Dahod: દાહોદ જિલ્લામાં રાજકીય ગરમાવો, દેવગઢબારીઆ નગરપાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત

Dahod: દાહોદ જિલ્લાના દેવગઢબારીઆ નગરપાલિકામાં રાજકીય માહોલ તંગ બન્યો છે. નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ આઠ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી દીધી છે. જેનું મુખ્ય કારણ તરીકે શહેરમાં પાણીની અભાવને દર્શાવવામાં આવ્યું છે, જેના કારણે નાગરિકોમાં અસંતોષ વધ્યો છે. જોકે, પ્રમુખ કલાલે આ દરખાસ્તને નકારી કાઢી છે અને કહ્યું છે કે તેમની પાસે પૂરતો સમર્થન છે.

દેવગઢબારીઆ પાલિકા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત

નગરપાલિકામાં કુલ 24 સભ્યો છે, જેમાંથી આઠ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી છે. આ દરખાસ્તનું મુખ્ય કારણ શહેરમાં પાણીની સુવિધાનો અભાવ છે. છેલ્લા સાત મહિનામાં પાણી પુરવઠાની વ્યવસ્થા થઈ નથી, જેના કારણે નાગરિકોને મુશ્કેલી પડી રહી છે. સભ્યોનું કહેવું છે કે આ સમસ્યાને ઉકેલવામાં પ્રમુખની ઉદાસીનતા કારણે આ પગલું લેવું પડ્યું છે.અવિશ્વાસ દરખાસ્ત કરનારા સભ્યોમાં કેટલાકને વિકાસ કાર્યોમાં અડચણોનો પણ સામનો કરવો પડ્યો છે. તેઓએ જણાવ્યું કે કેટલાક સભ્યોના વાજબી અને જરૂરી કાર્યો પૂર્ણ થતા નથી, જેના કારણે નગરના વિકાસને અવરોધ થઈ રહ્યો છે. આ વિવાદને કારણે નગરપાલિકાની બેઠકોમાં તણાવ વધ્યો છે અને રાજકીય ગઠબંધનો પર પણ પ્રશ્નો ઉભા થયા છે.

પ્રમુખ ધર્મેશ કલાલે શું કહ્યું?  

પ્રમુખ ધર્મેશ કલાલે આ મુદ્દે વાત કરતા કહ્યું, “આ અવિશ્વાસની દરખાસ્ત કેટલાક સભ્યોના ગેરવાજબી કામો ન થવાને કારણે કરવામાં આવી છે. નગરપાલિકામાં ૨૪ સભ્યોમાંથી દરખાસ્ત કરનારાઓમાં મારા ત્રણ સભ્યો પણ છે, પરંતુ બાકીના ૧૬ સભ્યો મારી સાથે જ છે. આ દરખાસ્તને હું નકારી કાઢું છું અને તેને રાજકીય ષડયંત્ર તરીકે જોઉં છું.” કલાલે વધુમાં જણાવ્યું કે પાણીની સમસ્યા માટે તેઓ વહીવટી અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને ટૂંક સમયમાં ઉકેલ નીકળશે.

આગામી બેઠકમાં લેવાશે નિર્ણય  

આ વિવાદને કારણે દેવગઢબારીઆના રાજકીય વર્તુળોમાં ચર્ચા વધી ગઈ છે. જો અવિશ્વાસની પ્રક્રિયા આગળ વધી તો નગરપાલિકાના વહીવટ પર નવી અસર પડી શકે છે. જિલ્લા વહીવટી અધિકારીઓ આ દરખાસ્તની તપાસ કરીને આગામી બેઠકમાં નિર્ણય લેશે. નાગરિકો આ મુદ્દે પ્રમુખ તરફેણે વલણ અપનાવી રહ્યા છે અને વિકાસ કાર્યોની ઝડપી પ્રગતિની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: 

 Gujarat politics: AAP નું એલાન, સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં, ઈશુદાને જાહેર કરી રણનીતિ

Gold prices:  સોનાના ભાવો આસમાને પહોંચતા હવે મધ્યમ વર્ગ માટે સોનુ ખરીદવું અશક્ય બન્યું! રોકેટ ગતિએ ભાવો વધવાનું આ છે કારણ,વાંચો

પવન સિંહે મારો ગર્ભપાત કરાવ્યો, મને ગોળીઓ ખડાવી, ભોજપુરી સ્ટારની પત્નીના ગંભીર આરોપ | Pawan Singh’

 

UP: પુત્રએ દરવાજો ખોલતાં જ માતાને લોહીના ખાબોચીયામાં જોઈ, 20 વર્ષનો ભાઈ ગુમ, આખરે લખનૌમાં શું થયું?

UP: મુસ્લિમ છોકરીઓની સેના બનાવીને મોહમ્મદ રઝા શું કરવા માંગતો હતો?

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bangladesh Ram Statue Controversy: બાંગ્લાદેશમાં રામ પ્રતિમા વિવાદ, સાંપ્રદાયિક તણાવ વધતા હિન્દુ હોમલેન્ડની માંગ

  • June 29, 2026
  • 3 views
Bangladesh Ram Statue Controversy: બાંગ્લાદેશમાં રામ પ્રતિમા વિવાદ, સાંપ્રદાયિક તણાવ વધતા હિન્દુ હોમલેન્ડની માંગ

Bangladesh-China Relations: તારિક રહેમાનની ચીન યાત્રા, ભારત માટે પ્રાદેશિક વ્યૂહરચનાના નવા પડકારો

  • June 29, 2026
  • 8 views
Bangladesh-China Relations: તારિક રહેમાનની ચીન યાત્રા, ભારત માટે પ્રાદેશિક વ્યૂહરચનાના નવા પડકારો

Indian Asylum Application Rejection: ખોટા આશ્રય દાવાઓ અને ઇમિગ્રેશન ફ્રોડ સામે કેનેડા-ન્યૂઝીલેન્ડની કાર્યવાહી તેજ

  • June 29, 2026
  • 12 views
Indian Asylum Application Rejection: ખોટા આશ્રય દાવાઓ અને ઇમિગ્રેશન ફ્રોડ સામે કેનેડા-ન્યૂઝીલેન્ડની કાર્યવાહી તેજ

VB-G RAM G Scheme: મનરેગાનું સ્થાન લેશે નવી રોજગાર યોજના, ભાજપ શાસિત રાજ્યો જ કેમ કરી રહ્યા છે વિરોધ?

  • June 29, 2026
  • 10 views
VB-G RAM G Scheme: મનરેગાનું સ્થાન લેશે નવી રોજગાર યોજના, ભાજપ શાસિત રાજ્યો જ કેમ કરી રહ્યા છે વિરોધ?

North-East India: આસામ-નાગાલેન્ડ સરહદ વિવાદથી લઈને મણિપુર હિંસા અને ત્રિપુરા પોલીસ અત્યાચાર સુધી, ઉત્તર-પૂર્વ ભારતમાં રાજકીય અને સામાજિક સંકટો વધુ ગહન બન્યા

  • June 29, 2026
  • 10 views
North-East India: આસામ-નાગાલેન્ડ સરહદ વિવાદથી લઈને મણિપુર હિંસા અને ત્રિપુરા પોલીસ અત્યાચાર સુધી, ઉત્તર-પૂર્વ ભારતમાં રાજકીય અને સામાજિક સંકટો વધુ ગહન બન્યા

Sonam Wangchuk Hunger Strike: શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓ સામે સોનમ વાંગચુકનો મોરચો, કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે ઉપવાસ

  • June 29, 2026
  • 10 views
Sonam Wangchuk Hunger Strike: શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓ સામે સોનમ વાંગચુકનો મોરચો, કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે ઉપવાસ