
Donald Trump: ન્યુ યોર્ક શહેરના નવનિર્વાચિત મેયર ઝોહરાન મામદાનીએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની અમેરિકન સૈન્ય દ્વારા ધરપકડની કડક નિંદા કરી છે.મામદાનીએ આ કાર્યવાહીને માત્ર ખોટી જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદા અને સાર્વભૌમત્વની વિરુદ્ધ પણ ગણાવી હતી.તેમણે કહ્યું કે સાર્વભૌમ દેશ સામે આવી એકપક્ષીય લશ્કરી કાર્યવાહી સીધી યુદ્ધની કાર્યવાહી છે અને ન્યૂ યોર્ક જેવા બહુસાંસ્કૃતિક શહેરને પણ અસર કરે છે.
■મામદાનીએ એક નિવેદન જારી કર્યું
મેયર ઝોહરાન મામદાનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મને આજે સવારે અમેરિકન સૈન્ય દ્વારા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની ધરપકડ અને તેમને ન્યુ યોર્ક સિટીમાં ફેડરલ કસ્ટડીમાં રાખવાની યોજનાની જાણ કરવામાં આવી હતી.એક સાર્વભૌમ રાષ્ટ્ર પર એકપક્ષીય હુમલો યુદ્ધનું કૃત્ય છે અને ફેડરલ અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.”
તેમણે વધુમાં કહ્યું કે શાસન પરિવર્તનનો આ ખુલ્લો પ્રયાસ ફક્ત વિદેશી દેશો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની સીધી અસર ન્યૂ યોર્કના નાગરિકો પર પણ પડે છે, ખાસ કરીને હજારો વેનેઝુએલાના લોકો પર, જેઓ આ શહેરને પોતાનું ઘર કહે છે.
■ટ્રમ્પની જાહેરાત બાદ આપ્યુ નિવેદન
મામદાનીનું આ નિવેદન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે અમેરિકન સૈન્યએ વેનેઝુએલા પર મોટો હુમલો કર્યો છે, રાષ્ટ્રપતિ માદુરો અને તેમની પત્નીની ધરપકડ કરી છે અને તેમને યુનાઇટેડ સ્ટેટ્સ લાવ્યા છે તેના કલાકો પછી આવ્યું છે.
ટ્રમ્પ વહીવટીતંત્રે માદુરો સામે ગંભીર નાર્કો-ટેરરિઝમના આરોપો દાખલ કર્યા છે અને ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં તેમની સામે કેસ ચલાવવાની તૈયારી કરી રહ્યું છે.
■ન્યૂ યોર્કમાં વસતા વેનેઝુએલાના સમુદાયમાં પ્રસરી ચિંતા
ન્યૂ યોર્કના પ્રથમ મુસ્લિમ અને દક્ષિણ એશિયાઈ મેયર મામાદાનીએ શહેરમાં વસતા વિશાળ વેનેઝુએલાના સમુદાયની ચિંતાઓને રજૂ કરી.ન્યૂ યોર્ક હજારો વેનેઝુએલાના ઇમિગ્રન્ટ્સનું ઘર છે જેઓ તાજેતરના વર્ષોમાં તેમના વતનમાં રાજકીય અને આર્થિક ઉથલપાથલથી બચવા માટે સ્થળાંતરિત થયા છે.મામદાનીએ જણાવ્યું હતું કે તેમની પ્રાથમિકતા આ વસાહતી સહિત તમામ ન્યૂ યોર્કવાસીઓની સલામતી છે.
■આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ ઉઠ્યો
માદુરોની ધરપકડ અને યુએસ લશ્કરી કાર્યવાહીથી વૈશ્વિક વિવાદ ઉભો થયો છે.ઘણા લેટિન અમેરિકન દેશો, તેમજ રશિયા, ચીન અને ઈરાને આ પગલાની સખત નિંદા કરી છે, જ્યારે કેટલાક દેશોના નેતાઓએ સમર્થન વ્યક્ત કર્યું છે.સંયુક્ત રાષ્ટ્રએ આ કાર્યવાહીને “ખતરનાક” ગણાવી છે.
■કારાકાસ હુમલામાં મૃત્યુના અહેવાલો
દરમિયાન, અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વના ભાગ રૂપે 3 જાન્યુઆરીએ વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં યુએસ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા છે,ત્યારબાદ સેનાએ હાથ ધરેલી કાર્યવાહીમાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમના પત્નીની ધરપકડ કરી હતી.જેના વિશ્વભરમાં ઘેરા પ્રત્યાઘાતો ઉઠ્યા છે.
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!








