દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ વખતે Air India ની ફ્લાઇટમાં આગ, કયા ભાગમાં લાગી આગ?

  • India
  • July 22, 2025
  • 0 Comments

Air India plane fire: એર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે વિમાનમાં આ આગ લાગી હતી. હોંગકોંગથી દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ થતાં જ એર ઇન્ડિયાના વિમાનના સહાયક પાવર યુનિટ (APU) માં આગ લાગી ગઈ હતી. બધા મુસાફરો અને ક્રૂ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

ફ્લાઇટ નંબર AI 315 માં આગ

એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મંગળવારે હોંગકોંગથી દિલ્હી જતી ફ્લાઇટ નંબર AI 315 માં લેન્ડિંગ અને ગેટ પર પાર્કિંગ કર્યા પછી તરત જ સહાયક પાવર યુનિટ (APU) માં આગ લાગી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે મુસાફરો ઉતરવા લાગ્યા. આગ લાગતાની સાથે જ, સિસ્ટમ ડિઝાઇન મુજબ APU આપમેળે બંધ થઈ ગયું.

આગને કારણે વિમાનને નુકસાન

ઉપરાંત, એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે આગને કારણે વિમાનને થોડું નુકસાન થયું છે. જોકે, મુસાફરો અને ક્રૂ સભ્યો સામાન્ય રીતે ઉતરી ગયા છે અને સુરક્ષિત છે. વધુ તપાસ માટે વિમાનને રોકી દેવામાં આવ્યું છે અને આગ અંગે નિયમનકારને જાણ કરવામાં આવી છે.

APU શું છે તે જાણો છો?
તમને જણાવી દઈએ કે ફ્લાઇટમાં APU એટલે કે સહાયક પાવર યુનિટ એક નાનું ગેસ ટર્બાઇન એન્જિન છે, જે સામાન્ય રીતે વિમાનની પૂંછડીમાં સ્થિત હોય છે. તેનું મુખ્ય કાર્ય ફ્લાઇટના મુખ્ય એન્જિન અને બાહ્ય પાવર સ્ત્રોતો વિના વીજળી અને અન્ય જરૂરી શક્તિ પ્રદાન કરવાનું છે.

અમદાવાદમાં થયેલી દુર્ઘટના અનેક લોકોના જીવ લીધા

હવે જ્યારે જ્યારે વિમાનોમાં કંઈ થાય છે કે તરત જ ગુજરાતમાં બનેલી વિમાન દુર્ઘટના તાજી થઈ જાય છે. 12 જૂન, 2025ના રોજ અમદાવાદ  એર ઇન્ડિયાનું વિમાન  સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન ગેટવિક એરપોર્ટ જતું હતું. બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ટેકઓફના 32 સેકન્ડ બાદ મેઘાણીનગર વિસ્તારમાં B.J. મેડિકલ કોલેજના હોસ્ટેલમાં ક્રેશ થયું હતું, જેમાં 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાંથી 241 લોકોના મોત થયા અને એક વ્યક્તિ, વિશ્વાસકુમાર રમેશ, જે બ્રિટિશ નાગરિક છે, એકમાત્ર બચી ગયો. ઉપરાંત, જમીન પર 38 લોકોના મોત થયા, જેમાં ચાર મેડિકલ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, અને 44 લોકો ઘાયલ થયા, જેમાંથી ચારથી પાંચની હાલત ગંભીર હતી.

પણ વાંચો:

America Plane Fire: અમેરિકામાં અમદાવાદવાળી થતાં રહી ગઈ, ઉડાન ભર્યા બાદ પ્લેનમાં આગ

Junagadh: માંગરોળમાં 40 કોંગ્રેસી કાર્યકરોએ કેસરિયા કર્યા, કોંગ્રેસમાં પડતાં પર પાટું

Ahmedabad: “મેરી બીબી કે સામને ક્યૂં દેખતા હૈ?” કહી હોમગાર્ડને છરીથી પતાવી દીધો, પેટના આંતરડા બહાર કાઢી નાખ્યા

UP Crime: મહિલા કોન્સ્ટેબલ પર સબ ઈસ્પેક્ટરે રેપ કર્યો, અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી!, પિડિતાના ગંભીર આરોપ

Banaskantha: જેલમાં જઈશ, છૂટીને આવી મારી નાખીશ, મારી પત્ની સાથે લગ્ન કેમ કર્યા? પૂર્વ પતિનો પરિવાર પર હુમલો

 

Related Posts

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો
  • August 2, 2026

Bhadohi-Sant Ravidas Nagar: ઉત્તર પ્રદેશનો ભદોહી જિલ્લો ફરી એકવાર પોતાના નામને લઈને ચર્ચામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે ભદોહી જિલ્લાનું નામ ફરીથી ‘સંત રવિદાસ નગર’…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 2 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 3 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 7 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 7 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 9 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ