Pakistan: ભારતના ચાર ફાયટર જેટ તોડ્યા બાદ પાકિસ્તાની ફાઇટર જેટJF-17 થંડરનો વિશ્વમાં ડંકો ; ખ્વાજા આસિફ ઉવાચ

  • World
  • January 9, 2026
  • 0 Comments

Pakistan: પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ફરી એકવાર દાવો કર્યો છે કે ભારત સાથેના ચાર દિવસના લશ્કરી સંઘર્ષમાં પાકિસ્તાનની જીત બાદ હવે પાકિસ્તાની ફાઇટર જેટ ખાસ કરીને JF-17 થંડરની વૈશ્વિક માંગ વધી ગઈ છે.આસિફના મતે, જો આ સોદાઓ આગળ વધશેતો પાકિસ્તાનને આગામી છ મહિના સુધી આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) પાસેથી લોન ઉધાર લેવાની જરૂર પડશે નહીં.

પાકિસ્તાની સંરક્ષણ પ્રધાનનું આ નિવેદન મે 2025 માં ભારતના “ઓપરેશન સિંદૂર” ના સંદર્ભમાં આવ્યું છે.પાકિસ્તાનનો દાવો છે કે તેની વાયુસેનાએ તે સંઘર્ષ દરમિયાન છ ભારતીય ફાઇટર જેટ તોડી પાડ્યા હતા,જેમાં અત્યાધુનિક ફ્રેન્ચ રાફેલ જેટનો પણ સમાવેશ થાય છે.પાકિસ્તાન હવે આ કથિત સફળતાનો ઉપયોગ તેના “મેડ-ઇન-પાકિસ્તાન” (ચીનના સહયોગથી વિકસિત) JF-17 વિમાન વેચવા માટે કરી રહ્યું છે. તેમનો દાવો છે કે ચીની ટેકનોલોજી પર આધારિત તેમના વિમાન પશ્ચિમી હાર્ડવેર સામે અસરકારક સાબિત થયા છે.
જો કે, ભારતે પાકિસ્તાનના તમામ દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.

ખ્વાજા આસિફનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે બાંગ્લાદેશી સંરક્ષણ પ્રતિનિધિમંડળે ઇસ્લામાબાદમાં પાકિસ્તાનના એર ચીફ માર્શલ ઝહીર અહેમદ બાબર સિદ્ધુ સાથે મુલાકાત કરી હતી.બાંગ્લાદેશ તેના વાયુસેના માટે JF-17 થંડર વિમાન ખરીદવાનું વિચારી રહ્યું છે.પાકિસ્તાને બાંગ્લાદેશને સુપર મુશ્શાક ટ્રેનર વિમાનની “ઝડપી” ડિલિવરી અને પાઇલટ્સને તાલીમ આપવાની પણ ખાતરી આપી છે.

જિયો ન્યૂઝ સાથે વાત કરતા, ખ્વાજા આસિફે આત્મવિશ્વાસથી કહ્યું, “અમને હવે જે ઓર્ડર મળી રહ્યા છે તે મહત્વપૂર્ણ છે કારણ કે અમારા વિમાનોનું ભારત સાથેના યુદ્ધમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે.”જો આ બધા ઓર્ડર આગામી છ મહિનામાં સાકાર થાય છે, તો અમે IMF પાસેથી લોન લેવાની જરૂર નહીં રહે

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ હજુ પણ નાજુક તબકકામાં છે.સપ્ટેમ્બર 2024 માં, IMF એ પાકિસ્તાન માટે 7 બિલિયન ડોલરના બેલઆઉટ પેકેજને મંજૂરી આપી હતી.માનીલો કે પાકિસ્તાન વિમાન વેચશે તો પણ શું સંરક્ષણ નિકાસમાંથી થતી આવક ખરેખર અબજો ડોલરના વિદેશી દેવા અને રાજકોષીય ખાધને સરભર કરી શકશે?તે એક સવાલ છે.

નિષ્ણાતો માને છે કે ફક્ત વિમાન વેચાણ દ્વારા સમગ્ર અર્થતંત્રને પુનર્જીવિત કરવું એક મુશ્કેલ જ નહીં પણ એક પડકાર છે.
પાકિસ્તાન હાલમાં ભારત સંઘર્ષ બાદ પોતાની જીતનો દાવો કરી રહ્યું છે અને ભારતના છ વિમાનો તોડી પાડવાનો દાવો કરી પોતાના વિમાનોનું માર્કેટિંગ કરી રહ્યું   છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

USCIRF India Report: અમેરિકી આયોગ USCIRF એ ફરી ભારતને ‘વિશેષ ચિંતાનો દેશ’ જાહેર કરવાની માંગ કરી, ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે લગાવ્યા ગંભીર આરોપો
  • May 9, 2026

USCIRF India Report: તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પરના અમેરિકી આયોગ (USCIRF) એ વોશિંગ્ટનમાં એક સુનાવણી યોજીને અમેરિકી વિદેશ વિભાગને ફરી એકવાર ભારતને ‘કન્ટ્રી ઓફ પર્ટીક્યુલર કન્સર્ન’ (CPC) એટલે કે ‘વિશેષ…

Continue reading
S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે
  • May 8, 2026

S Jaishankar: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં સુરીનામની મુલાકાતે છે, જ્યાં તેમણે બદલાતી વૈશ્વિક વ્યવસ્થા અને મોટા દેશોની સ્વાર્થી નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. પારામારીબોમાં ભારતીય સમુદાય અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

USCIRF India Report: અમેરિકી આયોગ USCIRF એ ફરી ભારતને ‘વિશેષ ચિંતાનો દેશ’ જાહેર કરવાની માંગ કરી, ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે લગાવ્યા ગંભીર આરોપો

  • May 9, 2026
  • 3 views
USCIRF India Report: અમેરિકી આયોગ USCIRF એ ફરી ભારતને ‘વિશેષ ચિંતાનો દેશ’ જાહેર કરવાની માંગ કરી, ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે લગાવ્યા ગંભીર આરોપો

Sanjeev Arora ED Raid: સંજીવ અરોરાના ઘરે ED ના દરોડા બાદ ભગવંત માનનો ભાજપ પર પ્રહાર, કહ્યું- પંજાબમાં પણ કેન્દ્રની એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે

  • May 9, 2026
  • 6 views
Sanjeev Arora ED Raid: સંજીવ અરોરાના ઘરે ED ના દરોડા બાદ ભગવંત માનનો ભાજપ પર પ્રહાર, કહ્યું- પંજાબમાં પણ કેન્દ્રની એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે

Ahmedabad Farzana murder case: ખાળકુવામાં દફન ૩૪ વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રી, ડીએનએ રિપોર્ટે હત્યારા પતિનો અસલી ચહેરો બતાવ્યો

  • May 9, 2026
  • 5 views
Ahmedabad Farzana murder case: ખાળકુવામાં દફન ૩૪ વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રી, ડીએનએ રિપોર્ટે હત્યારા પતિનો અસલી ચહેરો બતાવ્યો

Amit Shah: અમિત શાહનો રાહુલ ગાંધી પર પ્રહાર, પૂછ્યું- બિહારથી ગુજરાત સુધી કોંગ્રેસની દાયકાઓની હાર પણ શું ‘વોટ ચોરી’નું પરિણામ છે?

  • May 9, 2026
  • 12 views
Amit Shah: અમિત શાહનો રાહુલ ગાંધી પર પ્રહાર, પૂછ્યું- બિહારથી ગુજરાત સુધી કોંગ્રેસની દાયકાઓની હાર પણ શું ‘વોટ ચોરી’નું પરિણામ છે?

West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

  • May 8, 2026
  • 12 views
West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

  • May 8, 2026
  • 13 views
Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ