
BJP: ભારતમાં ‘સ્વચ્છ ભારત મિશન’ (SBM) અંતર્ગત ઘરદીઠ શૌચાલય બનાવવા માટે ભાજપે 2 ઓક્ટોબર 2014 ના રોજથી ઝુંબેશ શરૂ કરી છે તેનો લાભ પણ જણાઈ રહ્યો છે,જે ઉમેદવાર પોતાના ઘરે શૌચાલય નથી બનાવ્યું તેઓ ચૂંટણીમાં ઉમેદવારી કરવા લાયક ઠરતા નથી તે વાત ટીકીટ આપનાર કોંગ્રેસને ખબર ન હોવાથી તેનો ફાયદો ભાજપને થઈ ગયો.
વડોદરા જિલ્લાની શિનોર તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ઘરે શૌચાલય ન હોવાના કારણે રદ થતા ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે શિનોર તાલુકા પંચાયત (શિનોર-1 બેઠક) કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ વસાવાનું ફોર્મ શૌચાલયના અભાવે રદ કરવામાં આવ્યું છે કોંગ્રેસનું ફોર્મ રદ થતા ભાજપના ઉમેદવાર પ્રમોદભાઈ વસાવા બિનહરીફ (Unopposed) વિજેતા બન્યા છે.
આ મુદ્દે ચૂંટણી અધિકારીની કચેરીમાં ભારે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો અને કોંગ્રેસે આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો.
ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડતા ઉમેદવારના ઘરે કાર્યરત શૌચાલય હોવું ફરજિયાત છે, જે નિયમ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું તંત્રનું કહેવું છે.
વિગતો મુજબ શિનોર મામલતદાર કચેરી ખાતે તા.13 એપ્રિલના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન શિનોર ૧ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પ્રમોદ પૂનમ વસાવાએ કોંગ્રેસના ઉમેદવાર રમેશ બચુ વસાવા તેમના ઘરે શૌચાલય ધરાવતા ના હોવાની લેખિત રજૂઆત કરાયા બાદ ભાજપના આગેવાનોની દરમિયાનગીરી અને મોડીરાત્રે કોંગ્રેસના ઉમેદવાર રમેશ બચુ વસાવાના રહેણાંકના સ્થળે શૌચાલયની સુવિધા ના હોવાનું પંચની હાજરીમાં કંન્ફોર્મ થયા બાદ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કર્યુ હતું પરિણામે ભાજપના ઉમેદવાર પ્રમોદ વસાવા બિનહરીફ રહયા છે. તેની લોકોને સવારે જાણ થઈ હતી આમ,જાજરૂ ન હોવાથી છેલ્લી ઘડીએ ભાજપને તાલુકા પંચાયતની એક બેઠક પ્રાપ્ત થઈ છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!
https://youtu.be/xjgDJIKW8SY?si=2soeznTdJhPmwNi_








