સમાજમાં માતા-પિતા ફક્ત એક જ પુત્ર કે એક જ પુત્ર-પુત્રીને જન્મ આપ્યા પછી બંધ થઈ જાય છે. આ પ્રથા વેદ અને ધર્મની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે ભાઈ-બહેન વિના મોટા થતા બાળક સાથે કોણ લડશે? તેને કોણ મદદ કરશે? આ માતા અને પિતા બંનેની ભૂલ છે. સનાતન ધર્મ ત્યારે જ સુરક્ષિત રહેશે જ્યારે હિન્દુઓ વધુને વધુ બાળકો ઉત્પન્ન કરશે.

સ્ત્રીઓના આદર વિશે શું કહ્યું ?

મહાભારત યુદ્ધનું ઉદાહરણ આપતાં, યતિ નરસિંહાનંદ ગિરીએ કહ્યું કે આ યુદ્ધ રાણી દ્રૌપદીના અપમાનનો બદલો લેવા માટે લડવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે જે સમાજ પોતાની સ્ત્રીઓનું સન્માન નથી કરતો, તેનું અસ્તિત્વ નાશ પામે છે. મહાભારતમાં, દ્રૌપદીના અપમાન માટે માત્ર કૌરવો જ નહીં, પણ પાંડવોને પણ સજા આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે મહાભારત યુદ્ધ પછી, પાંડવોનો વંશ લગભગ નાશ પામ્યો હતો અને શ્રી કૃષ્ણ દ્વારા ફક્ત અભિમન્યુના બાળકને જ જીવન આપવામાં આવ્યું હતું.

લવ જેહાદનો ઉકેલ જણાવ્યો

પોતાના નિવેદનમાં મહામંડલેશ્વરે કહ્યું કે લવ જેહાદ જેવા રોગનો ઉકેલ ફક્ત શ્રીમદ્ ભગવદ ગીતામાં જ છે. બીજો કોઈ ઉકેલ નથી. તેમણે કહ્યું કે આજે હિન્દુઓની સૌથી મોટી સમસ્યા તેમની ઘટતી વસ્તી અને નાના પરિવારો છે. તેમણે ચેતવણી આપી હતી કે જો હિન્દુઓ વધુ બાળકો પેદા નહીં કરે, તો ભવિષ્યમાં ભગવાન પણ તેમને બચાવવા નહીં આવે. તેથી, આપણે અત્યારથી જ તે પરિસ્થિતિ માટે તૈયારી કરવી પડશે.

મહામંડલેશ્વરે વધુમાં જણાવ્યું હતું કે સનાતન ધર્મના અનુયાયીઓમાં, ખાસ કરીને ધનિક વર્ગે આગળ આવીને વસ્તી વધારવાની યોજના બનાવવી જોઈએ અને સમગ્ર સમાજને આ માટે પ્રેરણા આપવી જોઈએ. આ પ્રસંગે યતિ નરસિંહાનંદ તેમના શિષ્યો યતિ અભ્યાનંદ, યતિ ધર્માનંદ, ડૉ. યોગેન્દ્ર યોગી, મોહિત બજરંગી સાથે હાજર રહ્યા હતા. પંડિત સનોજ શાસ્ત્રી મહાયજ્ઞનું સંચાલન કરી રહ્યા છે.

શું માતા શકુંતલા પણ નાગિન હતા ?

નરસિંહાનંદ ગિરીએ આ નિવેદન આપીને માતાઓનું અપમાન કર્યું છે. હિન્દુ પૌરાણિક કથાઓમાં ઘણી માતાઓ છે જેમણે એક બાળકોને જન્મ આપ્યો છે જેમ કે માતા શકુંતલા જેમણે ભરતને જન્મ આપ્યો, તો શું માતા શકુંતલા પણ નાગિન હતા ? આમ કોઈ માતા એક બાળકને જન્મ આપે છે તો તેને નાગિન ગણાવવી તે માતાઓનું અપમાન નથી ?

આ પણ વાંચો:  

Gujarat Rain: આજે રાજ્યના 5 જિલ્લાઓમાં યલો એલર્ટ, માછીમારોને દરિયામાં ન જવાની સલાહ

Earthquake in Russia: રશિયામાં જોરદાર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતા નોંધાઈ

Gujarat News: ગુજરાતમાં 15 લાખ વાહનોમાં ડ્રાઈવરની વિગતો નહીં, મુસાફરોની સુરક્ષા પર સવાલ

General Munir : ‘અમને છેડશો તો અડધી દુનિયા ખતમ થઈ જશે’ : જનરલ મુનીરની ધમકીમાં કેટલો દમ?

Surat: કાકરાપાર જમણાંકાંઠા નહેર બંધના વિરોધમાં 10 હજાર ખેડૂતો કાઢશે રેલી, સિંચાઈ વિભાગનો કરશે ઘેરાવ

 IND vs PAK: ભારત-પાકિસ્તાન હાઇ-વોલ્ટેજ મેચની અડધી ટિકીટો પણ ના વેચાઈ, સોશિયલ મીડિયા પર #BoycottAsiaCup ટ્રેન્ડ

Related Posts

Modi Press Conference: 12 વર્ષમાં ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ કેમ નહીં? PM મોદીને લઈને વિપક્ષના ગંભીર સવાલો
  • August 25, 2026

Modi Press Conference: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેસ કોન્ફરન્સથી દૂર રહેવાની રાજકીય ચર્ચા ફરી તેજ બની છે. ખાસ કરીને વિદેશ પ્રવાસ દરમિયાન પણ તેઓ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોના સીધા સવાલોના જવાબ…

Continue reading
Indian Elderly Frailty: ઘી-દૂધથી નહીં, આદતોથી નક્કી થાય છે વૃદ્ધાવસ્થા? ભારતના પોતાના ડેટાનો મોટો ખુલાસો
  • August 25, 2026

Indian Elderly Frailty: સોશિયલ મીડિયા પર ઘણીવાર 70 વર્ષની વિદેશી મહિલાને મેરાથોન દોડતી, 75 વર્ષના વ્યક્તિને જિમમાં વજન ઉઠાવતાં અથવા 80 વર્ષની મહિલાને સાઇકલિંગ અને હાઇકિંગ કરતાં જોવામાં આવે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi Press Conference: 12 વર્ષમાં ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ કેમ નહીં? PM મોદીને લઈને વિપક્ષના ગંભીર સવાલો

  • August 25, 2026
  • 5 views
Modi Press Conference: 12 વર્ષમાં ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ કેમ નહીં? PM મોદીને લઈને વિપક્ષના ગંભીર સવાલો

Indian Elderly Frailty: ઘી-દૂધથી નહીં, આદતોથી નક્કી થાય છે વૃદ્ધાવસ્થા? ભારતના પોતાના ડેટાનો મોટો ખુલાસો

  • August 25, 2026
  • 6 views
Indian Elderly Frailty: ઘી-દૂધથી નહીં, આદતોથી નક્કી થાય છે વૃદ્ધાવસ્થા? ભારતના પોતાના ડેટાનો મોટો ખુલાસો

Rahul-Kharge letter Modi: જનગણના 2027માં જાતિ ગણતરીની પદ્ધતિ સામે રાહુલ ગાંધી અને ખડગેનો વાંધો, PM મોદીને લખ્યો પત્ર

  • August 25, 2026
  • 6 views
Rahul-Kharge letter Modi: જનગણના 2027માં જાતિ ગણતરીની પદ્ધતિ સામે રાહુલ ગાંધી અને ખડગેનો વાંધો, PM મોદીને લખ્યો પત્ર

Vande Mataram Controversy: રોજગાર અને મોંઘવારી છોડીને વંદે માતરમ પર ભાર કેમ? ભાજપની રાજનીતિ સામે વિપક્ષનો સવાલ

  • August 25, 2026
  • 7 views
Vande Mataram Controversy: રોજગાર અને મોંઘવારી છોડીને વંદે માતરમ પર ભાર કેમ? ભાજપની રાજનીતિ સામે વિપક્ષનો સવાલ

Congress MLA CSR statement: ‘રસ્તા ખરાબ છે તો CSR ફંડ આપો!’ કોંગ્રેસ ધારાસભ્યના નિવેદનથી ઉઠ્યા મોટા સવાલ

  • August 25, 2026
  • 7 views
Congress MLA CSR statement: ‘રસ્તા ખરાબ છે તો CSR ફંડ આપો!’ કોંગ્રેસ ધારાસભ્યના નિવેદનથી ઉઠ્યા મોટા સવાલ

Ram Rahim Parole: બળાત્કારના દોષીને ફરી પેરોલ! રામ રહીમ 17મી વખત બહાર, પેરોલ પર ફરી ઉઠ્યા સવાલ

  • August 25, 2026
  • 6 views
Ram Rahim Parole: બળાત્કારના દોષીને ફરી પેરોલ! રામ રહીમ 17મી વખત બહાર, પેરોલ પર ફરી ઉઠ્યા સવાલ