Yogi Adityanath: બધાજ શંકરાચાર્ય ન બની શકે! યોગી આદિત્યનાથનું નિવેદન, બેઉ “ભગવા” બાથે વળગ્યા! હિન્દુત્વનો ફુગ્ગો ફૂટી ગયો!!

  • India
  • February 14, 2026
  • 0 Comments

Yogi Adityanath: ભાજપ હંમેશા હિન્દુત્વનો ઝંડો લઈ આગળ આવ્યું છે અને સાધુ, સંત ,ગાય ,ભગવા આ બધું ઓળખ બનું ગયું હતું પણ પ્રયાગરાજમાં શંકરાચાર્ય વાળો મુદ્દો જ્યારથી ઉઠ્યો ત્યારથી અને કતલખાના વાળું પ્રકરણ સામે આવ્યું ત્યારથી લાગે છે કે હિંદુત્વની હવા ધીરેધીરે ફુગ્ગામાંથી બહાર નીકળી રહી છે.

યોગી આદિત્યનાથ અને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વચ્ચે ચાલી રહેલા વિવાદ મામલે કહ્યું હતું કે, બધાજ વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે અને કોઈપણ પીઠના આચાર્ય વાતાવરણ ખરાબ ન કરી શકે. તેઓએ તેમની મર્યાદામાં રહેવું પડે અને કાયદાનું પાલન કરવું પડે.

જો તેઓ શંકરાચાર્ય હોત તો બધાજ નિયમોનું પાલન કર્યું હોત પણ તેનાથી વિપરીત શુ થયું? વારાણસીમાં લાઠીચાર્જ સુધી સ્થિતિ કેમ પહોંચી અને FIR કેમ થઈ ? નૈતિકતાની વાતો કરનારાઓએ પહેલા પોતાના આચરણ પર ધ્યાન આપવું જોઈએ તેમ યોગીએ કહ્યું હતું.

મુખ્યમંત્રી યાગીએ કહ્યું કે, પ્રયાગરાજના માઘ મેળામાં સાડા ચાર કરોડ શ્રદ્ધાળુઓ આવ્યા હતા ત્યારે ત્યાં વ્યવસ્થા અને સુરક્ષા સર્વોપરી છે. સ્નાન કર્યા બાદ શ્રદ્ધાળુઓ એક્ઝિટ ગેટથી બહાર નિકળી રહ્યા હોય, ત્યારે તે ગેટથી કોઈએ અંદર આવવાનો પ્રયાસ ન કરવો જોઈએ.’
સરકારની પ્રાથમિકતા વ્યવસ્થા જાળવવાની અને શ્રદ્ધાલુઓની સુરક્ષા કરવાની છે.’

જે ગેટ માત્ર ભક્તોને બહાર નીકળવા માટે બનાવ્યો છે તેવા એક્ઝિટ ગેટથી તેઓ એન્ટ્રી કરવાના હતા તેનાથી નાસભાગ થવાની આશંકા હતી અને શ્રદ્ધાળુઓ માટે મોટું જોખમ હતું ત્યારે એક જવાબદાર વ્યક્તિ ક્યારેય આવા પ્રકારનું આચરણ ન કરી શકે, યોગી અદિત્યનાથે કહ્યું કે ‘જો સમાજવાદી પાર્ટીના લોકો તેઓને પૂજવા ઈચ્છે છે તો ભલે પૂજે, પરંતુ સરકાર કાયદાના શાસનમાં વિશ્વાસ રાખે છે.’

યોગીના આ નિવેદન પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે વળતા પ્રહારમાં મુખ્યમંત્રીને નકલી યોગી ગણાવી કહ્યું કે, ‘ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી સૌથી વધુ સાંપ્રદાયિક, અલોકતાંત્રિક અને અસંસ્કારી છે. સરકાર કાનપુરને બદનામ કરવા માટે બુલડોઝરથી લોકોને ડરાવતી રહે છે. તેઓ શંકરાચાર્ય અને ત્રિવેણી વિવાદનું સત્ય છુપાવવનો પ્રયાસ કરી રહ્યા છે. રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા નબળી પડી ગઈ છે અને મેક ઈન ઈન્ડિયાની વાતો પોકળ સાબિત થઈ રહી છે.’

આમ,હિન્દુત્વ અને સંતો માટે મોટી મોટી વાતો કરનારા ભાજપ માટે હવે આ પ્રકરણ તેઓની ઈજ્જતની જાહેરમાં ‘વાટ’ લગાવી રહ્યું છે.
એમાંય વળી વિધાનસભામાં યોગી અદિત્યનાથે ભગવા કપડામાં જ બીજા સનાતની ભગવાની આલોચના કરતા સ્નાતનીઓ મુંઝવણમાં મુકાઈ ગયા છે કે સનાતનીઓમાં પણ હવે શુ રાજકારણ ઘુસી ગયુ છે?

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Strait of Hormuz: ભારત માટે GOOD NEWS હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર થવા દેવા ઈરાને આપી મંજૂરી! ટ્રમ્પના સીઝફાયર પ્રસ્તાવને ઈરાને ફગાવ્યો!
  • March 26, 2026

Strait of Hormuz: અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 27મો દિવસ છે, ટ્રમ્પની યુદ્ધ વિરામની વાતો ઈરાને ગપગોળા જણાવી છે અને કહ્યુ છે કે “અમે પહેલા પણ કહી ચુક્યા છે કે…

Continue reading
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!
  • March 24, 2026

Narendramodi: અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને રોકવા માટે પાકિસ્તાન મધ્યસ્થી તરીકે ઉભરી આવ્યું છે. અહેવાલો સૂચવે છે કે આ અઠવાડિયાના અંતમાં ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સામ-સામે મુલાકાત થઈ શકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Elections: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર! રાજકીય માહોલ ગરમાયો! આચાર સંહિતા લાગુ

  • April 1, 2026
  • 5 views
Elections: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર! રાજકીય માહોલ ગરમાયો! આચાર સંહિતા લાગુ

PM Modi: વાવ-થરાદમાં મોદીજીની સભા કેમ નિષ્ફળ રહી? એસટી બસો ખાલી જોવા મળી! સિનિયર પત્રકાર દિલીપ પટેલ શુ કહે છે? જુઓ વિડીયો

  • April 1, 2026
  • 9 views
PM Modi: વાવ-થરાદમાં મોદીજીની સભા કેમ નિષ્ફળ રહી? એસટી બસો ખાલી જોવા મળી! સિનિયર પત્રકાર દિલીપ પટેલ શુ કહે છે? જુઓ વિડીયો

BJP: મોદી સાહેબ ઉદ્ઘાટન કરતા જાય અને એરપોર્ટ બંધ થતાં જાય છે! ગજબનો સિલસિલો રહ્યો છે!! લોકોમાં ઉઠ્યા સવાલ

  • April 1, 2026
  • 12 views
BJP: મોદી સાહેબ ઉદ્ઘાટન કરતા જાય અને એરપોર્ટ બંધ થતાં જાય છે! ગજબનો સિલસિલો રહ્યો છે!! લોકોમાં ઉઠ્યા સવાલ

Donald Trump: અમેરિકન સેનાએ ઈરાનમાં ઘૂસવા પોઝિશન સંભાળી! 12 A-10C ફાઇટર જેટનો કાફલો તૈનાત! ઈરાને કહ્યુ “સર્વનાશ કરી નાખીશું!” ફાંકો હોયતો કાઢી નાખજો!

  • April 1, 2026
  • 9 views
Donald Trump: અમેરિકન સેનાએ ઈરાનમાં ઘૂસવા પોઝિશન સંભાળી! 12 A-10C ફાઇટર જેટનો કાફલો તૈનાત! ઈરાને કહ્યુ “સર્વનાશ કરી નાખીશું!” ફાંકો હોયતો કાઢી નાખજો!

PM Modi: PM નરેન્દ્ર મોદી શુદ્ધ “ચારિત્ર્યવાન નેતા” છે તેવું જૈનાચાર્યએ કેમ કહેવું પડ્યું? જાણો,આખો મામલો

  • April 1, 2026
  • 9 views
PM Modi: PM નરેન્દ્ર મોદી શુદ્ધ “ચારિત્ર્યવાન નેતા” છે તેવું જૈનાચાર્યએ કેમ કહેવું પડ્યું? જાણો,આખો મામલો

BJP: નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે કડક કાર્યવાહી કરનારા 5 IPS અધિકારીઓ સંસદમાં ચમક્યા! જાણો, શુ છે સમગ્ર મામલો

  • April 1, 2026
  • 15 views
BJP: નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે કડક કાર્યવાહી કરનારા 5 IPS અધિકારીઓ સંસદમાં ચમક્યા! જાણો, શુ છે સમગ્ર મામલો