
●પશુઓનો ચારો છીનવતા પશુપાલકો ઉપર આફત આવી પડી! ₹3 કરોડના દૂધ ઉત્પાદન સામે સવાલો ઉઠ્યા!
● ગ્રીનાઈટ ચોરતા માફિયાઓ બેકાબુ બની ગયા છે!
[સંકલન:દિલીપ પટેલ]
અમદાવાદ, 23 ડિસેમ્બર 2025
Bauxite mineral theft: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલું અમૃતપુરા ગામ આજકાલ ચર્ચામાં આવ્યું છે અહીં ગ્રામજનો અને પશુપાલકો-ખેડૂતોનો વિરોધ છતાં ગ્રામ પંચાયત હસ્તકની 62 હેકટર ગૌચરની જમીન પર બોક્સાઇટ લીઝ ફાળવી દેવામાં આવી છે તેને મંજૂરી મળતા હવે પર્યાવરણ, ખેતીની જમીન અને પશુધનને ગંભીર નુકસાન થવાની દહેશત ઉભી થઈ છે.
મહત્વનું છે કે તા.18 નવેમ્બર 2025ના રોજ જ્યારે લોકસુનાવણી થઈ ત્યારેજ જોરદાર વિરોધ થયો હતો.જેમાં ખેડા GPCBના અધિકારી અને અધિક કલેક્ટર પણ હાજર હતા,લીઝ સામે ગામના ખેડૂતો અને પશુપાલકો નારાજ છે અને આક્રોશ જોવા મળી રહ્યો છે.
અમૃતપુરા ગામના લોકોનું કહેવું હતું કે જ્યારે આજ ગામમાં લીઝ ફાળવવાની હોય ત્યારે આસપાસના ગામોના અભિપ્રાય લેવાને બદલે અમૃતપુરા ગામના સ્થાનિક લોકોની વાત સાંભળવી જોઈએ તેમ ખેડા જીપીસીબીના અધિકારી અને અધિક નિવાસી કલેક્ટર સમક્ષ રજૂઆતો કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે તા.10 માર્ચ 2019ના રોજ જ્યારે અમૃતપુરા સ્થિત આ ગૌચરની જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે બોકસાઇડ ખનીજની ચોરી કરવામાં આવી રહી હતી ત્યારેપણ ગ્રામજનોએ સ્થળ પર જઇને કામ અટકાવ્યું હતું અને આ સમયે ભારે હોબાળો થયો હતો અને ગ્રામજનો દ્વારા આ મામલે ઠાસરા પોલીસને પણ જાણ કરી હતી.
નોંધનીય છે કે અમૃતપુરા ખાતેની 62 હેકટર ગૌચર જમીનોમાં ભુમાફિયાઓ સક્રિય રહયા છે અને ગેરકાયદે કબજો કરી કોલસો કાઢી વેચી મારવામાં આવતો હોવાનું અને બોક્સાઇટ ખનીજસંપતિનું ગ્રામપંચાયતની પૂર્વ મજૂરી વિના બેફામ ખોદકામ ચાલુ હતું. અને મોટાપાયે ગેરકાયદે રીતે કોલસો કાઢવામાં આવતો આવતો હોવા છતાં ખનીજ વિભાગ કઈ કરી શકતું ન હતું.
દરમિયાન,22 નવેમ્બર 2025માં બોક્સાઇટ લીઝની મંજૂરી પહેલાં જ ખેડા જિલ્લાના અમૃતપુરામાં ગેરકાયદેસર ખનન પકડાયું હતું. રૂ. 82 લાખના સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા.
■ખેડા જીલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ ભેદી રીતે ચૂપ થઈ ગયા છે!
આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે ભાજપના આશીર્વાદથી ભ્રષ્ટાચારીઓ, માફિયાઓ અને બુટલેગરો બેફામ બન્યા છે.
ખેડા જિલ્લાના ગામમાં ગોચરની જમીનમાં ગ્રામજનોના વિરોધ છતાં બોકસાઈટની લીઝ ફાળવવામાં આવી છે.આ સિવાય રાજ્યભરમાં ગોચરની જમીનો પર ભાજપના નેતાઓ કબજો જમાવીને બેઠા છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો અને પશુપાલકો ક્યાં જાય?
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ કહ્યું કે 2014માં ભારત સરકારનું દેવું 55.87 લાખ કરોડ હતું, વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ માત્ર 11 વર્ષમાં ભારતનું દેવું ત્રણ ગણું વધીને 186 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. એ મુજબ દરેક વ્યક્તિના માથે કેન્દ્ર સરકારનું રૂ. 4.80 લાખનું દેવું છે અને રાજ્ય સરકારનું રૂ. 51 હજારનું દેવું વ્યક્તિદીઠ છે. આ પ્રમાણે દરેક વ્યક્તિ રૂ. 5.31 લાખનો દેવાદાર બને છે.
મળતિયા ઉદ્યોગપતિ, વેપારીઓને કરોડો રૂપિયાની લોન માફ કરી પરંતુ સામાન્ય નાગરિકોને લાભ આપવામાં ભાજપ સરકારની નીતિ સાફ થઈ ગઈ છે.
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?










