
Gopal Italia: આમ આદમી પાર્ટી (AAP) ના નેતા ગોપાલ ઈટાલિયાએ બિનહરીફ વરણી થવાની ઘટનાઓને “લોકશાહીની હત્યા” ગણાવી છે ઈટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષ દ્વારા સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવીને વિરોધ પક્ષના ઉમેદવારોને મેદાનમાંથી હટાવવામાં આવ્યા છે લોકશાહી દેશમાં મતદારોના અધિકારનું હનન કરવામાં આવી રહ્યું છે, તેમણે જણાવ્યું કે જ્યારે કોઈ બેઠક બિનહરીફ જાહેર થાય છે, ત્યારે જનતાનો મતાધિકાર છીનવાઈ જાય છે, જે લોકશાહી માટે જોખમી છે.
તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ ચૂંટણી લડવાથી ડરે છે અને તેથી જ આવા રસ્તાઓ અપનાવીને લોકશાહીના મૂલ્યોને નુકસાન પહોંચાડી રહ્યો છે ઈટાલીયાએ પોલીસ તંત્ર ઉપર ગંભીર આરોપ લગાવતા કહ્યુ કે ભાજપે પોલીસ ડિપાર્ટમેન્ટને ઉમેદવારો તોડવા ધંધે લગાડી દીધું હતા અને કેટલાક પોલીસ અધિકારીઓ ભાજપના દલાલ બની કામ કરતા હતા.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોને શામ, દામ અને દંડ વાપરીને તોડવાથી લઈ જાહેરમાં મારામારી-ઝપાઝપીના યુપી- બિહાર જેવા દ્રશ્યો જોઈ જનતા સમસમી ગઈ છે અને હલકા તથા ગંદા રાજકારણની ચર્ચાઓ વચ્ચે લોકશાહી માત્ર નામની રહી ગયાનું ચિત્ર સપાટી ઉપર આવ્યું છે,એક વર્ગ એવું પણ માને છે કે જો ભાજપ લોકપ્રિય પાર્ટી હોય અને વિકાસના કામો કર્યા જ છે તો વિરોધ પક્ષના ઉમેદવારો તોડવાની કેમ જરૂર પડે છે? નિમ્ન કક્ષાની રાજનીતિ કેમ કરી રહયા છે અને ફોર્મ પરત ખેંચાવી ડાયરેક ખુરશી ઉપર બિરાજમાન થઈ જવાની આતે ક્યાં પ્રકારની ચૂંટણી છે? કે જેમાં જનતાને ઉમેદવાર ચૂંટવાનો અધિકારજ નથી રહ્યો.
આમ,ગુજરાતમાં આ વખતે જે ખેલ ખેલાયો છે તે જોઈ જનતા સ્તબ્ધ બની ગઈ છે જે અંગે અનેક વિશ્લેષકો,વિરોધ પક્ષ અને બુદ્ધિજીવી વર્ગમાં ચિંતા પેઠી છે કે લોકશાહીમાં પરાદર્શકતા ક્યારે આવશે?આ પ્રકારની ચર્ચા હવે આમ જનતામાં જોવા મળી રહી છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








