OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

  • World
  • October 29, 2025
  • 0 Comments

ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) એ પાકિસ્તાનની ભાષા બોલવાનું શરૂ કરી દીધું છે,તેણે ભારતના અભિન્ન અંગ જમ્મુ અને કાશ્મીર મામલે ઝેર ઓક્યું છે અને વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. OIC ના જનરલ સેક્રેટરીએટલે કહ્યું છે કે ભારત કાશ્મીર પર ગેરકાયદેસર રીતે કબજો કરી રહ્યું છે.

આ પહેલા પણ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ કાશ્મીર વિશે ખુલ્લેઆમ જુઠ્ઠાણા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો જેને OIC સમર્થન કરતું હોય તે રીતે વ્યવહાર કરી રહ્યું છે.

ANIના અહેવાલ મુજબ, OIC એ એક નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે ભારત જમ્મુ અને કાશ્મીર પર ગેરકાયદેસર રીતે કબજો કરી રહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “27 ઓક્ટોબર, 2025 એ જમ્મુ અને કાશ્મીર પર ભારતના કબજાના 78 વર્ષ પૂરા થાય છે,આ અવસર પર ઇસ્લામિક સહકાર સંગઠન જમ્મુ અને કાશ્મીરના લોકોના સ્વ-નિર્ણયના અધિકારનો પુનરોચ્ચાર કરે છે અને ભારતને જમ્મુ અને કાશ્મીરના લોકોના મૂળભૂત માનવ અધિકારોનું સન્માન કરવા વિનંતી પણ કરે છે.”

યુએનના ઠરાવોનો ઉલ્લેખ કરીને, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કન્ટ્રીઝ (OIS) એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “જનરલ સેક્રેટરીએટ એ વાત પર પણ ભાર મૂકે છે કે જમ્મુ અને કાશ્મીર અંગેના વિવાદનો ઉકેલ યુએન સુરક્ષા પરિષદના ઠરાવો અનુસાર થવો જોઈએ.”

OIC પાકિસ્તાનમાં હિંસા પર મૌન  

OIC વારંવાર તેના બેવડા ધોરણો દર્શાવે છે. તે ભારત વિરુદ્ધ બોલે છે, પરંતુ પાકિસ્તાનમાં હિંસા પર મૌન રહે છે. તેણે કાબુલમાં પાકિસ્તાની હુમલા અને બલૂચ લોકોના ગુમ થવા જેવા મુદ્દાઓ પર કોઈ નિવેદન બહાર પાડ્યું નથી તે પાકિસ્તાનમાં લઘુમતીઓ સામેની દૈનિક હિંસા પર પણ મૌન રહે છે.

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે 27 ઓક્ટોબરનો ઉલ્લેખ કરીને દાવો કર્યો હતો કે ભારતે કાશ્મીર પર કબજો કરી લીધો છે, પરંતુ X એ તેમના જુઠાણાનો પર્દાફાશ કર્યો. તેમણે હકીકતોની તપાસ કરી અને જાહેર કર્યું કે જમ્મુ અને કાશ્મીરના રાજા હરિ સિંહે ભારતમાં જોડાવા માટે વ્યક્તિગત રીતે સંમતિ આપી હતી. તેમણે કરાર પર હસ્તાક્ષર કર્યા પછી જ ભારતે પોતાના સૈનિકો તૈનાત કર્યા હતા.

આ પણ વાંચો:

Delhi Air Pollution: દિલ્હી હવે રહેવા લાયક ન રહ્યું!, કૃત્રિમ વરસાદના પરીક્ષણો પણ નિષ્ફળ, AQI સ્તર 300 પાર

kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

 

 

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’


Related Posts

Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો
  • June 23, 2026

Indian Students Abroad: લાખોનું દેવું કરીને, વતન છોડીને અને માતા-પિતાના આંખમાં રહેલા સપનાઓને સાચવીને વિદેશ ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ આજે એક એવી કરુણ સ્થિતિમાં મુકાયા છે, જેના વિશે તેમણે ક્યારેય વિચાર્યું…

Continue reading
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો
  • June 19, 2026

US-Iran Deal: ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયેલો વૈશ્વિક તણાવ, જે એક સમયે ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા જન્માવી રહ્યો હતો, તે ૧૮ જૂને એક અચાનક અને આશ્ચર્યજનક વળાંક સાથે સમાપ્ત થયો છે. જે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Donation Corruption: અયોધ્યા રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયના નજીકના સહયોગી સહિત આઠ લોકોની ધરપકડ

  • June 27, 2026
  • 2 views
Ram Mandir Donation Corruption: અયોધ્યા રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયના નજીકના સહયોગી સહિત આઠ લોકોની ધરપકડ

Gir Illegal Resorts in Forest: ગીરમાં સિંહોનો રંજાડ અને જંગલમાં મંગલ

  • June 27, 2026
  • 5 views
Gir Illegal Resorts in Forest: ગીરમાં સિંહોનો રંજાડ અને જંગલમાં મંગલ

Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

  • June 26, 2026
  • 4 views
Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

  • June 26, 2026
  • 7 views
NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

  • June 26, 2026
  • 6 views
Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

  • June 26, 2026
  • 11 views
Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા