
Modi: પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ‘અપમાન’નો મુદ્દો ગરમાયો છે,હવે કેન્દ્રીય ગૃહ સચિવે આ મામલે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ પાસેથી જવાબ માંગ્યો છે,બંગાળના મુખ્ય સચિવને એ પણ પૂછવામાં આવ્યું છે કે નિયમોનું પાલન કેમ ન કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે બાગડોગરા એરપોર્ટ નજીક આયોજિત આદિવાસી સમુદાયના કાર્યક્રમમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના મંત્રીઓની ગેરહાજરીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કાર્યક્રમનું સ્થળ બદલવાના નિર્ણય પર પણ પ્રશ્નો ઉઠાવ્યા અને એરપોર્ટ પર મુખ્યમંત્રીએ આવવાનું હોય પણ CM મમતા કે કોઈ મંત્રી રિસીવ કરવા ન આવ્યું અને એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે ફક્ત સિલિગુડીના મેયર ગૌતમ દેબ હાજર હતા જે મુદ્દે મામલો ગરમાયો અને પીએમ મોદી સહિતના નેતાઓએ ઘટનાને વખોડી કાઢી અને મમતા ઉપર પ્રહાર કર્યા.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દ્રૌપદી મુર્મુ સંથાલ સમુદાયના એક મોટા સમારોહમાં હાજરી આપવા બંગાળ ગયા હતા. પરંતુ રાષ્ટ્રપતિનું સન્માન કરવાને બદલે, ટીએમસીએ આ પવિત્ર અને મહત્વપૂર્ણ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો. તેમણે કહ્યું કે આ માત્ર રાષ્ટ્રપતિનું જ નહીં, પરંતુ ભારતના બંધારણ અને લોકશાહીની મહાન પરંપરાનું પણ અપમાન છે.
જોકે,કેટલાક વિશ્લેષકો નરેન્દ્ર મોદીના આ પ્રકારના તાત્કાલિક રિએક્શનથી ચોંકી ગયા કેમકે ટ્રમ્પના નિવેદન હોય કે પછી ખામેનીનું અવસાન હોય કે અમેરિકા એમ કહેતું હોય કે ભારત અમે કહીએ તેટલુંજ કરે! આવા આંતરરાષ્ટ્રીય મુદે ભારતનું અપમાન થતું હોય ત્યાં તેઓ એક હરફ બોલતા નથી અને આવા મુદ્દે તરતજ બોલવા માંડે છે. આ મુદ્દે વિશ્લેષકો સવાલ કરી રહયા છે કે આવું કેમ?
આ સિવાય ઇરાન-અમેરિકા યુદ્ધ પર કેટલીક વાતો સિનિયર પત્રકાર મયુર જાનીએ વિસ્તુત રીતે છણાવટ કરી છે જે જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









