
Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અંગે મહાગઠબંધનની મુશ્કેલીઓ વધી છે. મહાગઠબંધનના ઘટક પક્ષો સાત બેઠકો પર આમને-સામને છે. જેમ કે લાલગંજ, વૈશાલી, રાજપાકર, બચવારા, રોસેરા, બિહાર શરીફ અને સિકંદરા.
પ્રથમ તબક્કામાં નામાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે બીજા તબક્કામાં સિકંદરા બેઠકને લઈને એક નવો રાજકીય ઘર્ષણ ઉભરી આવ્યું છે. કોંગ્રેસ અને આરજેડી બંનેએ આ બેઠક માટે ઉમેદવારો ઉભા રાખ્યા છે. કોંગ્રેસના વિનોદ ચૌધરીને સિકંદરાથી સત્તાવાર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ઉદય નારાયણ ચૌધરીએ પણ આરજેડીના પ્રતીક પર પોતાનું નામાંકન દાખલ કર્યું છે.
તેવી જ રીતે કોંગ્રેસે લાલગંજ બેઠક માટે આદિત્ય કુમાર રાજાને ઉમેદવાર બનાવ્યા, પરંતુ થોડા કલાકો પછી આરજેડીએ શિવાની શુક્લાને ટિકિટ આપી. બછવાડામાં ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ થયું છે, જ્યારે કહલગાંવ અને રાજપાકરમાં, બંને પક્ષો વચ્ચે મૈત્રીપૂર્ણ લડાઈ જોવા મળી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકોની વહેંચણી પર સર્વસંમતિ ન થવાને કારણે એક જ ગઠબંધનના ઉમેદવારોએ ઘણી બેઠકો માટે ઉમેદવારી નોંધાવી છે. આનાથી મહાગઠબંધનની એકતા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. રાજકીય નિષ્ણાતો કહે છે કે કોંગ્રેસ આ વખતે વધુ કડક વલણ અપનાવી રહી હોય તેવું લાગે છે. પાર્ટીએ અગાઉ RJDની ગણાતી બેઠકો પર પણ દાવો કર્યો છે. દરમિયાન, RJD પણ પોતાની સંખ્યા ઘટાડવા માટે તૈયાર નથી, જેના કારણે સંકલન ખોરવાઈ ગયું છે.
મહાગઠબંધનમાં નાના પક્ષો, જેમ કે VIP અને ડાબેરીઓની વધતી માંગણીઓએ પણ સમીકરણને જટિલ બનાવ્યું છે. હવે જ્યારે NDA એ બધી 243 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે અને મેદાનમાં ઉતરી ગયા છે, ત્યારે મહાગઠબંધનમાં મૈત્રીપૂર્ણ લડાઈએ સંગઠનાત્મક નબળાઈઓ અને સંકલનના અભાવને છતી કરી છે.
આ પણ વાંચો:
Bihar politics: ગુજરાત ‘ઠારવા’ જતાં બિહારમાં ભૂકંપ, અમિત શાહ કેમ અચાનક બિહાર દોડ્યા?
Ceasefire: આખરે પાકિસ્તાન- અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત, કોણે કરી મધ્યસ્થી?
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
Ceasefire: આખરે પાકિસ્તાન- અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત, કોણે કરી મધ્યસ્થી?








