
Prof K Nageshwar FIR: પ્રતિષ્ઠિત વરિષ્ઠ પત્રકાર, પૂર્વ એમએલસી (MLC) અને જાણીતા રાજકીય વિશ્લેષક પ્રોફેસર કે નાગેશ્વર વિરુદ્ધ આંધ્રપ્રદેશમાં એક પછી એક અનેક પોલીસ ફરિયાદો (FIR) દાખલ થતાં દેશના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને જનસેના પાર્ટી (JSP) ના પ્રમુખ પવન કલ્યાણ વચ્ચે થયેલી એક કથિત ગુપ્ત વાતચીત અંગે ટીવી ડિબેટમાં દાવો કરવા બદલ નાગેશ્વર વિરુદ્ધ આ કાનૂની સકંજો કસાયો છે. શાસક પક્ષ તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને તેની સહયોગી જનસેના પાર્ટી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. જો કે, આશ્ચર્યજનક બાબત એ છે કે જેએસપીની જ સાથી પક્ષ એવી ભારતીય જનતા પાર્ટી (BJP) ના વરિષ્ઠ નેતાઓ સહિત વાયએસઆરસીપી અને બીઆરએસના અગ્રણીઓએ આ પોલીસ કાર્યવાહીની સખત શબ્દોમાં નિંદા કરીને તેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર મોટો હુમલો ગણાવ્યો છે.
ప్రొఫెసర్ @K_Nageshwar గారు
తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ కక్షపూరిత ధోరణితో కేసులు నమోదు చేసి వేధించడం సరికాదు.వెంటనే ఈ కేసులను ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను.@AndhraPradeshCM @APDeputyCMO
— Harish Rao Thanneeru (@BRSHarish) May 24, 2026
પવન કલ્યાણ અને અમિત શાહ વચ્ચેની એ કથિત વાતચીત: જેની પરથી આખો વિવાદ વકર્યો
આ સમગ્ર વિવાદની શરૂઆત એક ન્યૂઝ ચેનલ પર આયોજિત રાજકીય ચર્ચા (ડિબેટ) દરમિયાન થઈ હતી. પ્રોફેસર નાગેશ્વરે ચર્ચા દરમિયાન એવો સનસનીખેજ દાવો કર્યો હતો કે આંધ્રપ્રદેશના વર્તમાન નાયબ મુખ્યમંત્રી અને જેએસપી પ્રમુખ પવન કલ્યાણે આંધ્રના વિપક્ષી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડીને જેલમાં મોકલવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો વ્યક્તિગત સંપર્ક કર્યો હતો. નાગેશ્વરે વધુમાં ઉમેર્યું હતું કે અમિત શાહે જગન મોહન રેડ્ડીને પોતાના “લાંબા ગાળાના મિત્ર” ગણાવીને આ બાબતમાં હસ્તક્ષેપ કરવાનો અને કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. આ દાવાથી રોષે ભરાયેલા જનસેના પાર્ટીના નેતાઓએ પ્રો. નાગેશ્વર વિરુદ્ધ પોલીસમાં અલગ-અલગ જગ્યાએ ફરિયાદો નોંધાવી દીધી હતી.
ગંભીર ગુનાહિત કલમો હેઠળ ગુનો નોંધાયો
જનસેના પાર્ટીના નેતાઓની સત્તાવાર ફરિયાદો બાદ આંધ્રપ્રદેશ પોલીસે પ્રો. કે નાગેશ્વર વિરુદ્ધ અત્યંત ગંભીર કલમો હેઠળ ગુના દાખલ કર્યા છે. તેમની વિરુદ્ધ રમખાણો ઉશ્કેરવાના ઇરાદા સાથે જાહેર ઉશ્કેરણી કરવી, સમાજના જુદા જુદા જૂથો વચ્ચે દુશ્મનાવટ વધારવી, શાંતિ ભંગ કરવાના દૂષિત ઇરાદાથી અપમાન કરવું, સોશિયલ મીડિયા અને ટીવીના માધ્યમથી જાહેર જનતામાં ભય ફેલાવતી ખોટી માહિતી પ્રસારિત કરવી તેમજ શાસક પક્ષ વિરુદ્ધ ગુનાહિત કાવતરું ઘડવાના આરોપો લગાવવામાં આવ્યા છે. આ કાનૂની આફતની સાથે-સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ પ્રો. નાગેશ્વર વિરુદ્ધ સતત વ્યક્તિગત ઓનલાઇન હુમલાઓ કરવામાં આવ્યા હતા અને તેમનું ભારે અપમાન કરીને તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.
Prof. @K_Nageshwar is widely respected as a distinguished political analyst. The filing of a police case against him by AP Police does not send the right message. As reported, he has already withdrawn his remarks, and the @JanaSenaParty leadership has also accepted it. Taking the…
— P Muralidhar Rao (@PMuralidharRao) May 24, 2026
આ વિવાદ વધુ વકરતાં પ્રોફેસર નાગેશ્વરે પોતે એક જવાબદાર નાગરિક તરીકે લાઈવ ટીવી પર આવીને પોતાની તમામ વિવાદાસ્પદ ટિપ્પણીઓ બિનશરતી રીતે પાછી ખેંચી લેવાની જાહેરાત કરી દીધી હતી. તેલંગાણાના પૂર્વ મંત્રી અને બીઆરએસ (BRS) ના વરિષ્ઠ નેતા ટી હરીશ રાવે આંધ્રપ્રદેશ સરકારની આકરી આલોચના કરતા જણાવ્યું કે, “જ્યારે કોઈ પ્રતિષ્ઠિત વિશ્લેષક પોતાની ભૂલ સ્વીકારીને ટિપ્પણીઓ પાછી ખેંચી લે છે, ત્યારે પણ વેરભાવપૂર્ણ અને બદલાની નીતિ રાખીને તેમની સામેના કેસ રદ ન કરવા અને તેમને માનસિક રીતે હેરાન કરવા તે બિલકુલ યોગ્ય નથી. હું આંધ્રપ્રદેશ સરકારને આ ખોટા કેસો તાત્કાલિક અસરથી પાછા ખેંચવા વિનંતી કરું છું.”
ભાજપ નેતા પી મુરલીધર રાવનો પક્ષ
આ મામલે જનસેનાની સહયોગી પાર્ટી ભાજપના રાષ્ટ્રીય નેતા પી મુરલીધર રાવે પણ પોતાની જ ગઠબંધન સરકારની પોલીસ સામે નારાજગી વ્યક્ત કરી છે. મુરલીધર રાવે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, “પ્રો. કે નાગેશ્વર એક અત્યંત પ્રતિષ્ઠિત અને દેશભરમાં વ્યાપકપણે આદરણીય રાજકીય વિશ્લેષક છે. આંધ્રપ્રદેશ પોલીસ દ્વારા તેમની સામે ગુનાહિત કેસ દાખલ કરવાનું આ કૃત્ય લોકશાહીમાં સારો દાખલો બેસાડતું નથી. અહેવાલો મુજબ તેમણે પોતાની ભૂલ સુધારી લીધી છે અને જનસેના પાર્ટીના ટોચના નેતૃત્વએ પણ તેનો સ્વીકાર કર્યો હતો. તેમ છતાં પોલીસ દ્વારા આ બાબતને લંબાવવી એ અભિવ્યક્તિની સ્વતંત્રતા (Freedom of Speech) સામે ગંભીર ચિંતા ઊભી કરે છે.”
View this post on Instagram
અભિનેતા પ્રકાશ રાજની તીખી પ્રતિક્રિયા
જાણીતા અભિનેતા અને સામાજિક કાર્યકર્તા પ્રકાશ રાજે પણ પ્રો. નાગેશ્વર પ્રત્યે પોતાની સંપૂર્ણ એકતા દર્શાવતા આંધ્રની ચંદ્રબાબુ નાયડુ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પ્રકાશ રાજે આ સમગ્ર ઘટનાક્રમને “રાજકીય ગુંડાશાહી” ગણાવતા સવાલ કર્યો કે, “જો સરકાર કે શાસક પક્ષને લાગતું હોય કે નાગેશ્વરે જે કહ્યું તે ખોટું હતું, તો તેમની પાસે કાનૂની પુરાવા માંગો અને રાજકીય મંચ પર વૈચારિક સામનો કરો. પરંતુ વ્યક્તિગત હુમલા કરવા, સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ કરીને અપમાન કરવું અને જેલની ધમકીઓ આપવી… શું આ દેશની નવી રાજકીય સંસ્કૃતિ છે? તેમણે ભૂતકાળમાં પણ સત્તા પર બેઠેલા અનેક મોટા નેતાઓને આકરા પ્રશ્નો પૂછ્યા છે. પરંતુ હવે માત્ર શાસક પક્ષને ન ગમે તેવી એક ટિપ્પણી કરવા બદલ સરકારે તેમની સામે યુદ્ધ જાહેર કરી દીધું છે. પ્રશ્નો ઉઠાવતા અવાજોને કચડી નાખવા તે લોકશાહી માટે ખતરનાક છે, આજે નાગેશ્વર છે તો આવતીકાલે કોઈ પણ સામાન્ય નાગરિક હોઈ શકે છે.”
ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશને જંગલરાજમાં ફેરવી દીધું
પૂર્વ મુખ્યમંત્રી અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટી (YSRCP) ના પ્રમુખ વાય એસ જગન મોહન રેડ્ડીએ આ પોલીસ કાર્યવાહી પર તીખી પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પર દમનકારી રાજનીતિ કરવાનો આક્ષેપ કર્યો છે. જગને જણાવ્યું કે, “ચંદ્રબાબુ નાયડુની ડર બતાવવાની અને વિપક્ષી અવાજોને દબાવવાની રાજનીતિના કારણે આજે આંધ્રપ્રદેશમાં લોકશાહી ગંભીર ખતરામાં આવી પડી છે. એક વરિષ્ઠ પત્રકાર અને જાહેર બૌદ્ધિક પ્રો. નાગેશ્વર સામે આવી કલમો હેઠળ કેસ દાખલ કરવો એ આ સરકારની અસહિષ્ણુતાનું વરવું ઉદાહરણ છે. તેઓ હંમેશા જાહેર મુદ્દાઓનું નિષ્પક્ષ વિશ્લેષણ કરે છે, તમામ રાજકીય પક્ષોની ભૂલોની આલોચના કરે છે અને સત્તા સામે સત્ય બોલે છે. શું હવે આંધ્રપ્રદેશમાં સત્ય બોલવું એ ગુનો બની ગયો છે? શું સરકારને પ્રશ્ન પૂછવો એ ધરપકડ અને પજવણીને પાત્ર છે? ચંદ્રબાબુએ આંધ્રપ્રદેશને સંપૂર્ણપણે જંગલરાજમાં ફેરવી દીધું છે.”
આ પણ વાંચો:







