Makar Sankranti: ઉત્તરાયણનું પર્વ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ખાસ મહત્વ ધરાવે છે! વાંચો

  • Gujarat
  • January 14, 2026
  • 0 Comments

Makar Sankranti: આજે ઉત્તરાયણનું પર્વ છે,લોકો સવારમાં દાન-પુણ્ય કરી બાળકો સાથે ધાબા ઉપર પતંગ ફીરકી,ચિક્કીના લાડુ,નાસ્તો લઈ ચડી ગયા છે અને ઊંધિયા પુરી અને જલેબીના ઓર્ડર આપી દીધા છે,બધેજ ઉત્સાહનું વાતાવરણ છે પણ દોસ્તો આજના દિવસે આપણે અન્ય જીવોનું પણ ધ્યાન રાખવું જોઈએ જે પક્ષીઓ માળા માંથી નીકળવાના સમય અને સાંજના સમયે પતંગ ચગાવવામાં થોડું ધ્યાન રાખવાનું છે, આજના દિવસે કાતિલ દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ થાય છે અને કાંતો મૃત્યુ પામે છે તેથી આ અબોલ જીવોનું ધ્યાન રાખવું આપણા સૌની ફરજ છે.

પતંગ રસિયાઓ માટે ગુડ ન્યૂઝ એ છે કે હવામાન વિભાગની આગાહી મુજબ આજે તા.14 જાન્યુઆરીના દિવસે પવનની ગતિ જળવાઈ રહેશે આજે ઉત્તર ઉત્તર -પૂર્વ તરફનાં પવન ફૂંકાશે. જ્યારે પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે. પવનની દિશા ઉત્તરથી પૂર્વ તરફની રહેવાની છે.

હવેતો આ તહેવાર ભારત જ નહીં પણ વિદેશમાં પતંગ ઉડાડી ઉત્તરાયણનું પર્વ ઉજવાય રહ્યું છે પણ કાતિલ દોરીનો પ્રયોગ ન કરવો જોઈએ જેથી જીવ હિંસા થાય.

આજે   સાયન પદ્ધતિ પ્રમાણે વાત કરવામાં આવે તો સૂર્ય 22 ડિસેમ્બરની આસપાસ રાશિ પ્રવેશ કરે છે, જે ઋતુ ફેરફાર માટે મહત્વનો છે, જ્યારે નિરયન પદ્ધતિ મુજબ 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ ઉજવાય છે. આ દિવસે કરવામાં આવતી સૂર્ય પૂજા અને દાનનું વિશેષ ફળ મળતું હોવાની માન્યતા છે.

આજે વર્ષ 2026માં ઉત્તરાયણ પર્વ ઉપર સૂર્ય મકર રાશિમાં ક્યારે પ્રવેશ કરશે અને દાન-પુણ્યનું શું મહત્વ હોય છે તે અંગે જાણીશું.આજે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ 14 જાન્યુઆરી, 2026 ને બુધવારના રોજ થવા જઈ રહ્યો છે.

●સમય: બપોરે 03:08 મિનિટે (IST)

●તિથિ: પોષ વદ 11

●નક્ષત્ર: અનુરાધા

●ચંદ્ર રાશિ: વૃશ્ચિક

●લગ્ન: વૃષભ

મકરસંક્રાંતિના દિવસે વર્ષોથી દાન કરવાનો મહિમા છે અને યથાશક્તિ દાન કરી શકાય છે જ્યોતિષ શાસ્ત્રમાં દાન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થતી હોવાનું જણાવાયું છે.

આમતો મકરસંક્રાંતીના દિવસે આખો દિવસ દાન કરવા માટે શુભ માનવામાં આવે છે, પરંતુ આ વર્ષે બપોરે 3:08 વાગ્યે ઉત્તરાયણ શરૂ થશે અને 5:45 વાગ્યા સુધી ચાલશે જેથી ઉત્તરાયણનું પર્વ કુલ 2 કલાક અને 37 મિનિટ વધારે શુભ ગણી શકાય.

આજે તલ ભરેલા વાસણમાં વસ્ત્રનું દાન બ્રાહ્મણને આપવાથી મહાપાપ, મહાવ્યાધિ તથા રોગ અને ભયનો નાશ થાય છે.

ઉત્તરાયણ ઉપર તલ, વસ્ત્ર, ગોળ, વાસણનું દાન આપવાનો મહિમા છે ઉપરાંત તલનો હોમ કરવો, તલના લાડવામાં સિક્કા મૂકી ગુપ્તદાન કરી શકાય,ભારતીય પ્રાચીન સંસ્કૃતિમાં બહેન-દીકરીઓને ખીચડો આપવાની પરંપરા પણ છે.

આ પવિત્ર દિને ગાયોને ઘાસચારો ગરીબોને અન્ન, ગરમ વસ્ત્રોનું દાન આપવું, તલનું દાતણ કરવું, તલના તેલનું માલિશ કરવું, તલ અને ગોળનું સેવન કરવાની માન્યતા છે.
ઉત્તરાયણ ઉપર સૂર્યના સંપર્કમાં આવી પતંગ ચગાવવાથી વિટામિન ડી મળે છે.

ગોળ,તલ,ચીક્કી વગરે શરીરને ઠંડીથી રક્ષણ આપે છે વગરે પ્રાચીન સંસ્કૃતિમાં તહેવાર સાથે સાથે આરોગ્યનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે,આમ આપણા તહેવારો કોઈને કોઈ રીતે સમાજ વ્યવસ્થા આરોગ્ય અને એકબીજાને નજીક લાવવાનો અવસર હોય છે.
આમ,આજનું પર્વ પ્રાચીન માન્યતાઓ સાથે હર્ષનો સંગમ છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

 

Related Posts

Gujarat Farmers Protest: ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 30 જૂને ગુજરાતભરમાં ચક્કાજામ
  • June 16, 2026

Gujarat Farmers Protest: ગુજરાતના ધરતીપુત્રો હવે આકરા પાણીએ છે. અમદાવાદના શાંતિપુરા સર્કલથી શરૂ થયેલી ‘કિસાન અધિકાર યાત્રા’ જ્યારે ગાંધીનગર તરફ કૂચ કરી રહી હતી, ત્યારે ઓગણજ ટોલનાકા પર પોલીસે તેમને…

Continue reading
Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતો સામે ખાખી અને કોર્પોરેટની જોડી? વીજ પોલ મુદ્દે ઉગ્ર બન્યો વિરોધ
  • June 15, 2026

Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપર ગામની ધરતી પર અત્યારે અંધાધૂંધીનો માહોલ છે. પોતાની ખેતીલાયક જમીન અને પાકને બચાવવા માટે છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે, પરંતુ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 4 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 4 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 12 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 12 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 8 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?