
Narendramodi: નરેન્દ્રભાઈ મોદી હંમેશા કોંગ્રેસ ઉપર પરિવારવાદ મુદ્દે કોઈને કોઈ પ્રહારો કરતા રહે છે પણ જ્યારે હવે પોતાના નાના ભાઈ પંકજ મોદી સામે નરેન્દ્રભાઈ મોદીના ભાઈ હોવાના નાતે રાજકીય ફાયદો ઉઠાવ્યો હોવાના આરોપ લાગી રહ્યા છે ત્યારે હવે નરેન્દ્રભાઈ મોદી શુ કહેશે? તે મામલે ચર્ચાઓ શરૂ થઈ છે, વિપક્ષ નેતા શક્તિસિંહ ગોહિલે પુરાવા સાથે પંકજ દામોદર દાસ મોદી સામે આરોપ લગાવ્યા છે.
રાજકારણમાં પરિવારવાદ ચાલતો રહે છે પણ મોદી સાહેબ આ મામલે સ્વચ્છ પ્રતિભા ધરાવતા હોવાનો દાવો કરતા રહે છે પણ હવે પંકજ મોદીએ મેળવેલા લાભોની વાતો સામે આવી રહી છે.
રાજકારણ જેવા ક્ષેત્રોમાં પોતાની સત્તા કે પ્રભાવનો ઉપયોગ કરીને પોતાના પરિવારજનો કે નજીકના લોકોને અયોગ્ય રીતે ફાયદો કરાવવો, જેમ કે નોકરી, પદ, કોન્ટ્રાક્ટ વગેરે અપાવવા, જેમાં યોગ્યતા કરતાં સગાવાદને વધુ પ્રાધાન્ય મળે છે, જે ભ્રષ્ટાચાર અને અયોગ્યતાને જન્મ આપે છે.
ભારતમાં રાજકારણમાં પરિવારવાદ ખૂબ પ્રચલિત છે, જ્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી ઘણાના પરિવારજનો રાજકારણમાં સક્રિય હોય છે જોકે,નરેન્દ્રભાઈ મોદી હંમેશા અન્ય લોકો ઉપર આક્ષેપો કરતા રહે છે પણ હવે પંકજ મોદી માટે ઘર આંગણે ઘેરાઈ ગયા છે.જુઓ,આ મુદ્દા ઉપર સિનિયર પત્રકારો મયુર જાની, દિલીપ પટેલ અને મેહુલ વ્યાસ વચ્ચે થયેલી ખાસ ચર્ચા અહીં પ્રસ્તુત છે જોવાનું ચૂકશો નહિ.જુઓ વિડીયો
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!







