Ajit Pawar Controversial Statement: મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારનો ધમકીભર્યો અંદાજ ‘મત આપો’ નહીતો પછી…

  • India
  • November 23, 2025
  • 0 Comments

Ajit Pawar Controversial Statement: મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારે માલેગાંવની સ્થાનિક ચૂંટણીને લઇને મતદારોને જાહેરમાં કહ્યુ કે”માલેગાંવ નગર પંચાયતમાં મારા મહાયુતિના 18-18 ઉમેદવારોને તમારે મત આપવાનો છે અને તમે મત આપશે તો હું મારા બધાજ વચનો અને માંગણીઓ પૂર્ણ કરીશ,પરંતુ જો તમે મને કાપી નાખો છો, તો પછી હું પણ તમને કાપી નાખીશ.”પવારે એમ પણ કહ્યું,”તમારી પાસે મત છે,મારી પાસે ભંડોળ છે, હવે નક્કી તમારે કરવાનું છે કે તમારે શુ કરવું છે.

વિપક્ષ માને છે કે આ નિવેદન સ્પષ્ટપણે સત્તાના બળ પર વિકાસનો લોલીપોપ આપી મતદારોને ડરાવવાનો પ્રયાસ કરાયો છે,આ નિવેદનથી મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ગરમાયો છે.અજિત પવારના આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદન સામે શિવસેના (UBT) અને કોંગ્રેસે સખત વાંધો ઉઠાવી જણાવ્યું કે નાયબ મુખ્યમંત્રી પદ પર બેઠેલા જવાબદાર નેતા જનતાને આવી ધમકીઓ આપી શકે નહિ. આ લોકશાહીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે.વિપક્ષે અજિત પવારના આ નિવેદનની તાત્કાલિક ચૂંટણી પંચને નોંધ લેવા અને કડક કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે તેઓએ કહ્યું કે સત્તામાં રહેલા લોકો વિકાસના નામે દબાણ ઊભું કરી ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરી શકે છે.

જોકે, વિરોધ પક્ષોના હોબળા બાદ પણ અજિત પવારને કોઈ ફર્ક પડ્યો નથી અને તેઓ પોતાના નિવેદન પર અડગ રહ્યા હતા અને સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેમણે કોઈને ધમકી આપી નથી.અજિત પવારે ઉમેર્યુ કે, “ચૂંટણી દરમિયાન, નેતાઓ મત માંગતી વખતે લોકોને વચનો આપતા હોય છે અને મેં તેજ કર્યું છે.અમે બિહારમાં પણ આવું જોયું છે,જ્યાં નેતાઓ જનતાને વચનો આપતા હોય છે.
મેં કોઈને ધમકી આપી નથી,મે ફક્ત એટલું જ કહ્યું છે કે જો તેઓ મને ચૂંટશે, તો હું ભંડોળ પૂરું પાડીશ અને વિકાસને પ્રોત્સાહન આપીશ.”

આ વિવાદ હવે મહારાષ્ટ્રના રાજકારણમાં એક મુખ્ય મુદ્દો બની ગયો છે ત્યારે આગામી દિવસોમાં વિપક્ષની રજૂઆત બાદ ચૂંટણી પંચ હવે શુ પગલાં ભરે છે તેતો સમયજ કહેશે.

આ પણ વાંચો: 

Bhavnagar umrala news: ઉમરાળામાં બે જૂથ વચ્ચે તંગદિલી,સુરતથી ગાડીઓ ભરીને પાટીદારો ઉમટ્યા!ભરવાડ સમાજ પણ એકત્ર થતા તંગદિલી!

Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે

Tejas Crash:દુબઈમાં ક્રેશ તેજસના શહીદ પાયલોટ નમન સ્યાલને ઠેરઠેરથી મળી શ્રદ્ધાંજલિ,શહીદ નમન સ્યાલના પરિવાર વિશે જાણો

Related Posts

Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ
  • June 22, 2026

Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-૩ પર સવારના ૭ વાગ્યાના દ્રશ્યો આજના બદલાતા ભારતની એક કડવી અને વાસ્તવિક તસવીર રજૂ કરે છે. ૨૨ વર્ષની પ્રીતિ જેવી યુવતીઓ માટે, જે ઉત્તર…

Continue reading
Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!
  • June 22, 2026

Jairam Ramesh: ગ્રેટ નિકોબાર ટાપુ પર ગલાથિયા બે (Galathea Bay) ખાતે પ્રસ્તાવિત આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ પ્રોજેક્ટ ફરી એકવાર વિવાદના વંટોળમાં છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ

  • June 22, 2026
  • 2 views
Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ

Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

  • June 22, 2026
  • 3 views
Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

  • June 22, 2026
  • 5 views
Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

  • June 22, 2026
  • 8 views
India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

  • June 22, 2026
  • 11 views
Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

  • June 22, 2026
  • 7 views
Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?