Pakistan-Afghanistan: પાકિસ્તાને કહ્યું,”અફઘાનિસ્તાન સાથે જૂના સંબંધોનો યુગ સમાપ્ત!તાત્કાલિક દેશ છોડી ભારત જતા રહેવા કર્યું ફરમાન!!”

  • World
  • October 18, 2025
  • 0 Comments

Pakistan-Afghanistan: પાકિસ્તાન હવે દાદાગીરી ઉપર ઉતર્યું છે અને જેમ ફાવે તેવા નિવેદન કરી રહ્યું છે, પાક સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ફરી એકવાર અફઘાનિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે પાકિસ્તાનમાં રહેતા તમામ અફઘાનોએ તેમના દેશમાં પાછા ફરવું જોઈએ.તેમણે ઉમેર્યું કે અફઘાનિસ્તાન સાથે જૂના સંબંધોનો યુગ હવે સમાપ્ત થઈ ગયો છે.

આસિફે ઉમેર્યુ કે “અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે ઘણા વર્ષોથી સંબંધ છે. પરંતુ અમારી સાથે તેમના સંબંધો ક્યારેય સારા રહ્યા નથી. તેમ છતાં, લાખો લોકોએ અમારી જમીન પર આશરો લીધો છે. જો તેમના ભારત સાથે આટલા સારા સંબંધો છે, તો પછી પાકિસ્તાનમાં રહેતા અફઘાન લોકો ભારતમાં જતુ રહેવું જોઈએ તેઓ ભારતમાં સ્થળાંતર કેમ નથી કરી જતા?”

આસિફે આગળ કહ્યું, “પાકિસ્તાનમાં રહેતા અફઘાનિસ્તાનીઓ બોજ બની ગયા છે અને અહીં અમારી પાસે અમારા પોતાના પાકિસ્તાનના લોકો માટે પૂરતા સંસાધનો નથી ત્યાં તેમને ક્યાં અહીં સાચવવા? આપણે ક્યારેય મિત્ર નહોતા, છતાં આપણે પડોશી તરીકે આપણી ફરજ નિભાવી.હવે ભારતે તેમને આશ્રય આપવો જોઈએ.આફિસે કહ્યું, “અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન પહેલા પણ અમારા સંબંધો સારા નહોતા.”

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તાલિબાનો દિલ્હીથી નિર્ણયો લેતા હોવાનો આરોપ લગાવ્યો હતો, અને અફઘાનિસ્તાન પર ભારત માટે પ્રોક્સી યુદ્ધ ચલાવવાનો આરોપ લગાવ્યો હતો.

જીઓ ન્યૂઝ સાથે વાત કરતા, આસિફે તાલિબાન સાથેના યુદ્ધવિરામ પર કહ્યું હતું કે, ‘અફઘાન તાલિબાનને દિલ્હી તરફથી સમર્થન મળી રહ્યું છે.’

તેમણે ચેતવણી આપી હતી કે જો પાકિસ્તાનને ઉશ્કેરવામાં આવશે તો લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે. આસિફે કહ્યું, “અમારી પાસે જવાબ આપવાની સંપૂર્ણ ક્ષમતા છે. જો તેઓ યુદ્ધ વધારશે તો અમે હુમલો કરીશું.
જોકે,આ બધી વાતો વચ્ચે પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન ઉપર ફરી એર સ્ટ્રાઈક કરવામાં આવી છે,પાકિસ્તાને અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલો કરતા ત્રણ ક્લબ ક્રિકેટ ખેલાડી સહિત 17 લોકો માર્યા ગયા હતા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)એ ઘટનાની પુષ્ટિ કરી હતી. આ હુમલામાં 16 લોકો ઘાયલ પણ થયા હતા.

આ ઘટનાના જવાબમાં, ACBએ નવેમ્બરમાં પાકિસ્તાનમાં યોજાનારી ટ્રાઇ-T20 શ્રેણીમાંથી ખસી જવાની જાહેરાત કરી. ACBએ જણાવ્યું કે માર્યા ગયેલા ક્રિકેટરોના સન્માનમાં આ પગલું લેવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકાની ટીમો ભાગ લેવાની હતી. આમ,હવે પાકિસ્તાન બેફામ વાણી વિલાસ અને હુમલા કરવા ઉપર ઉતરી આવતા ઇન્ટર નેશનલ લેવલ ઉપર બેજવાબદાર શાશન અંગેની વાતો ઉઠી રહી છે.

આ પણ વાંચો:

Dhanteras 2025:  આજે ધનતેરસ પર દેવી લક્ષ્મીમાં અને કુબેરજીના આશીર્વાદ મેળવવા જાણો, દિવા પ્રગટાવવાનું મહત્વ, સમય અને મુહુર્ત

Dhanteras 2025:  આજે ધનતેરસ પર દેવી લક્ષ્મીમાં અને કુબેરજીના આશીર્વાદ મેળવવા જાણો, દિવા પ્રગટાવવાનું મહત્વ, સમય અને મુહુર્ત

Former PM of Australia:  ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન ટોની એબોટે ટ્રમ્પને પાકિસ્તાન સાથે નહિ પણ ભારત સાથે દોસ્તી વધારવા આપી સલાહ

Pakistan Afghanistan Conflict: પાકિસ્તાને મંત્રણા પહેલાં જ અફઘાનિસ્તાન ઉપર ફરી એર સ્ટાઈક કરતા ત્રણ ક્લબ ક્રિકેટ ખેલાડીઓ સહિત 10 લોકોના મોત

Related Posts

Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો
  • June 23, 2026

Indian Students Abroad: લાખોનું દેવું કરીને, વતન છોડીને અને માતા-પિતાના આંખમાં રહેલા સપનાઓને સાચવીને વિદેશ ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ આજે એક એવી કરુણ સ્થિતિમાં મુકાયા છે, જેના વિશે તેમણે ક્યારેય વિચાર્યું…

Continue reading
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો
  • June 19, 2026

US-Iran Deal: ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયેલો વૈશ્વિક તણાવ, જે એક સમયે ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા જન્માવી રહ્યો હતો, તે ૧૮ જૂને એક અચાનક અને આશ્ચર્યજનક વળાંક સાથે સમાપ્ત થયો છે. જે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?

  • June 25, 2026
  • 2 views
UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?

Modi Foreign Policy: મોદીની વિદેશ નીતિ સોશિયલ મીડિયા સુધી સીમિત? વિશ્વગુરુના દાવા વચ્ચે ભારતની વૈશ્વિક ભૂમિકા પર સવાલ

  • June 25, 2026
  • 4 views
Modi Foreign Policy: મોદીની વિદેશ નીતિ સોશિયલ મીડિયા સુધી સીમિત? વિશ્વગુરુના દાવા વચ્ચે ભારતની વૈશ્વિક ભૂમિકા પર સવાલ

Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી

  • June 25, 2026
  • 5 views
Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી

Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

  • June 24, 2026
  • 7 views
Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

  • June 24, 2026
  • 5 views
Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

  • June 24, 2026
  • 4 views
Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી