Save Aravalli: ‘અરવલ્લી’ મામલે કોંગ્રેસ-ભાજપના રાજકારણ વચ્ચે લોકો સ્વયંભૂ આંદોલનમાં જોડાઈ રહયા છે! જુઓ નેતાઓની પ્રતિક્રિયા

  • Gujarat
  • December 24, 2025
  • 0 Comments

Save Aravalli: અરવલ્લી પર્વતમાળા ઉપર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અરવલ્લીનો મોટાભાગનો હિસ્સો નાશ થવાની ઉભા થયેલા જોખમ વચ્ચે લોકોમાં અરવલ્લી બચાવવા વિરોધ આંદોલન શરૂ થયું છે અને રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પણ આ મુદ્દે ઘમાસાણ મચ્યું છે.

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે અગાઉ કહ્યું હતું કેઅરવલ્લીના કુલ ૧.૪૪ લાખ ચોરસ કિમી વિસ્તારમાંથી માત્ર ૦.૧૯% જ ખાણકામ માટે મંજૂરી લાયક હિસ્સો છે.બાકીનો અરવલ્લી સંરક્ષિત અને સલામત છે.

જેની પ્રતિક્રિયામાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે સોશ્યલ મીડિયા અકાઉન્ટ પણ કહ્યુ કે ‘આ જૂઠું બોલી રહયા છે’
તેઓએ અરવલ્લીનો નાશ કરવાની ભાજપની પેરવી ગણાવી હતી.

આ દરમિયાન ભાજપનું કહેવું છે કે કોંગ્રેસ પાર્ટી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ સરકાર અરવલ્લી પર્વતમાળાને કોઈ નુકસાન ન થાય અને સંપૂર્ણપણે સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

બીજી તરફ, મેવાડથી મારવાડ અને ઢૂંઢાણ થી શેખાવાટી સુધી જન આક્રોશ જોવા મળ્યો છે. આ મુદ્દો સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહ્યો છે.યુવાનો પોતાની સ્પષ્ટ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર “અરવલ્લી બચાવો” અભિયાન ચાલી રહ્યું છે.

ભાજપ અને કોંગ્રેસ એકબીજા ઉપર પ્રહાર કરી રહયા છે ત્યારે જનતા અને પર્યાવરણ વાદીઓ પોતાનું એક અલગ આંદોલન “અરવલ્લી બચાવો” શરૂ કર્યું છે જે ખાસ કરીને યુવા પેઢીમાં વધુ જોર પકડી રહ્યું છે અને ખાણ કામ કરનારા તત્વોની મેલી મુરાદ પાર નહીં પાડવા કટિબદ્ધ જણાઈ રહ્યા છે.મહત્વનું છે કે પર્યાવરણ મંત્રાલયની ભલામણોને સ્વીકારીને સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાઓને 100 મીટર કે તેથી વધુ ઊંચા પર્વતમાળાઓને સંરક્ષિત તરીકે વ્યાખ્યાયિત કરી છે.

આ નિર્ણયથી રાજસ્થાનમાં અરવલ્લી પર્વતમાળાનો લગભગ 90 ટકા ભાગ અરવલ્લીની વ્યાખ્યામાંથી બાકાત થઈ હવે આ મોટાભાગના નાના નાના પર્વત અને ટેકરીઓ ઉપર ખાણકામની શક્યતા વધી ગઈ છે જેનાથી અરવલ્લીના નાશ થવાની વાત સામે જન આક્રોશ ફાટી નીકળ્યો છે.

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

Related Posts

Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!
  • May 9, 2026

Sabarmati Jail Sewage Water Farming: અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ગુજરાતની સૌથી મોટી જેલ છે, જ્યાં અંદાજે 4000 જેટલા કેદીઓ વસવાટ કરે છે. આ જેલ માત્ર ગુનેગારોને રાખવાનું સ્થળ નથી, પણ…

Continue reading
Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?
  • May 9, 2026

Gujarat 50 lakh houses promise: વર્ષ ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણી રાજ્યના ઈતિહાસમાં અત્યંત મહત્વની સાબિત થઈ હતી. આ એ જ ચૂંટણી હતી જેણે નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય ફલક પર વડાપ્રધાન પદના મજબૂત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

  • May 9, 2026
  • 3 views
Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

  • May 9, 2026
  • 4 views
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

  • May 9, 2026
  • 9 views
Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

  • May 9, 2026
  • 9 views
Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

  • May 9, 2026
  • 8 views
Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન

  • May 9, 2026
  • 6 views
Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન