Bihar Electon: નરેન્દ્ર મોદીની રેલી માટે ભીડ ભેગી કરવા રુ. 500 અને મીઠાઈના ડબ્બા આપ્યાના આરોપ

  • India
  • July 20, 2025
  • 0 Comments

Controversy over Narendra Modi’s rally in Bihar: બિહારની ચૂંટણી જીતવા ભાજપ ધપપછાડા કરી રહ્યું છે. લોકોને વચનોની લાણી કરી લલચાવી રહ્યું છે. પોતાની રેલીમાં ભીડ એકઠી કરવા રુપિયા આપવામાં આવી રહ્યા હોવાના દાવા થઈ રહ્યા છે. જેના ઘણા વીડિયો પણ વાઈરલ થતાં ખળભળાટ મચ્યો છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બિહારના મોતિહારીમાં તાજેતરમાં યોજાયેલી રેલી અને રોડ શોને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દાવો કરવામાં આવ્યો છે કે આ રેલીમાં લોકોને ભેગા કરવા રુ. 500 અને મીઠાઈના ડબ્બા આપવામાં આવ્યા હતા. એવી પણ ચર્ચા થઈ રહી છે કે, “જો આજે 500-1000 રૂપિયામાં વેચાઈ ગયા, તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં ટ્રેનમાં ભરીને લઈ જવામાં આવશે.” આ દાવાએ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે.

18 જુલાઈ 2025ના રોજ મોતિહારી, બિહારમાં યોજાયેલી આ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રુ. 7,200 કરોડથી વધુની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, અને સોશિયલ મીડિયા પર શેર થયેલી તસવીરોમાં ભીડનો માહોલ જોવા મળ્યો હતો.

મોદીની રેલીમાં એકઠા થવા રુપિયા આપ્યા હોવાનું લોકો પણ કહી રહ્યા છે. સોશિયલ મિડિયા પર ઘણા વીડિયો વાયલ થઈ રહ્યા છે, જેમાં લોકો કહી રહ્યા છે કે રેલીમાં હાજરી આપવા માટે લોકોને નાણાકીય રુ. 500 અને મીઠાઈ આપવામાં આવી હતી. વધુમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આવી રીતે લોકોને “ખરીદવામાં” આવે છે, અને જો આ ચાલુ રહ્યું તો બિહારના લોકોને ગુજરાત કે મહારાષ્ટ્રમાં લઈ જવામાં આવશે. આ પોસ્ટે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે, જેમાં વિપક્ષી નેતાઓ અને કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ દાવાને આધારે સરકાર પર આક્ષેપો કર્યા છે.

આ દાવાઓએ બિહારના રાજકીય વાતાવરણને ગરમ કરી દીધું છે. વિપક્ષી નેતાઓએ આ મુદ્દે ભાજપ અને વડાપ્રધાન મોદી પર નિશાન સાધવાનું શરૂ કર્યું છે. કેટલાક નેતાઓએ આ દાવાને “જનતાનું અપમાન” ગણાવ્યું છે, જ્યારે ભાજપના સમર્થકોએ આને “વિપક્ષની નિરાશાનું પરિણામ” ગણાવીને નકારી કાઢ્યો છે.

જો લોકોના આવા દાવા સાચા નિકળે તો

જો લોકોના આવા દાવા સાચા નિકળે તો લોકશાહીમાં લોકોનો અવાજ અને તેમની સ્વૈચ્છિક ભાગીદારી સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે. જો રેલીમાં ભીડ એકઠી કરવા માટે પૈસા અને મીઠાઈ જેવા પ્રલોભનોનો ઉપયોગ કરવામાં આવે છે, તો તે લોકોની સ્વતંત્ર ઇચ્છા અને રાજકીય જાગૃતિનું અપમાન છે. આવી રીતે લોકોને આકર્ષવું એ દર્શાવે છે કે રેલીની સફળતા સાચા સમર્થનને બદલે નકલી ભીડ પર નિર્ભર છે, જે લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોને નબળા પાડે છે.

આ પણ વાંચો:

Ghaziabad: મોદીનગરમાં એમ્બ્યુલન્સે ટક્કર મારતાં 3 કાવડિયાઓના મોત, 2 સારવાર હેઠળ, જાણો વધુ

Saiyaara: સૈયારાનું એ દ્રશ્ય, જે દર્શકોના રુવાડા ઉભા કરી દે છે અને થિયેટરમાં ખેંચી જાય છે

Dehradun: કાવડયાત્રામાં જંગલી હાથી ઘૂસી ગયો, ટ્રેક્ટર ઉંધુ પાડી દીધુ , કાવડિયાઓના થયા બેહાલ

Girlfriend Murder: ઉન્નાવમાં પ્રેમી દિલીપે ગર્લફ્રેન્ડ પ્રીતિના ઘરમાં ઘૂસી છરી મારી પતાવી દીધી, શું છે કારણ?

America Plane Fire: ઉડાન ભર્યા બાદ પ્લેનમાં આગ, સવાર હતા 226 મુસાફરો અને 9 ક્રૂ, જુઓ પછી શું થયુ?

Bihar Election: બિહારમાં ના વીજળી આવશે, ના બીલ…ફ્રી થઈ ગઈ!, વીજળી મુદ્દે ભાજપની જુમલેબાજી?

Bagodara suicide: બગોદરામાં શોકનું મોજું, પરિવારના તમામ 5 સભ્યોએ ઝેરી દવા પી આપઘાત કર્યો, શું છે કારણ?

 

Related Posts

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?
  • September 18, 2026

Punjab Yamuna Water Dispute: નવી દિલ્હીમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના મુખ્યમંત્રીઓએ કિશાઉ બહુપક્ષીય બંધ પરિયોજના અંગે કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ આંતરરાજ્ય જળ વિવાદનો મુદ્દો…

Continue reading
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી
  • September 18, 2026

Gallantry Award Railway Concession: સશસ્ત્ર દળોના વીરતા પુરસ્કાર મેળવનારાઓને હવે ભારતીય રેલવેમાં AC વર્ગોમાં મફત મુસાફરીની સુવિધા મળશે. રક્ષા મંત્રાલયે સેના મેડલ, નૌસેના મેડલ અને વાયુસેના મેડલ મેળવનારાઓ માટે ફર્સ્ટ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 2 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 3 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 6 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 7 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 10 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 6 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે