
Modi: સમગ્ર દેશમાં ઉથલ પાથલ મચી છે અને ઘણા એવા સવાલો છે જેનો વિપક્ષ જવાબ માંગી રહ્યો છે પણ તેના કોઈ જવાબ મળતા નથી આવા સમયે વિશ્લેષકોમાં પણ સવાલ ઉઠ્યો છે કે શું પ્રબુદ્ધ લોકોની જવાબદારી બનતી નથી કે ખોટા લોકો કે વિચારસરણીને શા માટે ટેકો આપવો જોઈએ ? ખોટાને ખોટું કેમ કહેતા નથી? જોકે અપવાદ રૂપ કિસ્સામાં મધુ કિશ્વરની વાત કરવામાં આવેતો તેઓ એક સમયે નરેન્દ્ર મોદીના પ્રખર સમર્થક હતા અને ૨૦૧૪ની ચૂંટણી પહેલાં તેમના સમર્થનમાં ‘મોદીનામા’ પુસ્તક પણ લખ્યું હતું. જોકે,હવે તેમણે વડાપ્રધાન મોદી પર ગંભીર અંગત અને નૈતિક આક્ષેપો કર્યા છે, જે તેમના અગાઉના વલણથી બિલકુલ વિપરીત છે એજ રીતે પ્રખ્યાત વકીલ રામ જેઠમલાણી કે જેઓએ ૨૦૧૪માં મોદીને ટેકો આપ્યો હતો, પરંતુ થોડા જ સમયમાં તેઓ ભ્રષ્ટાચાર અને કાળા નાણાં જેવા મુદ્દે મોદી સરકારના કટ્ટર વિરોધી બની ગયા હતા. તેમનું અવસાન ૮ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ થયું હતુ.આવા ગુજરાતમાં પણ ઘણા નામો છે જેઓ અગાઉ સમર્થક હતા પણ બાદમાં વિરોધી બની ગયા હતા જેમાં શંકરસિંહ વાઘેલા અને કેશુબાપા વગરે નામો સમાચાર માધ્યમોમાં છવાયેલા રહેતા હતા.સિનિયર પત્રકાર મયુર જાની અને ડો.રાકેશ પાઠકે આ મુદ્દે વિસ્તુત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે. જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!






