
BCCI Announces Team for SA ODI Series : દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચોની વનડે સીરિઝ માટે આખરે કોણ બનશે કેપ્ટન વાળું ચિત્ર ક્લીઅર થઈ ગયું છે અને આખરે એલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
સાઉથ આફ્રિકા સામેની ત્રણ વનડે મેચોની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત 23 નવેમ્બર (રવિવાર)ના રોજ કરી દેવામાં આવી છે.કોલકાતા ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા શુભમન ગિલને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. ગિલને બદલે કે એલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.દક્ષિણ આફ્રિકા સામેની આ મહત્વપૂર્ણ શ્રેણી માટે BCCI એ વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલને કેપ્ટન બનાવ્યા છે. કોલકાતા ટેસ્ટ દરમિયાન ગરદનમાં ઈજા પામેલા શુભમન ગિલ હજુ રમવા માટે અનફિટ હોવાથી તેમને આરામ આપવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ગેરહાજર રહેલા રવિન્દ્ર જાડેજાની વાપસીથી ટીમનું સંતુલન મજબૂત થયું છે
■BCCIએ ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી જેમાં નીચે મુજબના ખેલાડીઓ સ્કોડમાં સામેલ કરાયા છે.
●રોહિત શર્મા
●યશસ્વી જયસ્વાલ
●વિરાટ કોહલી
●તિલક વર્મા
●કે એલ રાહુલ
●રિષભ પંત
●વોશિંગ્ટન સુંદર
●રવીન્દ્ર જાડેજા
●કુલદીપ યાદવ
●નીતિશ રેડ્ડી
●હર્ષિત રાણા
●ઋતુરાજ ગાયકવાડ
●પ્રસિધ કૃષ્ણા
●અર્શદીપ સિંહ
●ધ્રુવ જુરેલ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ દક્ષિણ આફ્રિકા સામે રમાનારી ત્રણ મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની આ મુજબ સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની વનડે સિરીઝની પ્રથમ મેચ 30 નવેમ્બરે રાંચીમાં રમાશે.આ પછી 3 ડિસેમ્બરે રાયપુરમાં બીજી અને 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં સિરીઝની ત્રીજી મેચ રમાશે.ત્યારબાદ બંને દેશો વચ્ચે 9 ડિસેમ્બરથી પાંચ મેચોની T-20 સિરીઝ પણ રમાશે, જેની ભારતીય ટીમની જાહેરાત પછીથી કરવામાં આવશે.
નોંધનીય છે કે આ શ્રેણી માટે ગરદનની ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ ન થવાને કારણે સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ આ શ્રેણીનો ભાગ બની શક્યા નથી. જોકે, ટીમ માટે સારા સમાચાર એ છે કે અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 50 ઓવરના ફોર્મેટમાં વાપસી કરી રહ્યા છે.
આ 15 સભ્યોની ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે મેચ રસપ્રદ બની રહેશે.
આ પણ વાંચો:
Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે








