
Adani: અમદાવાદમાં અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) દ્વારા નાખવામાં આવી રહેલી 765 KV હાઈ-વોલ્ટેજ પાવર ટ્રાન્સમિશન લાઈન પ્રોજેક્ટ સામે સ્થાનિક ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ આંદોલન મુખ્યત્વે જમીન સંપાદન, વળતર અને મોટા પાયે પર્યાવરણને થતા નુકસાનના મુદ્દે છે ધોળકા વિરમગામ વિસ્તારમાં નીલગીરી સહિતના લગભગ 70,000 વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે ખેડૂતોનો આક્ષેપ છે કે આ વીજ લાઈન માટે અંદાજે 1.50 લાખ વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે, જે પર્યાવરણ માટે ગંભીર જોખમ છે.
આ અંગે ધોળકાના ખેડૂત સંજય પટેલે જણાવ્યું હતું કે તેઓના ખેતરમાં ઘૂસીને ઝાડવાનું નિકંદન કાઢી નાખ્યું અને નજીવું વળતર આપ્યું હતું જુઓ તેઓએ અદાણી માટે શું કહ્યું? The Gujarat Report પર સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







