UP: મથુરાના પ્રખ્યાત ગૌ રક્ષક સંત ચંદ્રશેખર કે જેઓ ફરસા વાલે બાબા તરીકે જાણીતા હતા તેમનું ૨૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ સવારે એક ટ્રકે અડફેટમાં લેતા તેઓનું મોત થયું ગયું હતું ત્યારબાદ સમર્થકો અને સ્થાનિક લોકોએ ગાય તસ્કરો દ્વારા “હત્યા” ગણાવી ગૌ તસ્કરી કરનારાઓ અને બાબના મોત મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતું.આ ઘટના તા.21 માર્ચ શનિવારે સવારે 3:30 થી 4:00 વાગ્યાની વચ્ચે દિલ્હી-આગ્રા હાઇવે પર મથુરાના કોસીકલાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નવીપુર ગામ નજીક બની હતી.
બાબાને માહિતી મળી હતી કે હાઇવે પર એક ટ્રક ગૌ વંશ ભરીને જઈ રહ્યો છે તેઓ પોતાની મોટરસાઇકલ પર એક શંકાસ્પદ કન્ટેનરનો પીછો કર્યો અને ઉભી રખાવી અને પાછળથી આવેલા અન્ય ટ્રકે તેઓને કચડી નાખ્યા.હવે પોલીસે જે રીતે નિવેદન આપ્યું તેમાં પોલીસના જણાવ્યા અનુસાર, તે સમયે ગાઢ ધુમ્મસ હતું. બાબાએ જે નાગાલેન્ડ નોંધણી નંબરવાળા કન્ટેનરને રોક્યું હતું તેમાં સાબુ જેવા ડિટરજન્ટ પદાર્થ હતા.
જ્યારે પાછળથી આવી રહેલા રાજસ્થાન નોંધણી નંબરવાળા ટ્રક (લોખંડના વાયરથી ભરેલા) એ તેમને ટક્કર મારી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ બાબનું મોત થયું.જોકે, ગૌ રક્ષકોનો આરોપ છે કે બાબાની જાણી જોઇને હત્યા કરવામાં આવી છે કારણ કે તેઓ લાંબા સમયથી ગૌ હત્યા વિરુદ્ધ લડતા હતા અને ગૌ વંશ બચાવતા રહયા હતાબાબાના મોત બાદ મોટી સંખ્યામાં સ્થળ ઉપર ઉમટી પડેલા સમર્થકોએ હાઇવે જામ કરી દઈ વાહનોમાં તોડફોડ કરી હતી પોલીસે સ્થિતિ કાબુમાં લેવા ટીયર ગેસ છોડ્યા હતા.આ આખી ઘટના અંગે સ્થાનિક પત્રકાર શિવકુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે ભાજપના રાજમાં જ અહીં ગૌ વંશ ભરીને જતા ટ્રકો અંગે અવારનવાર ફરિયાદો ઉઠતી રહી છે અને મથુરા જેવા પવિત્ર સ્થળે પણ ગૌ માતાની તસ્કરી કલંકિત ઘટનાઓ છે પણ બાબાએ આ અંગે પોલીસને જાણ કરવાની જરૂર હતી.મિશ્રાજીએ આ મુદા ઉપર વિસ્તારથી પ્રકાશ પાડ્યો છે જુઓ તે દિવસે ખરેખર શું બન્યું હતું જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







