Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

Chhath Puja in Delhi: આમ આદમી પાર્ટી(AAP) એ દિલ્હીમાં છઠ પૂજાને લઈને મોદી સરકારની પોલ ખોલી છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે વાસુદેવ ઘાટ પર “ફિલ્ટર કરેલા પાણી” થી “કૃત્રિમ યમુના” બનાવવામાં આવી છે, જ્યાં વડા પ્રધાન પૂજામાં ભાગ લેવાના છે. કારણ કે યમુનાનું પાણી ખૂબ ગંદુ છે. જો વડાપ્રધાન તેવા પાણીથી સ્નાન કરે તો કોઈ પણ બિમારી થવાનો ભય રહેલો છે. જેથી વડાપ્રધાનને કોઈ મુશ્કેલી ના પડે તે માટે એક કૃત્રિમ પાણીનો ઘાટ બનાવી દેવામાં આવ્યો છે. જો કે આ કૃત્રિમ ઘાટે ભાજપની ફજેતી કરી નાખી છે. કારણે આ ઘટના અનેક વીડિયો વાયરલ થયા છે.

દિલ્હીમાં છઠ પૂજાને લઈને રાજકીય વિવાદ વધી ગયો છે. આમ આદમી પાર્ટી (AAP)એ દિલ્હીની ભાજપ સરકાર પર વાસુદેવ ઘાટ પર “ફિલ્ટર કરેલા પાણી” થી “કૃત્રિમ યમુના” બનાવવાનો આરોપ લગાવ્યો છે, જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પૂજામાં ભાગ લેવાના છે. ભાજપે આ આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા છે અને AAPના આરોપોને ફગાવી દીધા છે. ભાજપે કહ્યું કે વિપક્ષ નદી કિનારાને સાફ કરવાના પ્રયાસો સામે વાંધો ઉઠાવીને રાજકારણ રમી રહ્યું છે.

બીજી તરફ AAP દિલ્હીના વડા સૌરભ ભારદ્વાજે પોતે આ “કૃત્રિમ યમુના” યમુના અંગે વીડિયો બનાવ્યો છે. જેમાં તે બતાવે છે યમુનાના કિનારે “કૃત્રિમ યમુના” બનાવવામાં આવી છે. જેમાં ફિલ્ટર કરેલું પાણી નાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ કામ જોઈ ના જાય તે માટે આડાસ પણ લગાવી દીધી છે. વીડિયો બનાવ્યા બાદ તેમણએ પત્રકાર પરિષદ પણ સંબોધી હતી.

રવિવારે યોજેલી પત્રકાર પરિષદમાં સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો કે ભાજપે વાસુદેવ ઘાટ પર “નકલી યમુના” બનાવી છે. તેમણે કહ્યું કે દિલ્હીને પીવાનું પાણી પૂરું પાડતા વઝીરાબાદ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ફિલ્ટર કરેલું પાણી ચોરી છૂપેથી કૃત્રિમ ઘાટમાં નાખ્યું. વધુમાં ભારદ્વાજે કહ્યું, “ભાજપ ટૂંક સમયમાં દિલ્હી અને દેશવાસીઓ માટે વધુ એક નાટક કરવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફિલ્ટર કરેલા યમુનામાં ડૂબકી લગાવીને લોકોને બતાવશે કે ભાજપે યમુનાને સાફ કરી દીધી છે.” તેમણે કહ્યું કે આ ફક્ત એક શો છે.

આ “કૃત્રિમ યમુના”ને લઈ AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે “ભાજપે દિલ્હીમાં છઠ ઉત્સવ સાથે જોડાયેલી ઊંડી ધાર્મિક લાગણીઓની મજાક ઉડાવી છે.”

આ જ મુદ્દે જુઓ વધુ ચર્ચા આ વીડિયોમાં

આ પણ વાંચો:

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

Related Posts

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!
  • March 19, 2026

MODI: નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ 2011-12 દરમિયાન રાજ્યપાલના હસ્તક્ષેપ મામલે સખત વિરોધ કરતા હતા અને પોતાના ભાષણો દરમિયાન આ વાતને મુદ્દો બનાવતા હતા.આજે જ્યારે તેઓ પોતે…

Continue reading
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ
  • March 19, 2026

America: અમેરિકામાં ભારતના RSS અને R&AW સંસ્થાઓ પર પ્રતિબંધ મુકવાની ભલામણ યુએસ સરકારની એક પેનલ દ્વારા કરવામાં આવી છે. ■ આ ભલામણ કોણે કરી? ‘યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલીજિયસ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 3 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 7 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 15 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 4 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 12 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!