
Adani: જામનગર સ્ટેટના પૂર્વ રાજવી જામ સાહેબ શત્રુશલ્યસિંહ જાડેજા અને અદાણી ગ્રૂપ (હાઈવુડ્સ ઇન્ફ્રાસ્પેસ) વચ્ચે થયેલા રૂ. 219 કરોડના ઐતિહાસિક એમઓયુએ સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે જામનગરના મહારાજા શત્રુશલ્યસિંહજી જાડેજા અને અદાણી ગ્રૂપની કંપની હાઈવુડ્સ ઇન્ફ્રાસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ વચ્ચેની આશરે ₹૨૧૯ કરોડની પ્રોપર્ટી ડીલ ચર્ચામાં છે આ કરાર હેઠળ જામસાહેબે તેમની માલિકીની કેટલીક મિલકતો અદાણી ગ્રૂપને સોંપી છે.
જામનગરના જામસાહેબ અને અદાણી જૂથની કંપની ‘હાઈવુડ્સ ઇન્ફ્રાસ્પેસ’ વચ્ચે રિયલ એસ્ટેટ સંબંધી કરાર થયો છે, જે અંતર્ગત જામસાહેબે પોતાની માલિકીની જમીન/મિલકત કંપનીને સોંપી છે આ ડીલમાં અંદાજે ૭ રિયલ એસ્ટેટ મિલકતો સામેલ હોવાના અહેવાલો છે, જેની બજાર કિંમત વધુ હોઈ શકે છે આ કરાર અંદાજે ₹૨૧૯ કરોડની આસપાસ હોવાનું કહેવાય છે, જેના પર સમગ્ર રાજ્યમાં ચર્ચા ચાલી રહી છે.
મહત્વનું છે કે જુલાઈ 2025માં જ જામસાહેબ આ મામલે સ્પષ્ટતા કરી ચૂક્યાંના પણ કેટલાક મીડિયા રિપોર્ટસમાં અહેવાલ છે કે તેઓ આ સંપત્તિ વેચી રહ્યા નથી, પરંતુ નજીવી કિંમતે કંપનીને ડેવલપમેન્ટ કરવા માટે હક્કો આપ્યા છે અને અદાણી જૂથ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ જામનગરના વિકાસ માટે આ જમીનનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું હતું કે, “મેં અદાણી જૂથને વિનંતી કરી હતી કે તેઓ જામનગરની મારી અમુક સંપત્તિ લઈને તેની ઉપર ડેવલપમેન્ટ માટેનાં કામો કરે, જેથી જામનગરનો વિકાસ થઈ શકે. તેમણે આ વિચાર પર સહમતિ દર્શાવી છે અને જેથી મેં આ સંપત્તિ તેમને આપી છે.”
જોકે,અસલી કારણ શું છે? તે અંગે અનેક અટકળો થઈ રહી છે અને એક વાત એવી પણ ચર્ચામાં છે કે મે 2024માં નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન જામ સાહેબ શત્રુશલ્યસિંહ જાડેજાના પાયલોટ બંગલોમાં મળવા ગયા હતા જ્યાં તેઓએ પાઘડી પહેરાવીને નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતુ ત્યારબાદ પ્રણવ અદાણી મળવા ગયા અને સોદો પાકો થઈ ગયો હતો.
આ અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







