ભાજપ સરકાર સુધરી જાય, નહીં તો જૈનોને સુધારતા આવડે છે: Muni Ativirji Maharaj

  • India
  • July 21, 2025
  • 0 Comments

Muni Ativirji Maharaj said  BJP improve: દિલ્હીમાં યોજાયેલા ચાતુર્માસ કાર્યક્રમ દરમિયાન જૈન મુનિ અતિવીરજી મહારાજે ભાજપ સરકાર પર જૈન તીર્થસ્થાનો અને મંદિરો પર અતિક્રમણ અને તોડફોડનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું, “ભાજપ સરકારે સુધરી જાય, નહીં તો જૈનોને સુધારતા આવડે છે.”

આ નિવેદનમાં તેમણે દાવો કર્યો કે ભારતમાં અગાઉની સરકારો દરમિયાન જૈન મંદિરોને ક્યારેય નુકસાન થયું નથી, પરંતુ ભાજપ સરકાર આવ્યા બાદ જૈન તીર્થો પર અતિક્રમણ અને તોડફોડની ઘટનાઓ વધી છે. વધુમાં તેમણે ભાજપને “જૈન વિરોધી” ગણાવી અને સમુદાયને ભાજપનો બહિષ્કાર કરવાનો સમય આવી ગયો હોવાનું જણાવ્યું. આ નિવેદનથી ધાર્મિક અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.

ભાજપના શાસનમાં જૈન સ્થળોની તોડફોડના આરોપ

જૈન ધર્મના તીર્થસ્થાનો, જેમ કે ગુજરાતના પાલિતાણા અને ગિરનાર, ઝારખંડના સમ્મેદ શિખરજી, અને કર્ણાટકના શ્રવણબેલગોલા, ભારતના સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાનો અભિન્ન ભાગ છે. આ સ્થળોનું સંરક્ષણ રાજ્ય અને કેન્દ્ર સરકારોની જવાબદારી હેઠળ આવે છે, અને ઘણાં સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે પણ જાહેર કરવામાં આવ્યાં છે. મુનિ અતિવીરજી મહારાજના નિવેદનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ સરકારના શાસનમાં આવા પવિત્ર સ્થળો પર અતિક્રમણ અને તોડફોડની ઘટનાઓ નોંધાઈ છે.

Mumbai માં જૈન મંદિર તોડી પડતાં ભારે વિરોધ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની બદલી, ભાજપ સામે રોષ

જૈન સમુદાયે અગાઉ પણ પોતાના ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે શાંતિપૂર્ણ વિરોધ અને કાનૂની પગલાં લીધાં છે. ઉદાહરણ તરીકે, 2023માં ઝારખંડના સમ્મેદ શિખરજીને “ઇકો-ટૂરિઝમ” સ્થળ તરીકે જાહેર કરવાના નિર્ણય સામે જૈન સમુદાયે દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધમાં એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે પર્યટનને પ્રોત્સાહન આપવાથી આ પવિત્ર સ્થળની ધાર્મિક પવિત્રતા અને શાંતિને નુકસાન થઈ શકે છે. આ ઘટનામાં ઝારખંડની તત્કાલીન હેમંત સોરેન સરકાર (ઝારખંડ મુક્તિ મોરચા) અને કેન્દ્રની ભાજપ સરકાર બંનેની નીતિઓ પર પ્રશ્નો ઉઠ્યા હતા. બાદમાં ઝારખંડ સરકારે સ્પષ્ટતા કરી હતી કે સમ્મેદ શિખરજીની ધાર્મિક ઓળખને કોઈ નુકસાન નહીં થાય.

આ ઉપરાંત, 2023માં કર્ણાટકમાં જૈન મુનિ કમકુમાર નંદી મહારાજની હત્યાની ઘટનાએ પણ જૈન સમુદાયમાં આક્રોશ ફેલાવ્યો હતો. આ ઘટનામાં ભાજપ, જે તે સમયે કર્ણાટકમાં વિપક્ષમાં હતી, તેણે કોંગ્રેસ સરકાર પર આક્ષેપ કર્યો હતો અને સીબીઆઈ તપાસની માંગ કરી હતી. આ ઘટનાઓ દર્શાવે છે કે જૈન સમુદાયની ચિંતાઓ એક રાજકીય પક્ષ સુધી મર્યાદિત નથી, પરંતુ તે વિવિધ રાજ્યો અને સરકારોની નીતિઓ સાથે જોડાયેલી છે.

 આ પણ વાંચો:

UP Crime: ભૂવાને ઘરમાં લાવતાં પહેલા વિચાર જો, વિધિના નામે નવપરણિતાને પીંખી નાખી, વાંચો વધુ

UP Police: બિચારા પોલીસકર્મીઓને કાવડિયાઓ માટે ખાવાનો બંદોબસ્ત કરવો પડ્યો!

Jamnagar: અંબાણીના ગઢ જામનગરમાં અદાણી ગ્રૂપનો પગપેસારો, લીધી જમીન, શું થશે અસર!

Iqra Hassan: સાંસદ ઈકરા હસન કુંવારી, ચાહે તો મારી સાથે લગ્ન કરે, બસ અવૈસી મને જીજા કહે, કરણી સેના ઉપાધ્યક્ષ વિવાદમાં ફસાયા

Saiyaara: સૈયારાનું એ દ્રશ્ય, જે દર્શકોના રુવાડા ઉભા કરી દે છે અને થિયેટરમાં ખેંચી જાય છે

Dehradun: કાવડયાત્રામાં જંગલી હાથી ઘૂસી ગયો, ટ્રેક્ટર ઉંધુ પાડી દીધુ , કાવડિયાઓના થયા બેહાલ

Girlfriend Murder: ઉન્નાવમાં પ્રેમી દિલીપે ગર્લફ્રેન્ડ પ્રીતિના ઘરમાં ઘૂસી છરી મારી પતાવી દીધી, શું છે કારણ?

London plane crash: લંડન એરપોર્ટ પર ટેકઓફ થયાની થોડીવારમાં વિમાન થયું ક્રેશ, જાણો વિગતો

Ahmedabad: જૈન સમાજમાં રોષ, પાલીમાં સાધુના અકસ્માત બાદ “સંત સુરક્ષા રેલી”, રુપાણી વચન ભૂલ્યા?

 

Related Posts

Jharkhand Students Protest: જંતર-મંતર પછી ઝારખંડમાં વિદ્યાર્થીઓનો બળવો, બંને આંદોલનોમાં શું છે સૌથી મોટો ફરક?
  • August 8, 2026

Jharkhand Students Protest: ઝારખંડમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ, પેપર લીક અને ભરતી પ્રક્રિયાની પારદર્શિતાને લઈને વિદ્યાર્થીઓ અને ઉમેદવારોનું આંદોલન સતત વિસ્તરી રહ્યું છે. 29 જુલાઈથી રાંચીના જયપાલ સિંહ મુંડા…

Continue reading
Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ
  • August 7, 2026

Mohan Bhagwat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે દેશની યુવા પેઢી એટલે કે Gen Z અંગે વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું કે માત્ર લોકો પોતાની માંગણીઓ માટે રસ્તા પર ઉતરે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ

  • August 8, 2026
  • 1 views
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ

Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે

  • August 8, 2026
  • 3 views
Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે

Jharkhand Students Protest: જંતર-મંતર પછી ઝારખંડમાં વિદ્યાર્થીઓનો બળવો, બંને આંદોલનોમાં શું છે સૌથી મોટો ફરક?

  • August 8, 2026
  • 4 views
Jharkhand Students Protest: જંતર-મંતર પછી ઝારખંડમાં વિદ્યાર્થીઓનો બળવો, બંને આંદોલનોમાં શું છે સૌથી મોટો ફરક?

Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

  • August 7, 2026
  • 4 views
Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો

  • August 7, 2026
  • 4 views
Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો

Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર

  • August 7, 2026
  • 10 views
Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર