રોડ છે તો ખાડા રહેવાના, BJP મંત્રી રાકેશ સિંહ બોલ્યા, ભૂપેન્દ્ર પટેલ સાથે ગુજરાત મોડલ અપનાવાની વાત કરી હતી, હવે બ્રિજ તૂટ્યો

  • India
  • July 10, 2025
  • 0 Comments

ગુજરાતમાં વડોદરા નજીક ગંભીરા બ્રિજ તૂટ્યો પછી દેશભરમાં ભાજપ સરકાર ભીંસમાં આવી છે. ત્યારે હવે  મધ્યપ્રદેશની BJP સરકારના  બાંધકામ વિભાગ (PWD) ના મંત્રી રાકેશ સિંહના નિવેદનથી લોકોમાં રોષ ભભૂક્યો છે. તેમનું એક નિવેદન ભારે ચર્ચાનો વિષય બન્યું છે. રાજ્યમાં રોડ પર પડેલા ખાડા અંગે પત્રકારોએ પ્રશ્ન પૂછતાં જવાબમાં મંત્રી રાકેશ સિંહે કહ્યું કે જ્યાં સુધી રસ્તાઓ છે ત્યાં સુધી ખાડા રહેશે. મંત્રીએ કહ્યું કે અત્યાર સુધી એવી કોઈ ટેકનોલોજી આવી નથી જે સંપૂર્ણપણે ખાડા મુક્ત રસ્તાઓ થઈ શકે.

ગઈકાલે 9 જુલાઈએ મીડિયા સાથે વાત કરતા મંત્રી રાકેશ સિંહે કહ્યું કે, વરસાદની ઋતુમાં કયા રાજ્યમાં ખાડા નથી હોતા? આ સમસ્યાઓ એવા રાજ્યોમાં પણ જોવા મળે છે જે દેશના શ્રેષ્ઠ રસ્તાઓ ધરાવતા ગણાય છે. ભારે વરસાદ અને અપેક્ષા કરતા વધુ ટ્રાફિકને કારણે રસ્તાઓ ખરાબ થાય છે. મંત્રીએ એ પણ સ્વીકાર્યું કે રસ્તાઓની ગુણવત્તા હંમેશા સારી હોતી નથી. તેમણે કહ્યું કે, વરસાદની ઋતુમાં ક્યાં ખાડા નથી હોતા?

તેમણે વધુમાં કહ્યું કે એવું કયું રાજ્ય છે જ્યાં રસ્તાઓ પર ખાડા નથી? જો ગુણવત્તા સારી હોત તો ખાડા ન પડત. આનો અર્થ એ નથી કે ખાડા હોવા જોઈએ, પરંતુ આપણે ટેકનિકલ પડકારોનો ઉકેલ શોધવા પડશે અને જનતાની અપેક્ષાઓ મુજબ રસ્તા બનાવવા પડશે. અમે આ દિશામાં ફેરફારોનું આયોજન કરી રહ્યા છીએ. મંત્રીએ લીલા સાહુના રસ્તા સંબંધિત વીડિયો પર પણ પ્રતિક્રિયા આપી જે તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

‘અમે એક યોજના મુજબ કામ કરીએ છીએ’

તેમણે કહ્યું કે PWDનું બજેટ એટલું મોટું નથી કે જો કોઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે તો તેને આપણે તરત જ ત્યાં રસ્તો બનાવી દઈએ. વિભાગની પોતાની મર્યાદાઓ છે. આપણે ફક્ત યોજના હેઠળ જ કામ કરી શકીએ છીએ. તેમણે કહ્યું કે ભવિષ્ય માટે આપણી પાસે ઘણી મોટી યોજનાઓ છે. અમે તે દિશામાં કામ કરી રહ્યા છીએ.

માર્ગ, મકાન મંત્રી રાકેશ સિંહ અને  ભૂપેન્દ્ર પટેલ મળેલા!

મધ્ય પ્રદેશમાં માર્ગ, મકાન ખાતુ સંભાળતાં રાકેશ સિંહ અને ગુજરા   તેવું જ ખાતુ સંભાળતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બંને વચ્ચે 6 મહિના પહેલા જ ગુજરાતમાં મુલાકાત થઈ હતી. ત્યારે રાકેશ સિંહના નેતૃત્વમાં 15 સભ્યોના પ્રતિનિધિમંડળે ગુજરાતમાં માર્ગ અને મકાન બાંધકામનો અભ્યાસ કરી ગુજરાત જેવા રસ્તો બનાવવાની વાત કરી હતી. મધ્ય પ્રદેશમાં ગુજરાત મોડલ અપનાવાની વાત કરી હતી.

જોકે હવે વડોદરા નજીક આવેલો ગંભીરા બ્રિજ તૂટી ગયો છે. જેમાં 14 લોકોના મોત થઈ ગયા છે. ઘણા ઘાયલ થયા છે. ત્યારે હવે ગુજરાત મોડલ પર સવાલો ઉભા થયા છે. ત્યારે શું મધ્ય પ્રદેશ હજુ પણ ગુજરાત મોડલનો રસ ચાખશે. કે પોતાનું કંઈ અલગ આયોજન કરશે.

આ પણ વાંચોઃ

Gambhira Bridge collapse: ભાજપના ભ્રષ્ટાચારે વડોદરા અને આણંદ વચ્ચેની સીધી રસ્તા કડી તોડી!, 14 નો જીવ લીધો

Gambhira Bridge collapse: મદદ કરતાં માણસને પોલીસે ધમકાવ્યો, ‘NDRF ની ટીમ બોલાવી છે નીચે બસી જા’, જોઈ લો પોલીસનું વર્તન

Gambhira Bridge collapse: સંવેદના વ્યક્ત કરવામાં ભાજપ નેતાઓએ કર્યું કોપી પેસ્ટ, પછી શું થાય બોલો!

Vadodara Bridge Collapse: ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ સરકારને ઘેરી

Language Controversy:  મુંબઈ કે દિલ્હીમાં ભોજપુરી જ બોલી છું, નિરહુઆએ ગીત ગાઈને ઠાકરે ભાઈને જવાબ આપ્યો!

Gambhira Bridge Collapsed: ગંભીરા પુલ સાથે ગુજરાતમાં 281 પુલ હજુ પણ જોખમી, ગમે ત્યારે તૂટી શકે

UP: જનેતા 11 માસની પુત્રીને મૂકી ભાડૂઆત સાથે ભાગી, માસૂમનું તડપી તડપીને મોત, જાણો સમગ્ર કિસ્સો

Gujarat: માર્ગ અને પુલની વર્ષે 30 હજાર ફરિયાદો, પૂર્ણેશ મોદીએ પ્રજાની સેવા શરૂ કરીને પાટીલે હાંકી કાઢ્યા

Gambhira Bridge Collapsed: ગંભીરા પુલ સાથે ગુજરાતમાં 281 પુલ હજુ પણ જોખમી, ગમે ત્યારે તૂટી શકે

Vadodara Gambhira Bridge Collapsed: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 8 ના મોત, 5 ને બચાવી લેવાયા

Nirav Soni Arrest: નડિયાદમાં 1 કરોડથી વધુનું ફૂલેકું ફેરવનાર નીરવ સોની પોલીસ સકંજામાં, બે દિવસના રિમાન્ડ પર, મહિલાને આ રીતે છેતરી!

 

 

 

Related Posts

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો
  • August 5, 2025

120 Bahadur: 120 બહાદુર’નું ટીઝર આજે રિલીઝ થયું છે. આ ફિલ્મમાં ફરહાન અખ્તર પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતા મેજર શૈતાન સિંહ ભાટીની ભૂમિકામાં જોવા મળ્યો છે. આ ફિલ્મમાં 120 ભારતીય સૈનિકોની…

Continue reading
Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?
  • August 5, 2025

Satyapal Malik passed away: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું મંગળવારે 79 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું. તેમણે મંગળવારે બપોરે 1 વાગ્યે નવી દિલ્હીની રામ મનોહર લોહિયા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 6 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

  • August 5, 2025
  • 3 views
120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

  • August 5, 2025
  • 12 views
Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?

  • August 5, 2025
  • 14 views
Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?

Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?

  • August 5, 2025
  • 15 views
Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?

‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

  • August 5, 2025
  • 22 views
‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court