
Women Reservation Bill: દેશના કાયદા મંત્રાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરી ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ (મહિલા અનામત કાયદો) ને 16 એપ્રિલ 2026 થી અમલમાં મુકાયાની જાહેરાત કરી છે. સપ્ટેમ્બર 2023 માં સંસદ દ્વારા પસાર કરાયેલા આ 106માં બંધારણીય સુધારા હેઠળ લોકસભા અને રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે એક-તૃતીયાંશ (33%) બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે.
જોકે,આ જાહેરાત સરહે જ કાયદો અમલમાં આવી ગયો હોવા છતાં, લોકસભામાં મહિલાઓને તેનો હાલ તરત જ લાભ મળશે નહી,આ અનામતનો લાભ આગામી વસ્તી ગણતરી બાદ સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મળશે હાલ સંસદમાં જે ચર્ચાઓ ચાલે છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય આ મહિલા અનામત કાયદાને 2029ની ચૂંટણી થી અમલમાં લાવવાનો છે વડાપ્રધાન મોદીએ વિરોધ પક્ષોને અપીલ કરી છે કે દેશની નારી શક્તિનું દેશમાં યોગદાન મજબૂત બને તે માટે સૌએ સાથે મળી કામ કરવું જોઇએ.
જ્યારે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ સરકારની દાનત પર સવાલ ઉઠાવતા કહ્યું કે, સીમાંકન અને વસ્તી ગણતરીના નામે આ બિલને લંબાવવામાં આવી રહ્યું છે, જેમાં રાજકારણની રમત દેખાઈ આવે છે. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ મહિલા અનામતનું સમર્થન કરે છે પરંતુ સરકારની કાર્યપદ્ધતિ શંકાસ્પદ જણાઈ રહી છે આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે, સરકારે બધા પક્ષો સાથે વાત કરી છે અને મલ્લિકાર્જુન ખડગેને પણ ત્રણ વખત પત્ર લખ્યા છે. તેમણે ઉમેર્યુ કે આજે શુક્રવાર સાંજે 4 વાગ્યે આ અંગે મતદાન થશે,સરકારનો ધ્યેય એકમાત્ર મહિલાઓને તેમનો હક અપાવવાનો છે.
આમ,કાયદા મંત્રાલયે અડધી રાત્રે જાહેરનામું બહાર પાડીને બંધારણ (106મો સુધારો) અધિનિયમ, 2023ની જોગવાઈઓ 16 એપ્રિલ, 2026થી અમલમાં આવશે તેમ જણાવ્યું છે પણ સંસદમાં હાલ આ મુદ્દે ચર્ચા ચાલી રહી હતી ત્યારે જ આ નિર્ણય કેમ લેવાયો તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી લોકસભામાં ચર્ચા હેઠળના ત્રણ બિલોનો ઉદ્દેશ્ય ૨૦૨૯થી આ અનામતને અમલમાં મૂકવાનો છે આ અનામત વ્યવસ્થા શરૂઆતમાં ૧૫ વર્ષ માટે રહેશે, જેને સંસદ દ્વારા આગળ લંબાવી શકાય છે આ કાયદા હેઠળ લોકસભા, રાજ્યની વિધાનસભાઓ અને દિલ્હી વિધાનસભામાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત રાખવામાં આવશે
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









