Bhuj Airport: CM ભુપેન્દ્ર પટેલ માટે “પહેલા અદાણી બાદમાં જનતાના પ્રતિનિધિ!”ભૂજ એરપોર્ટ ઉપર જોવા મળ્યા દ્રશ્યો! માહિતી ખાતાએ પણ ‘વાહવાહી’ કરી!

  • Gujarat
  • December 7, 2025
  • 0 Comments

(દિલીપ પટેલ,દ્વારા)

Bhuj Airport: આજકાલ કચ્છમાં અદાણીના નામની બૂમ ઉઠી છે અને ખેડૂતોએ મોરચો માંડ્યો છે તો વળી અદાણી પોર્ટ પણ ડ્રગ્સ મામલે ભારે ચર્ચામાં રહ્યું છે અને અદાણી હંમેશા મોદી સરકારની માનીતી કંપની હોવાની વાત ચર્ચામાં રહી છે ત્યારે તાજેતરમાં રણોત્સવ માટે ગત તા.4 ડિસેમ્બર 2025ના રોજ કચ્છ મુલાકાતે ગયેલા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનું ભૂજ હવાઈ મથકે અદાણી કંપની દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું તે દ્રશ્યો ભારે ચર્ચાસ્પદ બન્યા છે કારણકે જનતાના પ્રતિનિધિઓ અને સરકારી બાબુઓને લાઈનમાં રહેવું પડે તેવી Insulting સ્થિતિ સામે લાચાર દ્રશ્યો ઘણું બધું કહી જતા હતા જે વાત લોકોમાં ચર્ચાનો વિષય બની હતી,બીજો એવો પણ મેસેજ જાય કે અદાણી રાજકીય રીતે પાવરફૂલ છે તેથી તેઓ સામે કોઈએ શીગડાં ભેરવવાના નહિ!!આમ,આ બધી વાતો ચર્ચાસ્પદ બની હતી.

અદાણી કંપનીના પોર્ટ એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર રક્ષિત શાહે પહેલા સ્વાગત કર્યા બાદ જ જનતાએ ચૂંટેલા ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકીનો વારો આવ્યો તેઓ કચ્છી શાલ લઈ સન્માન કરવા પહોંચ્યા હતા પણ તેમનો પછીથી વારો આવ્યો ત્યારબાદ નિવાસી અધિક કલેકટર ડી.પી.ચૌહાણનો વારો આવ્યો હતો અહીં કલેક્ટર જોવા ન મળ્યા એટલે એક વાત એવી પણ ચર્ચાતી હતી કે અદાણીના અધિકારી આવવાના હોવાથી બની શકે કે કલેક્ટર આવ્યા ન હોય.

આ અંગે સરકારી તંત્ર લખે છે કે, કચ્છી સંસ્કૃતિ મુજબ CM ભુપેન્દ્ર ભાઈને આવકાર આપવામાં આવ્યો હતો.કચ્છ જિલ્લા માહિતી ખાતાના અધિકારીએ આજે કચ્છ પધારેલા મુખ્ય પ્રધાનના સ્વાગત માટે એરપોર્ટ પર “અદાણી” કંપનીના અધિકારી રક્ષિત શાહને “અગ્રણી” શબ્દનો પ્રયોગ કરીને સરકારના મહત્વના વિભાગે અદાણી કંપનીની ‘વાહવાહી’ કરી હતી પણ અદાણીનું નામ લખવાનું રહસ્યમય રીતે ટાળી દીધું હતું.

આમ,ભૂજ એરપોર્ટ ઉપર જોવા મળેલા આ દ્રશ્યો ભારે ચર્ચામાં આવ્યા હતા અને અદાણી સરકાર અને વિભાગો માટે કેટલું મહત્વ ધરાવે છે તેનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું હતું.

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

Related Posts

Dahod Dhanpur ration scam: દાહોદના ધાનપુરમાં સરકારી અનાજનું કૌભાંડ, ગરીબોના હક પર તરાપ મારતા સંચાલકને ગ્રામજનોએ ઝડપ્યો
  • May 10, 2026

Dahod Dhanpur ration scam: કહેવાય છે કે “મિયાં ચોરે મુઠે અને અલ્લા ચોરે ઊંટે”, આ કહેવત આજે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં અક્ષરશઃ સાચી સાબિત થઈ છે. જ્યારે કોઈ વ્યક્તિ સત્તા…

Continue reading
Mehsana expired animal medicines: મહેસાણાના પશુ દવાખાનામાં એક્સપાયર દવાઓ મળતાં ચકચાર, જીવદયા પ્રેમીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો
  • May 10, 2026

Mehsana expired animal medicines: મહેસાણા શહેરના હૈદરી ચોક વિસ્તારમાં આવેલા સરકારી પશુ દવાખાનામાં તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જીવદયા પ્રેમીઓ દ્વારા જ્યારે આ દવાખાનામાં ઓચિંતી તપાસ કરવામાં આવી, ત્યારે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Dahod Dhanpur ration scam: દાહોદના ધાનપુરમાં સરકારી અનાજનું કૌભાંડ, ગરીબોના હક પર તરાપ મારતા સંચાલકને ગ્રામજનોએ ઝડપ્યો

  • May 10, 2026
  • 2 views
Dahod Dhanpur ration scam: દાહોદના ધાનપુરમાં સરકારી અનાજનું કૌભાંડ, ગરીબોના હક પર તરાપ મારતા સંચાલકને ગ્રામજનોએ ઝડપ્યો

Mehsana expired animal medicines: મહેસાણાના પશુ દવાખાનામાં એક્સપાયર દવાઓ મળતાં ચકચાર, જીવદયા પ્રેમીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો

  • May 10, 2026
  • 4 views
Mehsana expired animal medicines: મહેસાણાના પશુ દવાખાનામાં એક્સપાયર દવાઓ મળતાં ચકચાર, જીવદયા પ્રેમીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો

Ahmedabad family hostage: વિદેશ જવાના સપનામાં ગુજરાતી પરિવાર શિકાર, અમદાવાદથી લંડન નીકળેલા યેમેકર પરિવારને આફ્રિકામાં બંધક બનાવાયો

  • May 10, 2026
  • 8 views
Ahmedabad family hostage: વિદેશ જવાના સપનામાં ગુજરાતી પરિવાર શિકાર, અમદાવાદથી લંડન નીકળેલા યેમેકર પરિવારને આફ્રિકામાં બંધક બનાવાયો

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

  • May 9, 2026
  • 3 views
Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

  • May 9, 2026
  • 4 views
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

  • May 9, 2026
  • 16 views
Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!