
Parliament Session: કેન્દ્રમાં મોદી સરકારના 12 વર્ષના કાર્યકાળમાં પ્રથમવાર લોકસભામાં 17 એપ્રિલ 2026ના રોજ 131મું બંધારણ સુધારા બિલ 2026 જરૂરી બે તૃતીયાંશ બહુમતી ન મળવાને કારણે પસાર થઈ શક્યું નથી બિલ નાપાસ થયા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, “બંધારણ (131મો સુધારો) સુધારા બિલ પસાર થઈ શક્યું નહીં કારણ કે તૃતીયાંશ બહુમતી મળી શકી ન હતી.
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ આ અંગે નિરાશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ખુબજ મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક બિલ માટેનું જે પરિણામ આવ્યું છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે તેઓએ કહ્યુ કે, વિપક્ષે એક સુવર્ણ તક ગુમાવી દીધી છે.,આ બિલ મહિલા અનામત (33%) ના અમલીકરણ અને લોકસભામાં બેઠકોની સંખ્યા વધારીને 850 કરવા માટેના સીમાંકન (Delimitation) સાથે સંબંધિત હતું.
■મતદાનના મુખ્ય આંકડા
તરફેણમાં (Ayes): 298 મત
વિરોધમાં (Noes): 230 મત
કુલ મતદાન: 528
■જરૂરી બહુમતી
બંધારણીય સુધારા માટે હાજર રહેલા અને મતદાન કરનારા સભ્યોની ઓછામાં ઓછી 2/3 બહુમતી (લગભગ 352 મત) જરૂરી હતી, જેની સામે સરકાર પાસે 54 મતોની ઘટ પડી હતી.
■બિલ નાપાસ થવાના મુખ્ય કારણો અને અસરો
●સીમાંકનનો વિરોધ: વિપક્ષી દળોએ આ બિલનો વિરોધ કર્યો કારણ કે તેમાં મહિલા અનામતને સીમાંકન (Delimitation) સાથે જોડવામાં આવ્યું હતું. વિપક્ષનો આક્ષેપ હતો કે આનાથી દક્ષિણ અને પૂર્વોત્તરના રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘટી શકે છે.
અન્ય બિલો પણ અટકી પડ્યા: આ બિલ નાપાસ થતા સરકારે તેની સાથે જોડાયેલા અન્ય બે બિલો—સીમાંકન બિલ 2026 અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા સુધારા બિલ 2026—સાથે આગળ ન વધવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે મોદી સરકારના 12 વર્ષના કાર્યકાળમાં આ પ્રથમ વખત બન્યું છે કે કોઈ બંધારણીય સુધારા બિલ સંસદમાં નાપાસ થયું હોય.
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સત્તાવાર રીતે બિલ નાપાસ થયાની જાહેરાત કરી અને ગૃહની કાર્યવાહી શનિવાર સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









