Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

Bhavnagar: ભાવનગરમાં આજે કરચલીયાપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધે યુવકને દારૂ પીવાના 50 રૂપિયા ન આપતા ઝઘડો કરી માથાના ભાગે સિમેન્ટના બ્લોકના બે ઘા માર્યા હતાં. આ બાદ વૃદ્ધ હિંમત દાખવીને ભાગવા જતાં નીચે પડતાની સાથે જ આરોપી યુવકે છાતી પર બેઠી છરીના ઘા ઝીંકી નાસી છૂટ્યો હતો. ગંભીર હાલતમાં વૃદ્ધને સર ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ભાવનગર શહેરના કરચલીયાપરા રૂખડીયા હનુમાન મંદિર નજીક રહેતા છનાભાઈ ગોરધનભાઈ ગોહેલ (ઉં.વ.60) આજે સવારે 8 વાગ્યે સાયકલ લઈને સુભાષનગર આવાસ યોજના નજીકથી પસાર થઈને કામે જઈ રહ્યા હતાં. આ સમયે ડેવિડ નામના યુવકે છનાભાઈ પાસેથી દારૂ પીવાના પૈસા માગ્યા હતાં. જેમાં છનાભાઈએ પૈસા આપવાની ના પડતા આરોપીએ ઝઘડો શરૂ કર્યો હતો. બાદમાં ઉશ્કેરાઈ જઈને જીવલેણ હુમલો કરી નાસી છૂટ્યો હતો. આ બનાવની જાણ થતા જ ડીવાયએસપી, એલસીબી, ઘોઘા રોડ પોલીસનો સ્ટાફ સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવથી લોકોના ટોળેટોળા પણ એકત્ર થઈ ગયા હતા.

આ મામલે કુટુંબીક ભાઈ રાજુ ગોહેલએ જણાવ્યું હતું કે, છનાભાઈ ગોહેલ અમારે ત્યાં મજૂરી કામ કરતા હતાં. દરરોજ તેના ઘર કરચલીયાપરાથી સુભાષનગર આવાસ યોજના આ રૂટ ઉપર ચાલતા હતાં. ત્યાં થી તેઓ મામસા જતા હોય છે. તેઓને કોઈપણ જાતનું વ્યસન નહોતુ અને એકદમ સીધા-સાદા માણસ હતાં. અહીંના રહેવાસી ડેવિડ નામના છોકરાએ છનાભાઈને ઉભા રાખી દારૂ માટે 50થી 100 રૂપિયા માંગ્યા હતા. પૈસા આપવાની ના પાડતા બ્લોક માથામાં માર્યા, ત્યારબાદ છરી વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ થોડાક આગળ જઈને છનાભાઈ પડી જતા તેઓની છાતી ઉપર બેસી યુવકે છરીના બે-ત્રણ ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. આ ઘટના અંગે અમે પોલીસને જાણ કરી હતી.

આ ઘટના અંગે ભાવનગરના સિટી ડીવાયએસપી આર.આર. સિંધાલએ જણાવ્યું હતું કે, ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ ગોકુલધામ સોસાયટી આવાસ યોજના પાસે પહેલા મારામારીનો બનાવ બન્યો હતો. પોલીસને પ્રાથમિક માહિતી મળી હતી કે, છગનભાઈ ગોહેલ નામની વ્યક્તિ છે તે સાયકલ લઈને જઈ રહ્યા હતા, તે વેળાએ આવાસ યોજના પાસે ડેવિડ મનસુખભાઈ મકવાણાએ તેને રોક્યા હતાં અને બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ડેવિડે છનાભાઈને છરીનો ઘા ઝીંકી દેતા સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં દાખલ કરતા તેનું મૃત્યુ થયું છે. આ ઘટના બાદ પોલીસ આરોપીને શોધી રહી છે.

-નીતીન ગોહેલ

આ પણ વાંચો:

Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

SURAT: સુરતના યુવા એન્જિનિયર્સે બનાવી AI સંચાલિત બાઇક, ખાસિયતો જાણી દંગ રહી જશો!

UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

India Pak Conflict: જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSF એ ઘૂસણખોરીના પ્રયાસને બનાવ્યો નિષ્ફળ , 7 આતંકવાદીઓને ઠાર માર્યા

 

 

Related Posts

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
  • March 23, 2026

Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

Continue reading
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
  • March 23, 2026

Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 4 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 17 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 12 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 12 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 12 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર