
Europe: દુનિયામાં વિકસિત દેશોમાં ભારતીય લોકો અને ભારતની ગણના પછાત તરીકે થઈ રહી છે અને ભારતમાં સ્વચ્છતાનો અભાવ,અંધશ્રદ્ધા વગેરે મુખ્ય છે.
ભારતના શહેરોમાં અને ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી વ્યાપક છે, જેના કારણે લાખો લોકો ભીખ માંગે છે અને ગંદકી ફેલાવે છે.
પ્રદૂષણનું સ્તર ઊંચું છે, નદીઓ, રસ્તાઓ અને શહેરોમાં કચરાનો ઢગલો અને પ્રદૂષણની સમસ્યા ગંભીર છે, જેનું કારણ લોકોની બેદરકારી અને ગંદકી છે.
કેટલાક લોકોમાં ગંદકી ફેલાવવાની બેદરકારી અને અંધશ્રદ્ધા વ્યાપક પણે ફેલાયેલી છે,અહીં નેતાઓ દ્વારા વિકાસની વાતોને બદલે જાતિવાદ,કોમવાદ,ધર્મવાદ,ભ્રષ્ટાચાર જોવા મળે છે,જે પરિસ્થિતિને વધુ ખરાબ કરે છે.
જ્યારે વિદેશમાં ઉચ્ચ માથાદીઠ આવક, સ્થિર અને મજબૂત અર્થતંત્ર, સેવા ક્ષેત્રનું પ્રભુત્વ, વૈશ્વબીક વેપારમાં મોટો હિસ્સો. વિકાસ,સ્વચ્છતા અને સમગ્ર સિસ્ટમ અપગ્રેડ છે.
અદ્યતન ટેક્નોલોજી, મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિક પરિવહન અને ઊર્જા વ્યવસ્થાનો વિદેશમાં જનતાને ફાયદો મળે છે જ્યારે આપણે હજુ 18મી સદીમાં હોય તેવું વાતાવરણ છે આ માટે કોણ જવાબદાર?આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર મયુર જાનીએ ખૂબજ સરળ ભાષામાં સચોટ વ્યંગાત્મક વિડીયો સાથે વાસ્તવિક વિશ્લેષણ કર્યું છે,જોવાનું ચૂકશો નહિ પ્રસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









