
Save Aravalli: અરવલ્લી પર્વતમાળા ઉપર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અરવલ્લીનો મોટાભાગનો હિસ્સો નાશ થવાની ઉભા થયેલા જોખમ વચ્ચે લોકોમાં અરવલ્લી બચાવવા વિરોધ આંદોલન શરૂ થયું છે અને રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પણ આ મુદ્દે ઘમાસાણ મચ્યું છે.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે અગાઉ કહ્યું હતું કેઅરવલ્લીના કુલ ૧.૪૪ લાખ ચોરસ કિમી વિસ્તારમાંથી માત્ર ૦.૧૯% જ ખાણકામ માટે મંજૂરી લાયક હિસ્સો છે.બાકીનો અરવલ્લી સંરક્ષિત અને સલામત છે.
अरावली के कुल 1.44 लाख वर्ग किलोमीटर क्षेत्र में मात्र 0.19% हिस्से में ही खनन की पात्रता हो सकती है। बाकी पूरी अरावली संरक्षित और सुरक्षित है: @byadavbjp #AravalliIsSafe https://t.co/7mNwEOULI4
— आकाशवाणी समाचार (@AIRNewsHindi) December 21, 2025
જેની પ્રતિક્રિયામાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે સોશ્યલ મીડિયા અકાઉન્ટ પણ કહ્યુ કે ‘આ જૂઠું બોલી રહયા છે’
તેઓએ અરવલ્લીનો નાશ કરવાની ભાજપની પેરવી ગણાવી હતી.
श्री @byadavbjp जी, ‘संरक्षित क्षेत्र’ के नाम पर अरावली में केवल 0.19% नई माइनिंग का झूठ मत बोलिए।
जून, 2025 में आप सरिस्का का ‘संरक्षित क्षेत्र’ बदलकर खनन शुरू करना चाहते थे। अब इसी ‘सरिस्का मॉडल’ पर ही भविष्य में बाकी अरावली का संरक्षित क्षेत्र बदलेगा? #SaveAravalli pic.twitter.com/bFh5eM3CyG
— Ashok Gehlot (@ashokgehlot51) December 22, 2025
આ દરમિયાન ભાજપનું કહેવું છે કે કોંગ્રેસ પાર્ટી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ સરકાર અરવલ્લી પર્વતમાળાને કોઈ નુકસાન ન થાય અને સંપૂર્ણપણે સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
બીજી તરફ, મેવાડથી મારવાડ અને ઢૂંઢાણ થી શેખાવાટી સુધી જન આક્રોશ જોવા મળ્યો છે. આ મુદ્દો સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહ્યો છે.યુવાનો પોતાની સ્પષ્ટ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર “અરવલ્લી બચાવો” અભિયાન ચાલી રહ્યું છે.
ભાજપ અને કોંગ્રેસ એકબીજા ઉપર પ્રહાર કરી રહયા છે ત્યારે જનતા અને પર્યાવરણ વાદીઓ પોતાનું એક અલગ આંદોલન “અરવલ્લી બચાવો” શરૂ કર્યું છે જે ખાસ કરીને યુવા પેઢીમાં વધુ જોર પકડી રહ્યું છે અને ખાણ કામ કરનારા તત્વોની મેલી મુરાદ પાર નહીં પાડવા કટિબદ્ધ જણાઈ રહ્યા છે.મહત્વનું છે કે પર્યાવરણ મંત્રાલયની ભલામણોને સ્વીકારીને સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાઓને 100 મીટર કે તેથી વધુ ઊંચા પર્વતમાળાઓને સંરક્ષિત તરીકે વ્યાખ્યાયિત કરી છે.
આ નિર્ણયથી રાજસ્થાનમાં અરવલ્લી પર્વતમાળાનો લગભગ 90 ટકા ભાગ અરવલ્લીની વ્યાખ્યામાંથી બાકાત થઈ હવે આ મોટાભાગના નાના નાના પર્વત અને ટેકરીઓ ઉપર ખાણકામની શક્યતા વધી ગઈ છે જેનાથી અરવલ્લીના નાશ થવાની વાત સામે જન આક્રોશ ફાટી નીકળ્યો છે.
આ પણ વાંચો:
Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!









