
Accident: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર ભાસ્કરપરા નજીક કાળમુખા ટ્રકે પગપાળા જઈ રહેલા સંઘને પાછળથી અડફેટે લેતા સાત પદયાત્રીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થતાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.
મુંધવા (ભરવાડ) સમાજના 10 પદયાત્રીઓનો સંઘ રાજકોટથી બેચરાજી પગપાળા જઈ રહ્યા હતા, ત્યારે લખતર-વિરમગામ હાઈવે ઉપર આવેલા ભાસ્કરપરા ગામ નજીક અકસ્માતની આ ઘટના બની હતી, મૃતકોમાં પાંચ મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે અકસ્માતની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે પદયાત્રીઓના પાર્થિવ દેહ હાઈવે પર લોહીલુહાણ હાલતમાં વેરવિખેર થઈ ગયા હતા.
પદયાત્રીઓ એ છારદ ગામે નાઈટ હોલ્ટ (રાત્રિ રોકાણ) કર્યું હતું અને ત્યાંથી તેઓ વહેલી સવારે આગળ બહુચરાજી તરફ જવા નીકળ્યા ત્યારે આ ઘટના બની હતી
આ દુર્ઘટનામાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા, અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ 7 લોકોના અરેરાટી ભર્યા કરુણ મોત થયા છે ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને 108 ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લખતર હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી,પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









