
Gujarat Wildlife Cable Network: વાયર ફ્રી સિટીમાં 24 હજાર કિમી વાયર જમીનમાં નંખાશે
દિલીપ પટેલ
અમદાવાદ
2030 સુધીમાં રાજ્યના તમામ શહેરો થશે વાયર-મુક્ત 500 કરોડ મંજૂર
ગુજરાત વાયર-મુક્ત શહેર મિશન” મંત્રી જીતુ વાઘાણીએ 3 જૂન 2026 ના રોજ આ મિશનની જાહેરાત સાથે વિડિયો પોસ્ટ કર્યો હતો
17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકા વાયર ફ્રી બની જશે. 24 હજાર કિલોમીટરના ઓવરહેડ વાયર ભૂગર્ભમાં જશે
શહેરો વાયર ફ્રી અને ખેડૂતો નાં ખેતરો વીજ કંપનીઓના ફાયદા માટે મસમોટા થાંભલાઓ નાંખી ને વાયરો નાં જંજાળ બનાવવાની જોરદાર યોજના છે સંવેદનશીલ(કેહવાતી) ગુજરાત સરકાર ની નીતિ.
દીનુ બોધા સોલંકી અને તેના પરીવારના સભ્યોના નામે કોડીનાર તાલુકા, સુત્રાપાડા તાલુકા, ઉના તાલુકા, દીવ વિસ્તાર સુધી રાજમોતી કેબલ સર્વિસના નામે મોટું કેબલ નેટવર્ક ચલાવે છે. આ તમામ કેબલ વાયરો પી.જી.વી.સી.એલ.ના ઈલેવન અને એલ.ટી. પોલ ઉપર ગેરકાયદેસર લગાડી કરોડો રૂપિયાની ગેરકાયદેસર કમાણી કરી રહયા છે.
વન વિસ્તારોમાં કેબલો નાંખવા દરખાસ્ત
સુરત વિસ્તારમાં નવું અભયારણ્ય જાહેર કરવાની પ્રક્રિયા માટે દરખાસ્ત ગુજરાત વાઈલ્ડલાઈફ બોર્ડની બેઠકમાં કરવામાં આવી હતી.
જેમાં 11 KV અન્ડરગ્રાઉન્ડ, BSNL મોબાઇલ ટાવર અને ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચ રખાસ્તો, રોડ વાઇડનિંગ અને રોડ મજબૂતીકરણની દરખાસ્તો હતી.
ગીરના 14 ફોરેસ્ટ સેટલમેન્ટ ગામોને રેવન્યુ ગામોમાં રૂપાંતરિત કરવાની દરખાસ્ત મળીને બોર્ડમાં 23મી બેઠકના મુખ્ય 17 દરખાસ્તો હતી.
OFC સંબંધિત દરખાસ્તો: 8
મોબાઇલ ટાવર સંબંધિત દરખાસ્તો: 5
વીજ લાઇન સંબંધિત દરખાસ્ત: 1
રોડ સંબંધિત દરખાસ્તો: 2
ગીર બાઉન્ડરી રીઓર્ગેનાઇઝેશન: 1
ગીર અભયારણ્યમાંથી ઘટાડવાનો વિસ્તાર: 1,932.2986 હેક્ટર
ગીર અભયારણ્યમાં ઉમેરવાનો વિસ્તાર: 1,949.34 હેક્ટર
ગીર અભયારણ્યમાં નેટ વધારો: 17 હેક્ટર
જેમાં સેન્ચ્યુરીમાં વાલઈનો
ઘુડખર 3
નારાયણ સરોવર 3
બાલારામ-અંબાજી 3
ગીર 3
જાંબુઘોડા 2
રતનમહાલ 2
વાંસદા નેશનલ પાર્ક 1
Jio ગૃપની લાઈનો ઘુડખર અભયારણ્ય, કચ્છ ડેઝર્ટ અભયારણ્ય, બાલારામ-અંબાજી, નારાયણ સરોવરમાં નાખવાની માંગણી કરી હતી.
સુરત વર્તુળમાં નવું અભયારણ્ય
સુરત તથા તાપી વન વિભાગના નિયંત્રણ હેઠળ આવેલા કુલ 69,668.51 હેક્ટર વિસ્તારના અખંડ જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
દીપડાથી મોત
દીપડા દ્વારા થતા માનવ-વન્યપ્રાણી સંઘર્ષ અંગેની કામગીરી
દીપડા વસ્તી 2,274
63 ટકા વધારો નોંધાયો છે.
માનવ મૃત્યુ, ઈજા અને પશુહાનિ
વર્ષ 2022-23માં માનવ મૃત્યુ 26 ₹130 લાખ
માનવ ઈજા 156
પશુહાનિ 6,597 6 કરોડ
2023-24
માનવ મૃત્યુ 29 ₹1 કરોડ
માનવ ઈજા 97
પશુહાનિ 2,178 થઈ 11.50 લાખ
ગીરના 14 ફોરેસ્ટ સેટલમેન્ટ ગામોને રેવન્યુ ગામોમાં રૂપાંતરિત કરવાની દરખાસ્ત
ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં ઓપ્ટિકલ ફાઇબર કેબલ લાઇન નાખવા માટે જમીનનો ઉપયોગ કરવા બાબત.
ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL), રાજકોટ.
4G કોમ્યુનિકેશન સુવિધા માટે ઓપ્ટિકલ ફાઇબર કેબલ લાઇન સ્થાપિત કરવી.
કચ્છ ડેઝર્ટ અભયારણ્યની જમીનનો અન્ડરગ્રાઉન્ડ ઓપ્ટિકલ ફાઇબર કેબલ માટે ઉપયોગ.
જિયો ડિજિટલ ફાઇબર પ્રા. લિ., અમદાવાદ.
બાલાસરથી ફતેહગઢ સુધી અન્ડરગ્રાઉન્ડ ઓપ્ટિકલ ફાઇબર કેબલ નાખવા માટે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ધબડા, બેલા, મૌવાણા અને ફતેહગઢ ગામોના વિસ્તારમાંથી 18,550 મીટર લાંબી તથા 0.45 મીટર પહોળી લાઇન પસાર થવાની છે.
બાલારામ-અંબાજી અભયારણ્યની જમીનનો અન્ડરગ્રાઉન્ડ ઓપ્ટિકલ ફાઇબર કેબલ માટે ઉપયોગ.
જિયો ડિજિટલ ફાઇબર પ્રા. લિ., અમદાવાદ.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચિત્રાસણી અને જેથી ગામોમાં કુલ 2,680 મીટર લાંબી અને 0.45 મીટર પહોળી અન્ડરગ્રાઉન્ડ OFC લાઇન નાખવા માટે
ઘુડખર અભયારણ્યન
જિયો ડિજિટલ ફાઇબર પ્રા. લિ., અમદાવાદ.
ગોતરકાથી વેદ સુધી અન્ડરગ્રાઉન્ડ ઓપ્ટિકલ ફાઇબર કેબલ નાખવા માટે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અમરાપુર ગામમાંથી 6,030 મીટર લાંબી
વાંસદા નેશનલ પાર્કની જમીનનો અન્ડરગ્રાઉન્ડ ઓપ્ટિકલ ફાઇબર કેબલ માટે ઉપયોગ.
રીલાયન્સ જિયો ઇન્ફોકોમ લિ., અમદાવાદ.
નારાયણ સરોવર અભયારણ્ય
રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ, અમદાવાદ.
લખપત તાલુકામાં ટેલિકોમ અને ડિજિટલ કનેક્ટિવિટી
ઘુડખર અભયારણ્યની જમીનનો અન્ડરગ્રાઉન્ડ ઓપ્ટિકલ ફાઇબર
જિયો ડિજિટલ ફાઇબર પ્રા. લિ., અમદાવાદ.
બાલાસરથી ફતેહગઢ સુધી OFC લાઇન સ્થાપવા માટે દરખાસ્ત કરવામાં આવી છે.
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ફતેહગઢ ગામ વિસ્તારમાં
1,350 મીટર લંબાઈ
નારાયણ સરોવર અભયારણ્યની જમીનનો અન્ડરગ્રાઉન્ડ ઓપ્ટિકલ ફાઇબર
વોડાફોન આઈડિયા ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, અમદાવાદ.
ગીર અભયારણ્યની જમીનનો અન્ડરગ્રાઉન્ડ 11 કે.વી. ટ્રાન્સમિશન લાઇન
નાયબ ઇજનેરશ્રી, પીજીવીસીએલ સબ-ડિવિઝન, ધારી-2.
બાલારામ–અંબાજી અભયારણ્ય વિસ્તારમાં મોબાઇલ ટાવર ઉભા કરવા માટે જમીનનો ઉપયોગ કરવા બાબત.
ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL).
પાલનપુર જિલ્લાના નીચેના ગામોમાં મોબાઇલ ટાવર સ્થાપવાની દરખાસ્ત કરવામાં આવી છે:
* ડાભચિત્રા
* ખજૂરિયા
* કરમધી
* ગાજી (ખાટીચિત્રા)
જાંબુઘોડા અભયારણ્ય વિસ્તારમાં મોબાઇલ ટાવર સ્થાપવા માટે જમીનનો ઉપયોગ.
ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL).
પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલા ગામોમાં મોબાઇલ નેટવર્ક
રતનમહાલ અભયારણ્ય વિસ્તારમાં મોબાઇલ ટાવર સ્થાપવા માટે જમીનનો ઉપયોગ.
BSNL.
રતનમહાલ રીંછ અભયારણ્ય.
4G નેટવર્ક વિસ્તરણ.
જાંબુઘોડા અભયારણ્ય વિસ્તારમાં અન્ડરગ્રાઉન્ડ ઓપ્ટિકલ ફાઇબર કેબલ નાખવા બાબત.
ભારત સંચાર નિગમ લિમિટેડ.
રતનમહાલ અભયારણ્ય વિસ્તારમાં અન્ડરગ્રાઉન્ડ ઓપ્ટિકલ ફાઇબર કેબલ નાખવા બાબત.
BSNL.
નારાયણ સરોવર અભયારણ્ય વિસ્તારમાં માર્ગ સુધારણા / માર્ગ સંબંધિત કામગીરી માટે જમીનનો ઉપયોગ.
માર્ગ અને મકાન વિભાગ.
ગીર અભયારણ્ય વિસ્તારમાં રોડ વાઇડનિંગ અને સ્ટ્રેન્થનિંગ કામગીરી માટે જમીનનો ઉપયોગ.
માર્ગ અને મકાન વિભાગ, ગીર સોમનાથ.
ભારત સરકાર દ્વારા ગીર અભયારણ્યની સીમાનું પુનર્ગઠન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
કુલ 14 ગામો અંગે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
અભયારણ્યમાંથી બહાર થનારા ગામો
નીચેના 11 ફોરેસ્ટ સેટલમેન્ટ ગામોનો વિસ્તાર અભયારણ્યમાંથી ઘટાડવામાં આવશે:
* હંસાપુર
* સાજીયા
* અમૃતવેલ
* શિરવણ
* ભાયાધર
* ભાખા
* બેટી થોરડી
* ઝાંખિયા
* જસાધાર
* ચીખલકુબા
* કોઠારિયા
કુલ વિસ્તાર: 1,932.2986 હેક્ટર**
નીચેના વિસ્તારો અભયારણ્યમાં સામેલ કરવામાં આવશે:
* પિચ્છાવી
* હરમડિયા
* ઘાંટવડ
* બામણાસા
* માલનકા
* અંબાળા
* રાણીધાર
* મુંડીયા રવાણી
* ગીર ગઢડા વિસ્તાર
* રસુલપરા વિસ્તાર
કુલ વિસ્તાર:
**1,949.34 હેક્ટર**
| વિગત | વિસ્તાર (હેક્ટર) |
| અભયારણ્યમાંથી ઘટાડો | 1,932.2986 |
| અભયારણ્યમાં ઉમેરો | 1,949.34 |
| ચોખ્ખો વધારો | 17.0414 |
ફોરેસ્ટ સેટલમેન્ટ ગામોની લાંબા સમયથી ચાલતી જમીન સમસ્યાઓ ઉકેલાશે.
ગ્રામજનોને રેવન્યુ ગામનો દરજ્જો મળશે.
0000000
રિઝર્વ ફોરેસ્ટ (Reserved Forest) અને વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી (Wildlife Sanctuary) વિસ્તારમાં ટેલિફોન કેબલ, ઓપ્ટિકલ ફાઇબર કેબલ (OFC) અને મોબાઇલ ટાવર સ્થાપનથી
કેબલ નાખતી વખતે ખાડા ખોદવા, રસ્તા પહોળા કરવા અને મશીનરી લાવવાથી વનસ્પતિનું નુકસાન થઈ શકે. વૃક્ષોના મૂળને નુકસાન થઈ શકે. જંગલ વિખંડન થાય છે.
મોબાઇલ ટાવર
ટાવર માટે જમીન સાફ કરવી પડે. રોડ બનાવવાથી જંગલના અંદરના ભાગોમાં માનવીય દખલ વધે.
વન્ય પ્રાણીઓ પર અસર
બાંધકામ દરમિયાન ભારે અવાજથી પ્રાણીઓ સ્થળાંતર કરી શકે. હાથી, વાઘ, દીપડો, રીંછ જેવા સંવેદનશીલ પ્રાણીઓ વિસ્તારમાંથી દૂર જઈ શકે.
વાહનવ્યવહાર
દર મહિને કે સમયે સમારકામ અને દેખરેખ માટે કે જાળવણી માટે વધતા વાહનવ્યવહારથી રોડકિલની શક્યતા વધે.
રાત્રિના પ્રકાશ અને અવાજથી પ્રાણીઓની કુદરતી પ્રવૃત્તિમાં ફેરફાર થાય.
ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન (EMF) નો પ્રશ્ન
પક્ષીઓની દિશા શોધવાની ક્ષમતા પર અસર.
મધમાખી અને પરાગસંચયક જીવજંતુઓના વર્તનમાં ફેરફાર.
ચામાચીડિયાં પર અસરના કેટલાક પુરાવા.
પરંતુ મોટા સસ્તન પ્રાણીઓ (વાઘ, સિંહ, હાથી વગેરે) પર મોબાઇલ ટાવરના રેડિયેશનથી ગંભીર અસર થાય છે તેવા મજબૂત વૈજ્ઞાનિક પુરાવા હાલમાં ઉપલબ્ધ નથી.
પક્ષીઓ પર અસર
ઊંચા ટાવર સાથે પક્ષીઓ અથડાઈ શકે.
સ્થળાંતર કરનારા પક્ષીઓ જોખમ.
રાત્રે લાઇટવાળા ટાવરો પક્ષીઓને આકર્ષે છે.
આગનું જોખમ
ડીઝલ જનરેટર, બેટરી અને વીજળીના સાધનોથી આગનું જોખમ વધે.
સૂકા જંગલ વિસ્તારોમાં વિશેષ સાવચેતી જરૂરી બને.
રાજ્ય વન વિભાગની મંજૂરી,
National Board for Wildlife,
અને Ministry of Environment, Forest and Climate Change ની પ્રક્રિયાઓ જરૂરી બની શકે છે.
ડિસેમ્બર 2021માં ગુજરાત રાજ્ય વાઇલ્ડલાઇફ બોર્ડની બેઠકમાં મોબાઇલ ટાવર અને OFC માટે Reliance Jio દ્વારા ગીર, ગીરનાર, શૂલપાણેશ્વર અને રતનમહાલ અભ્યારણ્ય વિસ્તારોમાં ટાવરો માટે દરખાસ્ત કરાઈ હતી. પાચળથી પડતી મૂકાઈ હતી.
2015થી 2025 સુધીમાં અનેક કંપનીઓના 41 ટાવર જેમાં ગીરના 34 ટાવરનો પ્રસ્તાવ હતો.
આ પણ વાંચો:









