Rajkot: ભાજપના બેનરમાં PM મોદીના મોઢા ઉપર કાળો કૂચડો ફેરવી દેવાતા ચકચાર,તાત્કાલિક બેનર હઠાવાયુ!

  • Gujarat
  • October 15, 2025
  • 0 Comments

Rajkot: ગુજરાત ભાજપમાં છેલ્લા ઘણાજ સમયથી અસંતોષની ઘટનાઓ બની રહી છે નવા બનેલા ભાજપ અધ્યક્ષ હજુતો બરાબર ખુરશી સંભાળેતે પહેલાં શિસ્તના ધજાગરા ઉડતા બનાવો સામે આવી રહયા છે બીજી તરફ મંત્રીમંડળમાં થનારા વિસ્તરણ મામલે નેતાઓમાં અસમંજસની સ્થિત વચ્ચે ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે રાજકોટ પહોંચે તે પહેલાં જ ભાજપના બેનરમાં મોદીજીના મોઢા ઉપર કોઈ ઇસમે કાળો કૂચડો ફેરવી દેતા ભારે ચકચાર મચી ગઇ છે.

જગદીશ પંચાલ હાલ ગુજરાતનો પ્રવાસ ખેડી રહયા છે જે અંતર્ગત તેઓની આજે રાજકોટની મુલાકાત લેનાર છે અને અહીંના રેસકોર્સ ખાતે કાર્યકર્તાઓનું સંબોધન કરવાના છે તેવે સમયે ભાજપના એક બેનરમાં વડાપ્રધાન મોદીના ફોટા ઉપર કોઈ મોઢા ઉપર કાળી શાહી લગાવી દેતા ભારે ચકચાર મચી છે જોકે,ઘટનાની જાણ થતાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મનપાની ટીમે અગમચેતી વાપરી તાત્કાલિક બેનર હઠાવી દીધું હતું.

ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની આજની રાજકોટ મુલાકાત સમયે અહીંના ગ્રીનલેન્ડ ચોકડીથી રેસકોર્સ સુધી તેમના સ્વાગત માટેના વિશાળ બેનરો લગાવવામાં આવ્યા છે જે પૈકી બહુમાળી ચોક નજીક લગાવવામાં આવેલા એક બેનરમાં વડાપ્રધાન મોદીના ફોટામાં મોઢા ઉપર અજાણ્યા શખ્સોએ કાળી શાહી લગાવી છે. આ ઘટનાને લઈને રાજકારણ ગરમાયુ છે.રાજકોટ શહેર ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખને આવકાર આપવા માટે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે સાંજે 5:30 વાગ્યાથી સભા યોજનાર છે.

પ્રદેશ પ્રમુખ તરીકે તેઓ પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે અને તેમના સત્કાર માટે રાજકોટ શહેર જિલ્લા અને મોરબી જિલ્લાના કાર્યકરો ઉપસ્થિત રહેશે,હાલતો ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં મુલાકાતો શરૂ કરી છે અને તેમનો પ્રવાસ ચાલુ રહેશે પણ આ સમયગાળા દરમિયાન જ મંત્રીમંડળનું વિસ્તરણ થવાની શકયતા છે જેમાં માનવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ લગભગ ધનતેરસના દિવસે નિશ્ચિત મનાઈ રહ્યું છે.

મહત્વનું છે કે રાજ્યપાલ આચાર્ય દેવરત હાલ 17 ઓક્ટોબર સુધી ગુજરાત બહાર કુરુક્ષેત્રના પ્રવાસે છે જેઓ પોતાના વતનમાં 16 તારીખ સુધી રહેશે ત્યારબાદ તા.17 મીએ મહારાષ્ટ્રમાં રાજ્યપાલ તરીકેનો તેમનો કાર્યક્રમ છે જે અગાઉથીજ નકકી થયેલો કાર્યક્રમ છે.ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવરજ પાસે મહારાષ્ટ્રનો પણ ચાર્જ હોવાથી 17 તારીખના કાર્યક્રમમાં ફરજિયાત હાજરી આપવી પડશે જેથી મનાય રહ્યું છે કે રાજ્યપાલનો પ્રવાસ ટુંકાવામાં ન આવે તો તા.18મીએ ધનતેરસ કે બીજા દિવસે મંત્રીમંડળનું વિસ્તરણ શક્યતાઓ છે જે દિવાળી પહેલાજ થવાની વાત હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. આવા સમયે રાજકોટમાં મોદીજીના મોઢા ઉપર કોઈએ કાળો કૂચડો ફેરવી દેતા મામલો ગરમાયો છે જોકે,આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નહીં થતાં કોઈ ગુનો દાખલ થયો નથી.

આ પણ વાંચો:

Gujarat News:  કેવડીયામાં રાજાઓનું ભવ્ય ઐતિહાસિક મ્યુઝિયમ બનાવવાની કવાયત શરૂ! સરદાર પટેલની પ્રતિમા બન્યા બાદ ઉઠી હતી માંગ

Dahod માં 55 ગધેડાની ચોરીની ફરિયાદ, પોલીસ પણ ચોંકી ગઈ!

Vadodara: બે લક્ઝરી બસ વચ્ચે ભયંકર અકસ્માત, બે મુસાફરોના મોત

Botad: હડદડમાં ભારે હિંસા બાદ AAP નેતાઓ સહિત 85 લોકો સામે નામજોગ FIR, જુઓ

Botad: હવે રિપોર્ટીંગ કરવું પણ ગુનો છે? BS9ની મહિલા પત્રકાર સાથે પોલીસનું ગેરવર્તન

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 2 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 3 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 8 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 7 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 10 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત