Women Reservation Bill: મહિલા અનામત કાયદો લાગુ, સરકારે મોડી રાત્રે નોટિફિકેશન જાહેર કર્યું!

  • India
  • April 17, 2026
  • 0 Comments

Women Reservation Bill: દેશના કાયદા મંત્રાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરી ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ (મહિલા અનામત કાયદો) ને 16 એપ્રિલ 2026 થી અમલમાં મુકાયાની જાહેરાત કરી છે. સપ્ટેમ્બર 2023 માં સંસદ દ્વારા પસાર કરાયેલા આ 106માં બંધારણીય સુધારા હેઠળ લોકસભા અને રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે એક-તૃતીયાંશ (33%) બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે.

જોકે,આ જાહેરાત સરહે જ કાયદો અમલમાં આવી ગયો હોવા છતાં, લોકસભામાં મહિલાઓને તેનો હાલ તરત જ લાભ મળશે નહી,આ અનામતનો લાભ આગામી વસ્તી ગણતરી બાદ સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મળશે હાલ સંસદમાં જે ચર્ચાઓ ચાલે છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય આ મહિલા અનામત કાયદાને 2029ની ચૂંટણી થી અમલમાં લાવવાનો છે વડાપ્રધાન મોદીએ વિરોધ પક્ષોને અપીલ કરી છે કે દેશની નારી શક્તિનું દેશમાં યોગદાન મજબૂત બને તે માટે સૌએ સાથે મળી કામ કરવું જોઇએ.

જ્યારે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ સરકારની દાનત પર સવાલ ઉઠાવતા કહ્યું કે, સીમાંકન અને વસ્તી ગણતરીના નામે આ બિલને લંબાવવામાં આવી રહ્યું છે, જેમાં રાજકારણની રમત દેખાઈ આવે છે. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ મહિલા અનામતનું સમર્થન કરે છે પરંતુ સરકારની કાર્યપદ્ધતિ શંકાસ્પદ જણાઈ રહી છે આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે, સરકારે બધા પક્ષો સાથે વાત કરી છે અને મલ્લિકાર્જુન ખડગેને પણ ત્રણ વખત પત્ર લખ્યા છે. તેમણે ઉમેર્યુ કે આજે શુક્રવાર સાંજે 4 વાગ્યે આ અંગે મતદાન થશે,સરકારનો ધ્યેય એકમાત્ર મહિલાઓને તેમનો હક અપાવવાનો છે.

આમ,કાયદા મંત્રાલયે અડધી રાત્રે જાહેરનામું બહાર પાડીને બંધારણ (106મો સુધારો) અધિનિયમ, 2023ની જોગવાઈઓ 16 એપ્રિલ, 2026થી અમલમાં આવશે તેમ જણાવ્યું છે પણ સંસદમાં હાલ આ મુદ્દે ચર્ચા ચાલી રહી હતી ત્યારે જ આ નિર્ણય કેમ લેવાયો તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી લોકસભામાં ચર્ચા હેઠળના ત્રણ બિલોનો ઉદ્દેશ્ય ૨૦૨૯થી આ અનામતને અમલમાં મૂકવાનો છે આ અનામત વ્યવસ્થા શરૂઆતમાં ૧૫ વર્ષ માટે રહેશે, જેને સંસદ દ્વારા આગળ લંબાવી શકાય છે આ કાયદા હેઠળ લોકસભા, રાજ્યની વિધાનસભાઓ અને દિલ્હી વિધાનસભામાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત રાખવામાં આવશે

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

 

Related Posts

CBSE OSM Controversy: પોર્ટલ ઠપ્પ, પેમેન્ટ ફેલ અને પરિણામોમાં લોચા! NDA ના પોતાના જ મતદારો હવે માંગી રહ્યા છે ભ્રષ્ટ શિક્ષણ મંત્રીનું રાજીનામું
  • June 4, 2026

CBSE OSM Controversy: દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરનારી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ની ‘ઓન-સ્ક્રીન માર્કિંગ’ (OSM) સિસ્ટમની ગેરરીતિઓએ કેન્દ્ર સરકારની પોલ ખોલી દીધી છે. આ…

Continue reading
Yogi Adityanath Cow Politics: ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ પર યોગી આદિત્યનાથની ટિપ્પણી ‘પાખંડપૂર્ણ’
  • June 4, 2026

Yogi Adityanath Cow Politics: ઉત્તર પ્રદેશમાં ગાય અને ગોવંશના નામે રાજકારણ ગરમાવનારા ભારતીય જનતા પાર્ટી (BJP) ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો વધુ એક દંભી ચહેરો દેશ સામે આવ્યો છે. મુસ્લિમ ધર્મગુરુઓ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

CBSE OSM Controversy: પોર્ટલ ઠપ્પ, પેમેન્ટ ફેલ અને પરિણામોમાં લોચા! NDA ના પોતાના જ મતદારો હવે માંગી રહ્યા છે ભ્રષ્ટ શિક્ષણ મંત્રીનું રાજીનામું

  • June 4, 2026
  • 5 views
CBSE OSM Controversy: પોર્ટલ ઠપ્પ, પેમેન્ટ ફેલ અને પરિણામોમાં લોચા! NDA ના પોતાના જ મતદારો હવે માંગી રહ્યા છે ભ્રષ્ટ શિક્ષણ મંત્રીનું રાજીનામું

Dudhsagar Dairy SNF Price Scam: દૂધનાં ભાવ તો વધ્યા પણ ડેરીમાં પશુપાલકોનું શોષણ કેવું છે?

  • June 4, 2026
  • 7 views
Dudhsagar Dairy SNF Price Scam: દૂધનાં ભાવ તો વધ્યા પણ ડેરીમાં પશુપાલકોનું શોષણ કેવું છે?

Yogi Adityanath Cow Politics: ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ પર યોગી આદિત્યનાથની ટિપ્પણી ‘પાખંડપૂર્ણ’

  • June 4, 2026
  • 10 views
Yogi Adityanath Cow Politics: ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ પર યોગી આદિત્યનાથની ટિપ્પણી ‘પાખંડપૂર્ણ’

Malviya Nagar Fire Tragedy Delhi: દિલ્હીના માલવીય નગરમાં ભીષણ આગનો તાંડવ, ૬ રૂમની પરવાનગી વાળા બિલ્ડિંગમાં ૨૦ ઓરડા કોના આશીર્વાદથી ખડકાયા?

  • June 4, 2026
  • 6 views
Malviya Nagar Fire Tragedy Delhi: દિલ્હીના માલવીય નગરમાં ભીષણ આગનો તાંડવ, ૬ રૂમની પરવાનગી વાળા બિલ્ડિંગમાં ૨૦ ઓરડા કોના આશીર્વાદથી ખડકાયા?

Ghatlodia Contaminated Water: સ્માર્ટ સિટીના નામે ઘાટલોડિયાની જનતાને પિવડાવ્યું ગટરનું પાણી, ૧૦૦૦ થી વધુ લોકો બીમાર

  • June 4, 2026
  • 10 views
Ghatlodia Contaminated Water: સ્માર્ટ સિટીના નામે ઘાટલોડિયાની જનતાને પિવડાવ્યું ગટરનું પાણી, ૧૦૦૦ થી વધુ લોકો બીમાર

Abhishek Mishra Mathura Arrest: શિક્ષિતોને શિકાર બનાવતો આઈઆઈટી પાસઆઉટ ‘બાબા’ ગિરફ્તાર! પ્રસાદના નામે નશો કરાવી આશ્રમમાં ખેલાતો બળાત્કારનો ખેલ

  • June 4, 2026
  • 10 views
Abhishek Mishra Mathura Arrest: શિક્ષિતોને શિકાર બનાવતો આઈઆઈટી પાસઆઉટ ‘બાબા’ ગિરફ્તાર! પ્રસાદના નામે નશો કરાવી આશ્રમમાં ખેલાતો બળાત્કારનો ખેલ