
BJP: ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ તાજેતરમાં ટ્વિટર (X) અને ઇન્ટરવ્યુમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે અમિત શાહ પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે હરેન પંડ્યાની હત્યામાં અમિત શાહની જે ભૂમિકા હતી તે ક્યારેક તો બહાર આવશે જ અને તેમને કાયદાનો સામનો કરવો પડશે. સ્વામીએ અમિત શાહને “ગુંડા” કહીને પણ સંબોધ્યા છે.
આ પહેલા “પ્લાનિંગ એ હરેન પંડ્યા” ઓક્ટોબર 2022 માં, સ્વામીએ એક વિવાદાસ્પદ ટ્વિટમાં આશંકા વ્યક્ત કરી હતી કે મોદી અને શાહ તેમની પર પણ “હરેન પંડ્યા જેવો ઘાટ” (સાઇડલાઇન કરવા અથવા નુકસાન પહોંચાડવા) ઘડવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જોકે, પાછળથી તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમનો અર્થ હરેન પંડ્યાને ભાજપમાંથી “સાઇડલાઇન” કરવા વિશે હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની 26 માર્ચ, 2003ના રોજ અમદાવાદના લો ગાર્ડન પાસે તેમની કારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી આ મર્ડર કેસમાં CBI એ દાવો કર્યો હતો કે 2002 ના રમખાણોનો બદલો લેવા માટે કટ્ટરપંથી મુસ્લિમ જૂથો દ્વારા આ હત્યા કરવામાં આવી હતી.
સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસના સાક્ષી આઝમ ખાને કોર્ટમાં જુબાની આપી હતી કે સોહરાબુદ્દીને તેને કહ્યું હતું કે હરેન પંડ્યાની હત્યાનો કોન્ટ્રાક્ટ પૂર્વ IPS અધિકારી ડી.જી. વણઝારાએ આપ્યો હતો હરેન પંડ્યા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ટીકાકાર માનવામાં આવતા હતા. તેમના પિતા વિઠ્ઠલભાઈ પંડ્યાએ પણ આ હત્યાને રાજકીય કાવતરું ગણાવ્યું હતું.
દરમિયાન 2011 માં ગુજરાત હાઈકોર્ટે પુરાવાઓના અભાવે CBI દ્વારા ધરપકડ કરાયેલા 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા અને CBI ની તપાસની ટીકા કરી હતી. જોકે, 2019 માં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ ચુકાદાને પલટીને આ આરોપીઓને ફરીથી દોષિત ઠેરવ્યા હતા.
જોકે,ફરી આ મુદ્દો રાજકીય રંગ પકડી રહ્યો છે આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત છણાવટ કરી છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








