Bhavnagar: મહુવામાં લૂંટ વિથ મર્ડરની ઘટના, તપાસનો ધમધમાટ શરૂ, જાણો સમગ્ર ઘટના

  • Gujarat
  • November 2, 2025
  • 0 Comments

Bhavnagar Crime: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં લૂંટ વિથ હત્યાની ઘટના સામે આવી છે, આ ઘટનામાં 77 વર્ષના એક વૃદ્ધાની તેમના જ ઘરમાં નિર્દયતાપૂર્વક હત્યા કરીને અજાણ્યા શખ્સો દ્વારા સોનાના દાગીનાની લૂંટ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઇ મહુવા ગ્રામ્ય પોલીસ દ્વારા લૂંટ વિથ હત્યાને લઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 મળતી જાણકારી અનુસાર ગત તારીખ 30-10-2025ના  રોજ રાત્રિના સમયે કોંજળી ગામે બન્યો હતો. કોંજળી ગામે રહેતા ઉજીબેન નામના 77 વર્ષીય વૃદ્ધ મહિલાની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી હતી. કોઈ અજાણ્યા હુમલાખોરોએ વૃદ્ધાનું ગળું દબાવીને લૂંટ અને હત્યાને અંજામ આપ્યો હતો. હત્યા કર્યા બાદ હત્યારાઓએ વૃદ્ધાના કાનમાં પહેરેલા સોનાના ઘરેણાંની લૂંટ ચલાવી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

હત્યાની ઘટનામાં વૃદ્ધ મહિલાના મૃત્યુ બાદ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વૃદ્ધ મહિલાના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ ફોરેન્સિક રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે વૃદ્ધ મહિલાનું મૃત્યુ કુદરતી નહીં, પરંતુ ગળું દબાવી દેવાથી થયું છે, જેથી હત્યાનો ભેદ ખૂલ્યો છે.

સમગ્ર ઘટનાને લઈને મૃતકના પરિવારજનોએ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો વિરુદ્ધ લૂંટ વિથ હત્યાનો ગુનો ફરિયાદ દાખલ કરવી છે. મહુવા ગ્રામ્ય પોલીસે આ ગંભીર ગુનાની નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી છે. લૂંટના ઇરાદે ઘરમાં ઘૂસીને વૃદ્ધ મહિલાની હત્યા કરનાર અજાણ્યા હત્યારાઓને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

અહેવાલ- નીતિન ગોહેલ

આ પણ વાંચો:

Junagadh: આશ્રમમાં મહાદેવ ભારતી બાપુ સ્યુસાઈડ નોટ લખી ગુમ થયા, પોલીસ તપાસ ચાલુ

Junagadh: ગિરનાર પરિક્રમાનું મુહૂર્ત, ભક્તોની આસ્થાને લઈ મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતોએ પ્રતિકાત્મક પરિક્રમા શરુ કરી, સાંજે પૂર્ણ થશે

Bangladesh: હસીના બાદ યુનુસ પરથી બાંગ્લાદેશી વિદ્યાર્થીઓનો ભરસો ઉઠ્યો, યુનુસ સરકાર પણ જશે?

Bhavanagar: ‘વલ્લભીપુર તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરો’, ખેડૂતોએ કર્યો ડિજિટલ સરવેનો વિરોધ

ભાવનગરમાં કમોસમી વરસાદ, ખેડૂતો-વેપારીઓને મોટું નુકસાન | Bhavnagar unseasonal rain

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

  • June 26, 2026
  • 3 views
Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

  • June 26, 2026
  • 2 views
NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

  • June 26, 2026
  • 4 views
Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

  • June 26, 2026
  • 10 views
Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

  • June 26, 2026
  • 10 views
NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ

  • June 26, 2026
  • 11 views
Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ