
PM Modi: આપણા યાત્રાધામોમાં જતા હિન્દુઓને હિન્દૂ જ નડી રહ્યાના કિસ્સા ખૂબજ ચોંકાવનારા છે અહીં સનાતનની વાતો માત્ર ભાષણો પૂરતી જ જોવા મળે છે બાકીતો યાત્રાધામ ઉપરના દ્રશ્યો ઘણું બધુ કહી જાય છે અને એક હિન્દૂ બીજા હિન્દુને મદદ કરતો નથી તે દરેક વિડીયોમાં જોવા મળતા દ્રશ્યો છે.
તાજેતરમાં ગુજરાતના વડોદરાથી બદરીનાથ-કેદારનાથ યાત્રાએ ગયેલા દિલીપભાઈ માળી નામના બાવન વર્ષના એક ભક્તનું હાર્ટ એટેક આવવાથી નિધન થયા બાદ આ ઘટના બાદ સ્થાનિક તંત્ર પર મદદમાં બેદરકારી અને હેરાનગતિના ગંભીર આક્ષેપો થયા છે દિલીપભાઈ માળી કેદારનાથ ધામની યાત્રાએ ગયા હતા જ્યાં ૨૨ એપ્રિલ ૨૦૨૬ ના રોજ મંદિરના કપાટ ખુલ્યા બાદ ભારે ભીડ હતી તે વખતે હાર્ટ એટેક આવતા તેઓ બેભાન થઈ ગયા હતા અને સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું.
■તંત્ર સામે હેરાનગતિના આક્ષેપો
મૃતકના પુત્ર, જે ટૂર ઓપરેટર છે, તેમણે સ્થાનિક તંત્ર પર બેદરકારીના ગંભીર આરોપો લગાવ્યા હતા પુત્રએ જણાવ્યું કે તેમણે 100 નંબર પર ફોન કરી મદદ માંગી હતી, તબીબી ટીમે ૫-૧૦ મિનિટમાં આવવાનું કહ્યું હતું પરંતુ દોઢ કલાક સુધી કોઈ મદદ મળી ન હતી પુત્રએ આક્ષેપ કર્યો છે કે પિતાનો દેહ બે કલાક સુધી તડકામાં પડ્યો રહ્યો હતો.
મૃતદેહને લાવવા માટે એમ્બ્યુલન્સ દ્વારા ૧૬,૦૦૦ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો આ ઘટના બાદ યાત્રાળુઓમાં ભારે રોષ અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે આ બધા હિન્દૂ હતા તેમછતાં બીજા હિન્દુને મદદે નહિ આવ્યા હોવાનું સામે આવ્યું છે,સનાતન ધર્મની વાતો ખૂબ થાય છે,રાજકારણ પણ ટનાટન ચાલે છે પણ આવા તો અનેક વિડીયો વાયરલ થયા છે જેમાં હિન્દૂ જ બીજા હિન્દૂ ને પરેશાન કરતા કે ગરજના પૈસા પડાવતા હોવાની અનેક ફરિયાદ ઉઠી છે ત્યારે આ અંગે સિનિયર પત્રકાર મયુર જાનીએ વિસ્તૃત વિશ્લેષણ કર્યું છે જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો








