Election: ભાજપે 300 બેઠકો ઉપર બાજી મારી! ખરીદ-વેચાણનો ભાવ 30થી 40 લાખ રૂપિયા? ચૂંટણી અધિકારીએ ભાજપના ક્યા નેતાના પ્રેશરથી આત્મહત્યા કરી? જાણો

Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનોની અલગ અલગ ટીમો કામે લાગી ગઈ છે એક ટીમ પ્રચાર પસાર માટે શેરીઓમાં ઉતરી પડી છે અને વ્હાલા મતદારોને રીઝવવા જાતજાતના ગતકડાં કરી રહયા છે જ્યારે બીજી ટીમ ‘તોડ-જોડ’ની નીતિ અપનાવી રહી છે,ઉમેદવારી પત્રકોનીચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે 15 એપ્રિલ સુધી અંદરની ખરીદ વેચાણની રણનીતી ચાલશે.

વિગતો મુજબ કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારોના ફોન બંધ છે અને હવે તેમની ઉપર નજર રાખવામાં આવી રહી છે, બીજી તરફ ભાજપ દ્વારા અન્ય ઉમેદવારોને લાલચ આપી ઉમેદવારી પાછી ખેંચાવી વધુમાં વધુ બેઠક બિનહરીફ કરાવવાની કથિત નીતિ સામે પણ વોચ રાખવામાં આવી રહી છે.બીજી એક ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે ભાજપના નેતાઓ 20થી 30 લાખ રૂપિયા આપવાની લાલચ આપી કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો અને ફોર્મ રદ કરાવવા ભાજપના નેતાઓએ દબાણ કરતા ઉમરગામના મામલતદાર દલપતભાઈ છોટુભાઈ બ્રહ્મકચ્છએ આપઘાત કર્યો હોવાનો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે.

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મામલતદાર દલપતભાઈની ફરજ ઉમેદવારોના ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવાની હતી. કયા ફોર્મ માન્ય છે, કયા સાચા છે, કયા નામંજૂર કરવાના છે તે નક્કી કરવાની અને ઉમેદવારની અરજીમાં કોઈ ખામીઓ ઓળખવાની અને આ મૂલ્યાંકનોના આધારે નિર્ણયો લેવાની હતી,મામલતદાર ડી.સી. બ્રહ્મકચ્છ આ ફરજ બજાવતા હતા અને સોમવારે રાત્રે એવું તે શું બન્યું કે ઉમરગામ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નજીક રેલ્વે ટ્રેક પર આત્મહત્યા કરી લીધી.
ફોર્મ રદ કરાવવા ભાજપના નેતાઓના દબાણ હેઠળ ટેંશનમાં આવી ગયેલા ઉમરગામના ચૂંટણી અધિકારીએ આપઘાત કર્યો હોવાનો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે. આ અંગે રજૂઆત કરવા આજે કોંગ્રેસનું એક ડેલિગેશન રાજ્ય ચૂંટણી આયોગને મળશે.

આ રહસ્યમય આત્મહત્યા પ્રકરણમાં ભાજપના ક્યા ક્યા નેતાઓનું પ્રેશર હતું તે જાણવાનો પ્રયાસ કરાશે, અલબત આખી ઘટના ભારે શંકાના ઘેરામાં આવી ગઈ છે,જે વલસાડ જ નહીં પણ નેશનલ લેવલે ચર્ચાનો વિષય બની છે.

બીજી એક ઘટનામાં ખેડાના માતર ભાજપના પૂર્વ MLA કેસરીસિંહ સોલંકી હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે તેઓને અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો છે.મહત્વનું છે કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપે કેસરીસિંહ સોલંકીને સસ્પેન્ડ કર્યા હતાં.

ઉમેદવારી ફોર્મ ચકાસણીના છેલ્લા દિવસે રાજ્યમાં 9,819 ફોર્મ રદ થયા હતા. જેમાં મનપામાં 1,934, નગરપાલિકામાં 1,164, જિલ્લા અને તાલુકા પંચાયતમાં 6,721 રદ કરાયા છે. ઉમેદવારીના આંકડાઓનું વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે સૌથી વધુ રસાકસી તાલુકા પંચાયત સ્તરે જોવા મળી છે.અહીં કુલ 20,000થી વધુ ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાંથી દસ્તાવેજી કે ટેક્નિકલ ખામીઓને કારણે 6,721 ફોર્મ રદ કરવામાં આવ્યા છે.આમ,ફોર્મ ચકાસણી પૂર્ણ થતાંજ હવે ખરો ખેલ શરૂ થયો છે અને શામ-દામ-દંડની રીતિનિતી શરૂ થઈ છે.

■ ભાજપે ચુંટણીઓ અગાઉ આટલી બેઠકો ઉપર બાજી મારી અને 15 એપ્રિલ સુધીમાં આંક વધી શકે છે.

ગુજરાતમાં 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટી (BJP) એ મોટી સફળતા મેળવી છે આજે તા. 14 એપ્રિલ, 2026 સુધીની વિગતો મુજબ, 300 જેટલી બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે.

■ ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ વિવિધ જિલ્લાઓમાં ભાજપની સ્થિતિ આ મુજબ છે.

કુલ બિનહરીફ બેઠકો: સમગ્ર રાજ્યમાં આશરે 300 બેઠકો પર ભાજપ બિનહરીફ જીત્યું છે.

નવસારી જિલ્લો: અહીં સૌથી વધુ 41 થી 42 બેઠકો પર ભાજપનો વિજય થયો છે, જેમાં ગણદેવી નગરપાલિકાની તમામ 21 બેઠકોનો સમાવેશ થાય છે.

મહેસાણા (કડી): કડી નગરપાલિકામાં 36 માંથી 22 બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા બન્યું છે.

પંચમહાલ (શહેરા): શહેરા નગરપાલિકાની 15 બેઠકો પર ભાજપે ચૂંટણી પહેલા જ કબજો મેળવી લીધો છે.

અરવલ્લી (બાયડ): બાયડ નગરપાલિકામાં 24 માંથી 11 બેઠકો ભાજપના ફાળે બિનહરીફ ગઈ છે.

કચ્છ: કચ્છમાં પણ વિવિધ બેઠકો પર ફોર્મ રદ થતા ભાજપે બિનહરીફ વિજય સાથે ખાતું ખોલાવ્યું છે.

ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ, 15 એપ્રિલ 2026 સુધી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે, ત્યારબાદ બિનહરીફ બેઠકોનો આખરી આંકડો વધુ સ્પષ્ટ થશે.આમ,ભાજપની આ રણનીતિ કોંગ્રેસ-આપ માટે થોડી ચેતવણી રૂપ હોય તેઓ પોતાના ઉમેદવારો ઉપર નજર રાખી રહયા છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Accident: લખતર-વિરમગામ હાઈવે પર કાળમુખો ટ્રક પદયાત્રીઓ ઉપર ફરી વળ્યો,7ના કરુણ મોત થતાં અરેરાટી
  • April 13, 2026

Accident: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર ભાસ્કરપરા નજીક કાળમુખા ટ્રકે પગપાળા જઈ રહેલા સંઘને પાછળથી અડફેટે લેતા સાત પદયાત્રીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થતાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. મુંધવા…

Continue reading
Gujarat Politics: ભાજપે રણનીતિ બદલી! નવા ઉત્સાહી-ફ્રેશ-યંગ ચહેરાઓને ટીકીટ આપી!જુના જોગીઓને પાર્ટીની સેવાનો મોકો અપાયો!
  • April 11, 2026

Gujarat Politics: ગુજરાતમાં 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને ભાજપમાં ભ્રષ્ટાચાર વધતા હવે પાર્ટીની ઇમેજ બદલવા જાણે બધું ઉપરથી નીચે સુધી ચહેરા બદલવાનું શરૂ થયું હોય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

New Chief Minister of Bihar: બિહારના નવા CM તરીકે સમ્રાટ ચૌધરીના નામની મહોર ; તા.15 એપ્રિલે લેશે શપથ

  • April 14, 2026
  • 4 views
New Chief Minister of Bihar: બિહારના નવા CM તરીકે સમ્રાટ ચૌધરીના નામની મહોર ; તા.15 એપ્રિલે લેશે શપથ

Election: ભાજપે 300 બેઠકો ઉપર બાજી મારી! ખરીદ-વેચાણનો ભાવ 30થી 40 લાખ રૂપિયા? ચૂંટણી અધિકારીએ ભાજપના ક્યા નેતાના પ્રેશરથી આત્મહત્યા કરી? જાણો

  • April 14, 2026
  • 12 views
Election: ભાજપે 300 બેઠકો ઉપર બાજી મારી! ખરીદ-વેચાણનો ભાવ 30થી 40 લાખ રૂપિયા? ચૂંટણી અધિકારીએ ભાજપના ક્યા નેતાના પ્રેશરથી આત્મહત્યા કરી? જાણો

Big political changes in Bihar: નીતિશ કુમાર પોતાની છેલ્લી કેબિનેટ બેઠકમાં થયા ભાવુક : મંત્રીઓ રડી પડ્યા!

  • April 14, 2026
  • 12 views
Big political changes in Bihar: નીતિશ કુમાર પોતાની છેલ્લી કેબિનેટ બેઠકમાં થયા ભાવુક : મંત્રીઓ રડી પડ્યા!

Modi: નરેન્દ્ર મોદી સાહેબે પોતાની ઉંમરના બુઝુર્ગોને દાદા-દાદી કહેતા ઉઠ્યા હાસ્યના ફુવારા! સાહેબ પોતે તો દાદાની ઉંમરે પહોંચ્યા છે!!

  • April 14, 2026
  • 17 views
Modi: નરેન્દ્ર મોદી સાહેબે પોતાની ઉંમરના બુઝુર્ગોને દાદા-દાદી કહેતા ઉઠ્યા હાસ્યના ફુવારા! સાહેબ પોતે તો દાદાની ઉંમરે પહોંચ્યા છે!!

Washington DC: લેબનાન ઉપર હુમલા બંધ થાય પછીજ ચર્ચા! ઈરાનની આ શરત પાળવા વોશિંગ્ટન ડીસીમાં આજે બેઠક

  • April 14, 2026
  • 7 views
Washington DC: લેબનાન ઉપર હુમલા બંધ થાય પછીજ ચર્ચા! ઈરાનની આ શરત પાળવા વોશિંગ્ટન ડીસીમાં આજે બેઠક

Donald Trump: ઈરાને ભારતીય જહાજોને “ટોલ”માંથી આપી મુક્તિ! અમેરિકા-ઈરાન વચ્ચે સામસામી ધમકી આપવાનો સિલસિલો યથાવત

  • April 14, 2026
  • 9 views
Donald Trump: ઈરાને ભારતીય જહાજોને “ટોલ”માંથી આપી મુક્તિ! અમેરિકા-ઈરાન વચ્ચે સામસામી ધમકી આપવાનો સિલસિલો યથાવત