
Big political changes in Bihar: બિહારના રાજકારણમાં આજે મોટા બદલાવ થઈ રહયા છે, નીતિશ કુમાર આજે બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે, નીતીશ કુમારે રાજીનામું આપતા પહેલા પોતાના કાર્યકાળની અંતિમ કેબિનેટ બેઠક યોજી હતી,તેમણે પોતાના મંત્રીઓ સાથે લગભગ 20 મિનિટ વાત કરી હતી બેઠક દરમિયાન ઘણા મંત્રીઓ ભાવુક થઈ ગયા હતા. તેમને જોઈને નીતિશ પણ ભાવુક થઈ ગયા હતા.
મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે, 14 એપ્રિલ 2026 ના રોજ, પટનામાં તેમની છેલ્લી કેબિનેટ બેઠક યોજી હતી બેઠક દરમિયાન નીતિશ કુમારે તેમના મંત્રીઓ અને સહયોગીઓ સાથે લગભગ 20 મિનિટ વાતચીત કરી હતી. આ દરમિયાન વાતાવરણ ઘણું ગંભીર અને ભાવુક બની ગયું હતું. મંત્રી મોહમ્મદ ઝમા ખાને જણાવ્યું કે નીતિશ કુમાર તેમના માટે ‘વાલી’ (guardian) સમાન હતા અને તેમને વિદાય આપતી વખતે ઘણા મંત્રીઓની આંખો ભીની થઈ ગઈ હતી.
નીતિશ કુમારે વિધિવત રીતે કેબિનેટના વિસર્જનની ભલામણ કરી હતી. હવે તેઓ રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું સુપરત કરશે નીતીશ કુમારે નવી બનનાર સરકારને પણ શુભેચ્છાઓ પાઠવી અને ખાતરી આપી કે નવી સરકારને જ્યારે પણ જરૂર પડશે ત્યારે તેમનું માર્ગદર્શન મળતું રહેશે નીતિશ કુમાર હવે રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય થશે, કારણ કે તેઓ તાજેતરમાં જ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે.
નીતીશ કુમારના રાજીનામાં બાદ બિહારમાં પ્રથમ વખત ભાજપના નેતૃત્વવાળી સરકાર બનવાની શક્યતા છે નીતિશ કુમારે બેઠકમાં જણાવ્યું હતું કે તેમણે 2005થી અત્યાર સુધી બિહારના વિકાસ માટે પૂરતા પ્રયત્નો કર્યા છે અને તેઓ ભવિષ્યમાં પણ રાજ્યને માર્ગદર્શન આપતા રહેશે.
વિગતો મુજબ બપોરે 3 વાગ્યે નીતિશ કુમાર રાજભવન પહોંચીને રાજ્યપાલ સૈયદ અતા હસનૈનને પોતાનું રાજીનામું સોંપશે આ સાથે જ વર્તમાન સરકાર ઔપચારિક રીતે સમાપ્ત થઈ જશે ત્યારબાદ સાંજે 4 વાગ્યે NDA ધારાસભ્ય દળની સંયુક્ત બેઠક યોજાશે, જેમાં નવા નેતાની પસંદગી કરવામાં આવશે. તેની દેખરેખ માટે BJP તરફથી કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. તેમની હાજરીમાં જ મુખ્યમંત્રીના નામ પર અંતિમ મહોર લાગશે તેમ સૂત્રો જણાવી રહયા છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








