પાકિસ્તાનમાં શ્રીલંકન ટીમના ખેલાડીઓમાં ‘ડર’નો માહોલ, એક તરફ જીવનું જોખમ બીજી તરફ પ્રતિબંધની ધમકી!

  • Sports
  • November 13, 2025
  • 0 Comments

Pakistan Cricket | પાકિસ્તાનમાં હાલ શ્રીલંકન ક્રિકેટની હાજરી છે બરાબર ત્યારે જ ઇસ્લામાબાદ બૉમ્બ વિસ્ફોટ થયો છે જેમાં બાર લોકોના મોત થયા અને 20 થી વધુ લોકો ઘાયલ થયા છે, પરિણામે શ્રીલંકાના ક્રિકેટરોએ પાકિસ્તાનમાં ODI શ્રેણીની બાકીની મેચો રમવાનો ઇનકાર કર્યો છે.

કેમકે, 2009માં પણ શ્રીલંકાની ક્રિકેટ ટીમ ઉપર આતંકી હુમલો થયો હતો જેમાં શ્રીલંકાના તત્કાલીન કેપ્ટન મહેલા જયવર્ધને અને ઉપ-કેપ્ટન કુમાર સંગાકારા સહિત સાત ખેલાડીઓ ઘાયલ થયા હતા જેમાં બેની હાલત ગંભીર થઈ ગઈ હતી.

આ ઘટનાને 16 વર્ષ થઈ ગયા છે પણ તેઓની હાજરી દરમિયાન ઇસ્લામાબાદમાં આતંકી હુમલો થતાં હવે શ્રીલંકન ખેલાડીઓ અસલામતી અનુભવી રહયા છે અને ક્રિકેટ રમવાનો ઇન્કાર કરી દીધો છે.

જોકે, શ્રીલંકન ક્રિકેટ બોર્ડે તેના ખેલાડીઓને તેમની સલામતીની ખાતરી આપી છે પણ સાથે સાથે શ્રેણી અધવચ્ચે છોડી દેનાર ખેલાડીઓ સામે  પ્રતિબંધોની ચેતવણી પણ આપતા ખેલાડીઓ ભેરવાયા છે અને હાલમાં શ્રીલંકન ક્રિકેટરો ડરનો અનુભવ કરી રહયા છે. પાકિસ્તાનમાં 16 વર્ષ અગાઉ બનેલી એક આતંકવાદી હુમલાની ઘટનાએ ક્રિકેટ જગતને હચમચાવી નાખ્યું હતું.

આ ઘટના 2009 માં બની હતી, જ્યારે શ્રીલંકાની ટીમ ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ માટે પાકિસ્તાનના પ્રવાસે હતી. શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે બીજી ટેસ્ટ મેચ લાહોરમાં રમાઈ રહી હતી, જે 1 થી 5 માર્ચ દરમિયાન રમવાની હતી ત્યારે તા. 3 માર્ચની સવારે શ્રીલંકાની ક્રિકેટ ટીમ બસમાં બેસીને ગદ્દાફી સ્ટેડિયમ જવા રવાના થઈ ત્યારે લિબર્ટી સ્ક્વેર પાસે 12 સશસ્ત્ર આતંકવાદીઓ ટીમ બસની રાહ જોઈ રહ્યા હતા અને બસ આવતા જ  આતંકવાદીઓએ શ્રીલંકન ક્રિકેટ ટીમની બસ પર આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

દરમિયાન,પોલીસે પણ વળતો ગોળીબાર કરતા આ કાર્યવાહીમાં છ પોલીસ કર્મચારીઓ અને બે નાગરિકોના મોત થયા હતા આ હુમલામાં શ્રીલંકાના તત્કાલીન કેપ્ટન મહેલા જયવર્ધને અને ઉપ-કેપ્ટન કુમાર સંગાકારા સહિત સાત ખેલાડીઓ ઘાયલ થયા હતા. આ સાત ખેલાડીઓમાં મહેલા જયવર્ધને, કુમાર સંગાકારા, અજંતા મેન્ડિસ, થિલાન સમરવીરા, થરંગા પરનવિતાના, ચામિંડા વાસ અને સુરંગા લકમલનો સમાવેશ થાય છે.

જે પૈકી સમરવીરા અને પરનવિતાના ગંભીર રીતે ઘાયલ થયા હતા જેઓને તાત્કાલિક સારવાર અપાઈ હતી. શ્રીલંકન ટીમની બસ ઉપર હુમલો કરનાર આતંકીઓ અને પોલીસ વચ્ચે 20 મિનિટની અથડામણ ચાલી હતી ત્યારબાદ આતંકવાદીઓ રોકેટ લોન્ચર અને દારૂગોળો છોડીને ભાગી છૂટવામાં સફળ રહયા હતા.

આ ઘટના હજુપણ શ્રીલંકન ખેલાડીઓ ભૂલ્યા નથી અને ફરી તેઓની હાજરીમાં ઇસ્લામાબાદમાં આતંકી હુમલો થતાં શ્રીલંકન ખેલાડીઓમાં ફફડાટ ફેલાયો છે અને રમવાનો ઇન્કાર કરી રહયા છે પણ શ્રીલંકન ક્રિકેટ બોર્ડે રમવા માટે ધરાર ફરજ પાડી છે અને જો તેમ નહિ કરે તો પ્રતિબંધ મુકવાની ધમકી આપતા ખેલાડીઓની હાલત કફોડી બની છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
  • March 9, 2026

IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

Continue reading
India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
  • March 8, 2026

India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Asaram Parole: આસારામને રાજસ્થાન હાઈકોર્ટથી 20 દિવસની નિયમિત પેરોલ, રાજ્ય સરકારના વાંધા ફગાવ્યા

  • August 5, 2026
  • 3 views
Asaram Parole: આસારામને રાજસ્થાન હાઈકોર્ટથી 20 દિવસની નિયમિત પેરોલ, રાજ્ય સરકારના વાંધા ફગાવ્યા

Jantar Mantar Protest: જંતર-મંતર પ્રદર્શનને મદદ કરનાર રેસ્ટોરાં પોલીસના રડાર પર? અનેક સંચાલકોના ગંભીર આક્ષેપ

  • August 5, 2026
  • 5 views
Jantar Mantar Protest: જંતર-મંતર પ્રદર્શનને મદદ કરનાર રેસ્ટોરાં પોલીસના રડાર પર? અનેક સંચાલકોના ગંભીર આક્ષેપ

Gujarat Farmers Protest: દોઢ વર્ષથી લડતું ગામ ચોરડી, સૌરાષ્ટ્રના 100 ગામોની વીજ કંપની સામે લડાઈ, જામનગરની 3 ગીગા વોટ વીજળી, ખેતી બરબાદ

  • August 5, 2026
  • 8 views
Gujarat Farmers Protest: દોઢ વર્ષથી લડતું ગામ ચોરડી, સૌરાષ્ટ્રના 100 ગામોની વીજ કંપની સામે લડાઈ, જામનગરની 3 ગીગા વોટ વીજળી, ખેતી બરબાદ

Datia Bypoll BJP: 6,016 મતોથી હાર બાદ ભાજપનો મોટો નિર્ણય, દતિયા જિલ્લા એકમ ભંગ

  • August 5, 2026
  • 5 views
Datia Bypoll BJP: 6,016 મતોથી હાર બાદ ભાજપનો મોટો નિર્ણય, દતિયા જિલ્લા એકમ ભંગ

Bhogapuram Airport Inauguration: ભોગપુરમ એરપોર્ટના ભવ્ય ઉદ્ઘાટનને લઈને ખર્ચ પર સવાલો, જાહેર માહિતીના અભાવે ચર્ચા તેજ

  • August 5, 2026
  • 5 views
Bhogapuram Airport Inauguration: ભોગપુરમ એરપોર્ટના ભવ્ય ઉદ્ઘાટનને લઈને ખર્ચ પર સવાલો, જાહેર માહિતીના અભાવે ચર્ચા તેજ

Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ

  • August 5, 2026
  • 6 views
Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ