Amit Shah Amul Cadbury Controversy: અમિતભાઇ અમુલ ડેરી જાત-જાતની ચોકલેટ બનાવે છે પણ કેડબરી નથી બનાવતી!

Amit Shah Amul Cadbury Controversy: અમૂલની કેડબરી ચોકલેટ: અમિત શાહ

ચીજ અને ચોકલેટ કૌભાંડોની તપાસ પર ક્રિમ

ટેસ્ટ ઓફ ઈન્ડિયા, ટેસ્ટ ઓફ કેડબરી

અમિત શાહ ગુજરાતનો દૂધનો પ્લાંટ ખુલ્લો મૂકવા બે દિવસ પહેલાં આવ્યા ત્યારે તેમણે અમૂલની ચોકલેટને કેડબરી ચોકલેટ કહી હતી.

તેઓ હમણાંથી લખેલું ભાષણ જ બોલે છે છતાં લોચો માર્યો હતો. કારણ કે આ વાત તેમણે મૌખિક કહી હતી.

આવા છે સહકાર પ્રધાન.
એશિયાની મોટી સહકારી ડેરી અમૂલની ચોકલેટ અંગે ખબર નથી. અમૂલને કેડબરી કંપની કહે છે.
કેડબરીની Dairy Milk, 5 Star, Perk, Gems છે.
કેડબરી એ મોન્ડેલઝ ઈન્ટરનેશલનની બ્રાન્ડ છે.

અમૂલની કેડબરી નથી.

વિડિયો અમૂલ ફેડરેશનના અશોક ચૌધરીએ શેર કરી શાહને ખુલ્લા કર્યા.

અમૂલનું 9 હજાર ટન અને રૂ. 450 કરોડનું ચીજ કૌભાંડ
અમૂલ ડેરી કૌભાંડ અંગે તપાસ કરીને કોની સામે પગલાં લેવાયા તે અંગે કોઈ જાણકારી આપી ન હતી. જેમાં ચોકલેટના પ્લાંટમાં થયેલી ગેરરિતી અંગે આરોપો થયા તેની તપાસ પણ કરવામાં આવી નથી.

અમૂલમાં રૂ.450 કરોડનું ચીજ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું એપ્રિલ 2018માં બહાર આવ્યું હતું. આ કૌભાંડને પગલે 31મી માર્ચના રોજ ખેડા જિલ્લા સહકારી સંઘના મેનેજિંગ ડિરેક્ટર કે. રત્નમે રાજીનામું ધરી દીધું હતું.

તેમાં તપાસ કરવાની સીધી જવાબદારી ગુજરાતની ભાજપની વિજય રૂપાણીની અને કૃષિ પ્રધાન રણછોડ ફળદુ અને સહકાર પ્રધાનની સરકારની હોવા છતાં તેમાં કોઈ તપાસ થઈ નહીં.

જે કૌભાંડ થયું હતું તેના પર પડદો પાડી દેવાયો છે.
દેશના સહકાર પ્રધાન અમિત શાહ ગાંધીનગર આવીને અમૂલની ચોકલેટને કેડબરી કંપનીની ચોકલેટ કહીને અને લોચો મારીને ગયા.

અમૂલનો કુલ ચોકલેટ વ્યવસાય હવે આશરે રૂ. 1,400 કરોડ વાર્ષિક છે.

તેમાં સુગર-ફ્રી ડાર્ક ચોકલેટનો ફાળો આશરે 10% છે.
અમૂલની સુગર-ફ્રી ચોકલેટને ભારતમાં સૌથી વધુ વેચાતી કહેવામાં આવે છે. 150 કરોડની સુગરફ્રી ચોકલેટ હોઈ શકે છે.

40 નવા ચોકલેટ પ્રકાર વિકસાવાયા. દર મહિને 1,000 ટન ચોકલેટ બની શકે છે.

ચૂંટેલી કંપનીઓ પાસેથી ખરીદી, સાધનોના ખર્ચ અને કોન્ટ્રાક્ટ ખર્ચ અંગે પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા

અમિત શાહે ચોકલેટ પ્લાંટ અને 450 કરોડના ચીજ કૌભાંડની કોઈ તપાસ કરાવડાવી નથી કે તેઓ આ અંગે એક શબ્દ બોલીને ગયા નથી.

2012થી 2016 સુધીના પાંચ વર્ષમાં રૂ.800 કરોડના ડેરીના કામ સરકારની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર થયા હતા. એ વખતે ચેરમેન પદ પર ભાજપના પક્ષપલટું તેના રામસિંહ પરમાર હતા.
2014માં કે. રત્નમ મેનેજિંગ ડિરેક્ટર બનતા કૌભાંડ શરુ થયું હતું.

ભ્રષ્ટાચારની તપાસથી બચવા માટે કે. રત્નમે રાજીનામું આપી દેવું પડ્યું હતું. અમૂલ ડેરી છુપાવવા માંગતી હતી જે આખરે અમિત શાહના ખાતમાં સફળ રહી છે. અને અમૂલના ઓડિટ રિપોર્ટમાં એવું સ્પષ્ટ કહેવાયું છે કે હિસાબ બરાબર છે. તેમાં કોઈ ગોટાળા થયા નથી.

ડેરી પર ભાજપના નેતાઓનો હવે સંપૂર્ણ કબજો છે

રત્નમે ડેરી નજીક જ રૂ.7થી 8 કરોડનો બંગલો બનાવ્યો છે. એક પગારદાર વ્યક્તિ કઈ રીતે આટલો મોંઘી મિલકત વસાવી શકે છે.

અમૂલ ચોકલેટ કૌભાંડ
ચીઝ જ નહીં ચોકલેટ પ્લાન્ટનું પણ મોટું કૌભાંડ અમૂલે આચર્યું હોવાનો આરોપ છે.
8 હજાર કરોડનો ચોકલેટ પ્લાન્ટ
મોદીએ પ્લાંટનું ખાત મૂહુર્ત કર્યું હતું
1 હજાર ટન ચોકલેટ બનાવી શકાય એવો જંગી પ્લાંટ શરૂં કરાયો છે.
ભાજપના પૂર્વ ધારાસભ્ય અને અમુલ ડેરીના ડિરેકટર રાજેશ પાઠકે ગંભીર આરોપો મૂક્યા હતા.

અમુલ ડેરીમાં ગેરકાયદેસર ભરતી, ભંગારના વેચાણમાં ભ્રષ્ટાચાર તથા અમુલ દાણમાં હલકી ગુણવતા અંગે આક્ષેપ કર્યા હતા.

ડેરીના ડીરેકટર તેજસ પટેલે પણ આરોપો મુક્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે 361 કર્મચારીઓની ગેરકાયદેસર ભરતી થઇ હતી.

અમૂલ દાણમાં પ્રોટીન ઓછું આપવામાં આવતું હોવાની ફરિયાદો હતી.
દાણની ગુણવત્તા પુરતી હોતી નથી.

અમૂલનો ઇતિહાસ? 72 વર્ષ પહેલા આણંદ જિલ્લાના ત્રિભુવન કશીભાઈ પટેલે અમૂલનો પાયો નાંખ્યો હતો. એ વખતે તેમનો ઉદ્દેશ ખેડૂતોના હિતનો હતો. હવે રાજકારણીઓએ અમૂલનો કબજો લઈ લીધો છે. જે રીતે છેલ્લાં 22 વર્ષથી ગુજરાતમાં રાજકીય નેતાઓએ સહકારી ક્ષેત્ર કબજે કરી લીધું છે ત્યારથી કૌભાંડ ડેરીમાં થઈ રહ્યાં છે.
અમૂલની સ્થાપનાના 72 વર્ષ બાદ હવે હિતના બદલે અહિત થયું છે. 200 લીટર દૂધથી વેચાણની શરૂઆત કરનારી અમૂલ સહકારી સંસ્થા હવે રૂ.30 હજાર કરોડ કરતા પણ વધુનો ધંધો કરી રહી છે ત્યારે તેમાં રાજકારણીઓ પોતાની બાપીકી કંપનીની જેમ ચલાવી રહ્યાં છે. કૌભાંડ બહાર આવે છે તેને ઢાંકી દે છે. પગલાં ભરતા નથી. સરકાર અને ડેરીના સંચાલકો એક બની ગયા છે. દૂધના સફેદ ધંધામાં પર કાળા ડાઘ આ રાજનેતાઓએ લગાવી દીધો છે.

આ પણ વાંચો: 

Gujarat EV Policy: ગુજરાતમાં ઈવી નીતિનો ધબડકો: કેશ સબસિડી બંધ થતાં જ ઈ-વાહનોની ખરીદીમાં મોટો ઘટાડો, દેશભરમાં રાજ્ય છેક ૧૬મા ક્રમે ધકેલાયું – thegujaratreport.com

Gujarat Local Body Elections Appointments: ચૂંટણીના 3 સપ્તાહ – 393 સ્થાનિક સરકારોમાં નિયુક્તિ ન થઈ – thegujaratreport.com

Gujarat Chemist Strike: ગુજરાતમાં દવાની દુકાનો બંધ, હડતાલ પાછળનું કારણ સમજો – thegujaratreport.com

Related Posts

Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો
  • June 16, 2026

Gujarat Farmers Protest History: છેલ્લા ૩૦ વર્ષોથી ગુજરાત ખેડૂતોના વિરોધના સૂત્રો અને ટ્રેક્ટર રેલીઓના ઘોંઘાટથી ગુંજી રહ્યું છે. તાજેતરમાં ગાંધીનગરમાં જે રીતે ખેડૂતોએ ટ્રેક્ટર સાથે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો, તે…

Continue reading
Bharuch BJP Internal Conflict: ભાજપના ભરૂચમાં ઝઘડાનો વારસો, ભાજપનું ભરૂચ ભાંગી રહ્યું છે
  • June 16, 2026

Bharuch BJP Internal Conflict: ભાજપના ભરૂચમાં ઝઘડાનો વારસો, ભાજપનું ભરૂચ ભાંગી રહ્યું છે દિલીપ પટેલ અમદાવાદ, 16 જૂન 2026 ધારાસભ્ય ડો દર્શના દેશમુખના પિતા ચંદુ દેશમુખ ચાર વખત ભરૂચના સાંસદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 5 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 10 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 8 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 6 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?

  • June 16, 2026
  • 7 views
India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?

Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો

  • June 16, 2026
  • 9 views
Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો