
Makar Sankranti: આજે ઉત્તરાયણનું પર્વ છે,લોકો સવારમાં દાન-પુણ્ય કરી બાળકો સાથે ધાબા ઉપર પતંગ ફીરકી,ચિક્કીના લાડુ,નાસ્તો લઈ ચડી ગયા છે અને ઊંધિયા પુરી અને જલેબીના ઓર્ડર આપી દીધા છે,બધેજ ઉત્સાહનું વાતાવરણ છે પણ દોસ્તો આજના દિવસે આપણે અન્ય જીવોનું પણ ધ્યાન રાખવું જોઈએ જે પક્ષીઓ માળા માંથી નીકળવાના સમય અને સાંજના સમયે પતંગ ચગાવવામાં થોડું ધ્યાન રાખવાનું છે, આજના દિવસે કાતિલ દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ થાય છે અને કાંતો મૃત્યુ પામે છે તેથી આ અબોલ જીવોનું ધ્યાન રાખવું આપણા સૌની ફરજ છે.
પતંગ રસિયાઓ માટે ગુડ ન્યૂઝ એ છે કે હવામાન વિભાગની આગાહી મુજબ આજે તા.14 જાન્યુઆરીના દિવસે પવનની ગતિ જળવાઈ રહેશે આજે ઉત્તર ઉત્તર -પૂર્વ તરફનાં પવન ફૂંકાશે. જ્યારે પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે. પવનની દિશા ઉત્તરથી પૂર્વ તરફની રહેવાની છે.
હવેતો આ તહેવાર ભારત જ નહીં પણ વિદેશમાં પતંગ ઉડાડી ઉત્તરાયણનું પર્વ ઉજવાય રહ્યું છે પણ કાતિલ દોરીનો પ્રયોગ ન કરવો જોઈએ જેથી જીવ હિંસા થાય.
આજે સાયન પદ્ધતિ પ્રમાણે વાત કરવામાં આવે તો સૂર્ય 22 ડિસેમ્બરની આસપાસ રાશિ પ્રવેશ કરે છે, જે ઋતુ ફેરફાર માટે મહત્વનો છે, જ્યારે નિરયન પદ્ધતિ મુજબ 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ ઉજવાય છે. આ દિવસે કરવામાં આવતી સૂર્ય પૂજા અને દાનનું વિશેષ ફળ મળતું હોવાની માન્યતા છે.
આજે વર્ષ 2026માં ઉત્તરાયણ પર્વ ઉપર સૂર્ય મકર રાશિમાં ક્યારે પ્રવેશ કરશે અને દાન-પુણ્યનું શું મહત્વ હોય છે તે અંગે જાણીશું.આજે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ 14 જાન્યુઆરી, 2026 ને બુધવારના રોજ થવા જઈ રહ્યો છે.
●સમય: બપોરે 03:08 મિનિટે (IST)
●તિથિ: પોષ વદ 11
●નક્ષત્ર: અનુરાધા
●ચંદ્ર રાશિ: વૃશ્ચિક
●લગ્ન: વૃષભ
મકરસંક્રાંતિના દિવસે વર્ષોથી દાન કરવાનો મહિમા છે અને યથાશક્તિ દાન કરી શકાય છે જ્યોતિષ શાસ્ત્રમાં દાન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થતી હોવાનું જણાવાયું છે.
આમતો મકરસંક્રાંતીના દિવસે આખો દિવસ દાન કરવા માટે શુભ માનવામાં આવે છે, પરંતુ આ વર્ષે બપોરે 3:08 વાગ્યે ઉત્તરાયણ શરૂ થશે અને 5:45 વાગ્યા સુધી ચાલશે જેથી ઉત્તરાયણનું પર્વ કુલ 2 કલાક અને 37 મિનિટ વધારે શુભ ગણી શકાય.
આજે તલ ભરેલા વાસણમાં વસ્ત્રનું દાન બ્રાહ્મણને આપવાથી મહાપાપ, મહાવ્યાધિ તથા રોગ અને ભયનો નાશ થાય છે.
ઉત્તરાયણ ઉપર તલ, વસ્ત્ર, ગોળ, વાસણનું દાન આપવાનો મહિમા છે ઉપરાંત તલનો હોમ કરવો, તલના લાડવામાં સિક્કા મૂકી ગુપ્તદાન કરી શકાય,ભારતીય પ્રાચીન સંસ્કૃતિમાં બહેન-દીકરીઓને ખીચડો આપવાની પરંપરા પણ છે.
આ પવિત્ર દિને ગાયોને ઘાસચારો ગરીબોને અન્ન, ગરમ વસ્ત્રોનું દાન આપવું, તલનું દાતણ કરવું, તલના તેલનું માલિશ કરવું, તલ અને ગોળનું સેવન કરવાની માન્યતા છે.
ઉત્તરાયણ ઉપર સૂર્યના સંપર્કમાં આવી પતંગ ચગાવવાથી વિટામિન ડી મળે છે.
ગોળ,તલ,ચીક્કી વગરે શરીરને ઠંડીથી રક્ષણ આપે છે વગરે પ્રાચીન સંસ્કૃતિમાં તહેવાર સાથે સાથે આરોગ્યનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે,આમ આપણા તહેવારો કોઈને કોઈ રીતે સમાજ વ્યવસ્થા આરોગ્ય અને એકબીજાને નજીક લાવવાનો અવસર હોય છે.
આમ,આજનું પર્વ પ્રાચીન માન્યતાઓ સાથે હર્ષનો સંગમ છે.
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









