
2025ના એશિયા કપમાં ભારત-પાકિસ્તાન ક્રિકેટ વિવાદ બાદ, ICC એ એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે,પાંચ ખેલાડીઓ પર દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં સૂર્યકુમાર યાદવનો પણ સમાવેશ થાય છે, જેમને તેમની મેચ ફીના 30% દંડ ફટકારવામાં આવ્યો છે.
દુબઈમાં મળેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ની બેઠકમાં એશિયા કપ 2025 વખતે થયેલા વિવાદો પર કડક કાર્યવાહી થઈ છે. ICC એ જણાવ્યું હતું કે ખેલાડીઓએ ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ખેલાડીઓએ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યાનું જણાયું છે.
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને તેની મેચ ફીના 30% દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રૌફને બે વનડે મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. વધુમાં, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને સાહિબજાદા ફરહાન જેવા ખેલાડીઓ પર પણ વિવિધ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે.
2025 એશિયા કપના પ્રથમ ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ખેલાડીઓ વચ્ચે થયેલી ઝઘડાને કારણે વિવાદ થયો હતો. મેચ રેફરી રિચી રિચાર્ડસન દ્વારા કરવામાં આવેલી સુનાવણીમાં સૂર્યકુમાર યાદવને ICC આચારસંહિતાની કલમ 2.21 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જે રમતને બદનામ કરે તેવા આચરણ સાથે સંબંધિત છે. તેમને તેમની મેચ ફીના 30% દંડ અને બે ડિમેરિટ પોઇન્ટ આપવામાં આવ્યા હતા.
પાકિસ્તાનના સાહિબજાદા ફરહાનને ચેતવણી અને એક ડિમેરિટ પોઇન્ટ આપવામાં આવ્યો હતો,હરિસ રૌફને પણ દંડ અને તે જ કલમ હેઠળ બે ડિમેરિટ પોઇન્ટ આપવામાં આવ્યા હતા.
૨૧ અને ૨૮ સપ્ટેમ્બરના રોજ રમાયેલી મેચોમાં પણ તણાવ રહ્યો હતો. અંતિમ મેચમાં, જસપ્રીત બુમરાહ પર ICC દ્વારા કલમ ૨.૨૧ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેને ચેતવણી અને એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો હતો. દરમિયાન, હરિસ રૌફને ફરીથી તે જ ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. રિચી રિચાર્ડસનની અધ્યક્ષતામાં થયેલી સુનાવણીમાં, તેને ફરીથી ૩૦ ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો અને બે વધારાના ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા હતા. આ સાથે રૌફના કુલ સ્કોર ચાર થઈ ગયા છે.
ICC ના શિસ્ત માળખા મુજબ, જો કોઈ ખેલાડીને 24 મહિનાના સમયગાળામાં ચાર કે તેથી વધુ ડિમેરિટ પોઈન્ટ મળે છે, તો આ પોઈન્ટ સસ્પેન્શન પોઈન્ટમાં રૂપાંતરિત થાય છે. બે સસ્પેન્શન પોઈન્ટનો અર્થ એક ટેસ્ટ અથવા બે ODI/T20 મેચો માટે પ્રતિબંધ છે. આ નિયમ હેઠળ, હરિસ રૌફને 4 અને 6 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકા સામેની બે ODI મેચોમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ICC એ સ્પષ્ટતા કરી કે રમતની ગરિમા અને શિસ્ત જાળવવા માટે આ કાર્યવાહી જરૂરી છે.
આ પણ વાંચો:
દિવ્ય ભાસ્કરના ડિજિટલ હેડ મનીષ મહેતા નીચે રેલો?, દીર્ઘાયુ વ્યાસે વટાણા વેરી દીધા? | Dirghayu Vyas
Vote Scam: વોટ ચોરી મામલે ગોલી માર ઠાકુર બાદ “ઉર્જાવીર” ભંડારીએ ભાજપને ભેખડે ભેરવ્યું









