
■ સિનિયર પત્રકારો મયુર જાની અને મેહુલ વ્યાસે આ મુદ્દા ઉપર કરેલી વિસ્તુત છણાવટ જોવાનું ચૂકશો નહિ
Rekha Gupta: શહીદ વીર ભગતસિંહે કોંગ્રેસ સરકાર વિરુદ્ધ વિધાનસભામાં બોમ્બ ફેંક્યો હોવાના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કરેલા નિવેદન સામે વિપક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે દિલ્હી વિધાનસભામાં આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. આ નિવેદન સામે આવ્યા બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે આકરી ટીકા કરી છે અને રાજકારણ બરાબરનું ગરમાયુ છે.ઘણા નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજે પણ આ મામલે લખ્યું છે કે રેખા ગુપ્તાને ખબર પણ નથી કે શહીદ ભગતસિંહ એક ક્રાંતિકારી હતા અને આઝાદી માટે અંગ્રેજો સામે લડતા હતા.
કદાચ રેખા ગુપ્તા એવું સમજી રહ્યા છે કે શહીદ ભગતસિંહે આઝાદી પછી કોંગ્રેસનો વિરોધ કરવા માટે બોમ્બ ફેંક્યો હતો. સ્કૂલના બાળકો પણ જાણે છે કે શહીદ ભગતસિંહે ૧૯૨૯માં બ્રિટિશ સરકારનો વિરોધ કરવા માટે સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો હતો.હવે આ મુદ્દો ભારે ચર્ચા જગાવી રહ્યો છે ત્યારે બીજો એક મુદ્દો
OPERATION SINDOOR સમયે USની લોબિંગ એજન્સી SHW LLCની શુ ભૂમિકા રહી? તે મુદ્દે સિનિયર પત્રકારો મયુર જાની અને મેહુલ વ્યાસે વિસ્તૃત છણાવટ કરી છે,સચોટ વિશ્લેષણ જોવાનું ચૂકશો નહિ.
The Gujarat Report ઉપર પ્રસ્તુત છે આ વિડીયો
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









