
■ The Gujarat Reportના MD મયુર જાનીએ મધુ કિશ્વર સાથે કરી સીધી વાત,જોવાનું ચૂકશો નહિ
Madhu Kishwar: દેશમાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ મોટા ધમાકા કરી હલચલ મચાવનાર વરિષ્ઠ પત્રકાર અને લેખક મધુ કિશ્વરે The Gujarat Report ના MD મયુર જાની સાથેના ઇન્ટરવ્યૂ દરમિયાન નરેન્દ્ર મોદીની પોલ ખોલી હતી તેઓએ ‘ગોદી મીડિયા’ની ઝાટકણી પણ કાઢી હતી, ઉલ્લેખનીય છે કે મધુ કિશ્વરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ‘પોલ ખોલ’ અભિયાન ચલાવ્યુ છે અને મોદી વિરુદ્ધ અનેક ગંભીર અને સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે.
મધુ કિશ્વરે પીએમ મોદીના અંગત ચરિત્ર અને મહિલાઓ સાથેના તેમના સંબંધો વિશે ગંભીર આરોપો લગાવ્યા હતા, જેમાં “જાતીય શોષણ” અને “હિંસક” વર્તનનો સમાવેશ થાય છે મહત્વનું છે કે તેઓએ અગાઉ પણ માનસી સોની સાથે જોડાયેલા જૂના સ્નૂપગેટ વિવાદનો ઉલ્લેખ કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેમની પાસે આ બાબતો સાથે સંબંધિત પુરાવા પણ છે.
તેમણે પીએમ મોદીને “શેતાની શાસક” અને “સીઆઈએ પ્લાન્ટ” પણ કહ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે સરકારની નીતિઓ હિન્દુઓને નબળા પાડવાનો હેતુ ધરાવે છે, કિશ્વરે એ પણ દાવો કર્યો હતો કે પીએમ મોદીને તેમના અંગત આચરણ બદલ તેમના દુશ્મન દ્વારા બ્લેકમેલ પણ કરવામાં આવી રહ્યા છે અને તે ટૂંક સમયમાં તેના “પુરાવા” રજૂ કરશે.આમ,મોદી સામે ગંભીર પ્રકારના આરોપ લગાવી કિશ્વરે સનસનાટી મચાવી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ એજ મધુ કિશ્વર છે કે જેઓ અગાઉ મોદીથી ખૂબજ પ્રભાવિત હતા અને સમર્થક પણ હતા તેઓએ મોદી માટે ‘મોદીનામા’પુસ્તક પણ લખ્યું હતું પણ હવે તેઓ કહી રહયા છે કે બાદમાં ખબર પડી કે નરેન્દ્ર મોદી હકીકતમાં કેવા છે? અને હવે તેઓ મોદીના કટ્ટર બની ગયા છે અને પોલ ખોલી રહયા છે,જુઓ વિડીયો
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!






