IND vs SA: રાહુલ કેપ્ટન, સાઉથ આફ્રિકા સામેની વનડે સીરિઝ માટે ટીમ જાહેર!

  • India
  • November 23, 2025
  • 0 Comments

BCCI Announces Team for SA ODI Series : દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચોની વનડે સીરિઝ માટે આખરે કોણ બનશે કેપ્ટન વાળું ચિત્ર ક્લીઅર થઈ ગયું છે અને આખરે એલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

સાઉથ આફ્રિકા સામેની ત્રણ વનડે મેચોની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત 23 નવેમ્બર (રવિવાર)ના રોજ કરી દેવામાં આવી છે.કોલકાતા ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા શુભમન ગિલને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. ગિલને બદલે કે એલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.દક્ષિણ આફ્રિકા સામેની આ મહત્વપૂર્ણ શ્રેણી માટે BCCI એ વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલને કેપ્ટન બનાવ્યા છે. કોલકાતા ટેસ્ટ દરમિયાન ગરદનમાં ઈજા પામેલા શુભમન ગિલ હજુ રમવા માટે અનફિટ હોવાથી તેમને આરામ આપવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ગેરહાજર રહેલા રવિન્દ્ર જાડેજાની વાપસીથી ટીમનું સંતુલન મજબૂત થયું છે

■BCCIએ ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી જેમાં નીચે મુજબના ખેલાડીઓ સ્કોડમાં સામેલ કરાયા છે.

●રોહિત શર્મા

●યશસ્વી જયસ્વાલ

●વિરાટ કોહલી

●તિલક વર્મા

●કે એલ રાહુલ

●રિષભ પંત

●વોશિંગ્ટન સુંદર

●રવીન્દ્ર જાડેજા

●કુલદીપ યાદવ

●નીતિશ રેડ્ડી

●હર્ષિત રાણા

●ઋતુરાજ ગાયકવાડ

●પ્રસિધ કૃષ્ણા

●અર્શદીપ સિંહ

●ધ્રુવ જુરેલ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ દક્ષિણ આફ્રિકા સામે રમાનારી ત્રણ મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની આ મુજબ સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની વનડે સિરીઝની પ્રથમ મેચ 30 નવેમ્બરે રાંચીમાં રમાશે.આ પછી 3 ડિસેમ્બરે રાયપુરમાં બીજી અને 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં સિરીઝની ત્રીજી મેચ રમાશે.ત્યારબાદ બંને દેશો વચ્ચે 9 ડિસેમ્બરથી પાંચ મેચોની T-20 સિરીઝ પણ રમાશે, જેની ભારતીય ટીમની જાહેરાત પછીથી કરવામાં આવશે.

નોંધનીય છે કે આ શ્રેણી માટે ગરદનની ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ ન થવાને કારણે સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ આ શ્રેણીનો ભાગ બની શક્યા નથી. જોકે, ટીમ માટે સારા સમાચાર એ છે કે અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 50 ઓવરના ફોર્મેટમાં વાપસી કરી રહ્યા છે.
આ 15 સભ્યોની ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે મેચ રસપ્રદ બની રહેશે.

આ પણ વાંચો: 

Bhavnagar umrala news: ઉમરાળામાં બે જૂથ વચ્ચે તંગદિલી,સુરતથી ગાડીઓ ભરીને પાટીદારો ઉમટ્યા!ભરવાડ સમાજ પણ એકત્ર થતા તંગદિલી!

Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે

Tejas Crash:દુબઈમાં ક્રેશ તેજસના શહીદ પાયલોટ નમન સ્યાલને ઠેરઠેરથી મળી શ્રદ્ધાંજલિ,શહીદ નમન સ્યાલના પરિવાર વિશે જાણો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર
  • March 23, 2026

 Narendra Modi: ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતે સતત તળિયે જઈ રહેલો રૂપિયો અને ગેસના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે આ અંગે ચિંતા વ્યક્ત કરી…

Continue reading
Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!
  • March 22, 2026

Fake Milk: ગુજરાત સહિત સમગ્ર દેશમાં બેફામ નકલી દૂધ વેચાઈ રહ્યું છે અને દૂધ ડેરીમાં પણ નકલી દૂધ આવી રહ્યું છે પરિણામે દૂધ અને દૂધની બનાવટો નકલી હોય છે તે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 3 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 12 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 10 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 11 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 11 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર